અરવલ્લી : માલપુરની વાત્રક નદીમાં ડૂબતા ત્રણ કિશોરના મોત, એકબીજાને બચાવવા જતાં ત્રણેય પાણીમાં ગરકાવ થયા

અરવલ્લીના માલપુરની વાત્રક નદીમાં ત્રણ કિશોર ડૂબ્યા હોવાની ઘટના સામે આવી હતી. ઘટના અંગે સ્થાનિકોએ પોલીસને જાણ કરીને તરવૈયાની મદદથી તાત્કાલિક કિશોરને બહાર કાઢવામાં આવ્યા હતા.

New Update
  • માલપુરની વાત્રક નદીમાં સર્જાઈ કરુણાંતિકા

  • ત્રણ કિશોરવયના મિત્રો નદીમાં ન્હાવા જતા ડૂબ્યા

  • એક ડૂબતા અન્ય બે પણ નદીમાં ગરકાવ થઈ ગયા

  • એક સાથે ત્રણેય મિત્રોએ લીધા અંતિમ શ્વાસ

  • પરિવારજનોમાં સર્જાયો માતમનો માહોલ 

Advertisment W3.CSS

અરવલ્લીના માલપુરની વાત્રક નદીમાં ત્રણ કિશોર ડૂબ્યા હોવાની ઘટના સામે આવી હતી. ઘટના અંગે સ્થાનિકોએ પોલીસને જાણ કરીને તરવૈયાની મદદથી તાત્કાલિક કિશોરને બહાર કાઢવામાં આવ્યા હતા. આ ઘટનામાં ત્રણેય કિશોરના મોત નીપજ્યા હતા.

અરવલ્લીના માલપુરની વાત્રક નદીના જૂના પુલ પાસે ત્રણ કિશોર ડૂબ્યા હોવાનું જાણ થતાં પોલીસ ઘટના સ્થળે દોડી પહોંચી હતી. પાણીમાં ડૂબેલા કિશોર માલપુર કસબાના હોવાનું જાણવા મળ્યું હતું.નદીમાં ચીકણી માટી હોવાથી એક કિશોર ડૂબ્યો હતોજ્યારે તેને બચાવવા અન્ય બે કિશોર જતાં ત્રણેય કિશોરનો પાણીમાં ગરકાવ થતા મોત નિપજ્યા હતા.મૃતકોમાં રોનક સમજુભાઈ ફકીર ઉં.વ.12સુલતાન ઈમ્તિયાઝ દીવાન ઉં.વ. 14,શાહબાઝ સીરાઝ પઠાણ ઉં.વ.14નો સમાવેશ થાય છે.સર્જાયેલી ઘટનાને પગલે પરિવારજનોમાં શોકનો માહોલ સર્જાય ગયો હતો.

પોલીસ તંત્ર દ્વારા ત્રણેય મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માલપુર સી.એસ.સી. સેન્ટર મોકલવામાં આવ્યા હતા.અને વધુ તપાસ શરૂ કરવામાં આવી હતી.

Read the Next Article

ગુજરાતમાં કોરોના વાયરસના કેસોમાં આંશિક વધારો, ૧૭૦ નવા કેસ નોંધાયા

ગુજરાતમાં કોરોનાવાયરસના કેસોમાં આંશિક વધારો જોવા મળ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યભરમાં કોરોનાના ૧૭૦ નવા કેસ નોંધાયા છે, જેને પગલે કુલ સક્રિય કેસોની

New Update
દેશમાં બીજી વખત એક દિવસમાં 4 લાખથી વધુ કેસ; 24 કલાકમાં 3980 લોકોનાં મોત

ગુજરાતમાં કોરોનાવાયરસના કેસોમાં આંશિક વધારો જોવા મળ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યભરમાં કોરોનાના ૧૭૦ નવા કેસ નોંધાયા છે,

Advertisment W3.CSS

જેને પગલે કુલ સક્રિય કેસોની સંખ્યા ૭૧૭ પર પહોંચી ગઈ છે. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં નવા કેસ નોંધાતા આરોગ્ય વિભાગ સાબદું બન્યું છે.

જિલ્લાવાર સ્થિતિ:

ભાવનગર જિલ્લામાં કોરોનાના ૭ નવા કેસ નોંધાયા છે.

  • મહેસાણા જિલ્લામાં પણ ૬ નવા કેસ સામે આવ્યા છે.
  • હિંમતનગરમાં કોરોનાના ૨ નવા કેસ નોંધાયા છે, જેમાં હિંમતનગર મેડિકલ કોલેજના એક રેસિડેન્ટ ડોક્ટર પણ સંક્રમિત થયા હોવાનું જાણવા મળ્યું છે.