અરવલ્લી : ભિલોડા માર્કેટ યાર્ડમાં ખુલ્લામાં પડેલો અનાજનો જથ્થો સંપૂર્ણપણે પલળી જતાં વેપારીઓને આર્થિક નુકશાન...

દર વર્ષે શિયાળાની શરૂઆત થાય ત્યારબાદ વાતાવરણમાં પણ અચાનક પલટો આવતો હોય છે. જેના કારણે આરોગ્ય અને ખેતીવાડીને વ્યાપક અસરો જોવા મળે છે

New Update
  • હવામાન વિભાગની આગાહી અનુસાર વાતાવરણમાં પલટો

  • ભિલોડા પંથકમાં કમોસમી વરસાદના કારણે થયું નુકશાન

  • માર્કેટ યાર્ડમાં ખુલ્લામાં પડેલો અનાજનો જથ્થો પલળી ગયો

  • વેપારીઓને મોટું આર્થિક નુકશાન વેઠવાનો વારો આવ્યો

  • માર્કેટિંગ યાર્ડમાં પૂરતી સાવચેતી ન રખાતા મોટું નુકશાન

અરવલ્લી જિલ્લાના ભિલોડા પંથકમાં કમોસમી વરસાદના કારણે માર્કેટ યાર્ડમાં ખુલ્લામાં પડેલો અનાજનો જથો સંપૂર્ણપણે પલળી જતાં વેપારીઓને મોટું આર્થિક નુકશાન વેઠવાનો વારો આવ્યો છે.

દર વર્ષે શિયાળાની શરૂઆત થાય ત્યારબાદ વાતાવરણમાં પણ અચાનક પલટો આવતો હોય છે. જેના કારણે આરોગ્ય અને ખેતીવાડીને વ્યાપક અસરો જોવા મળે છેત્યારે અરવલ્લી જિલ્લામાં સતત બીજા દિવસે પણ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. ભિલોડામાં વહેલી સવારે અચાનક કમોસમી વરસાદ તૂટી પડ્યો હતા. હવામાન વિભાગે આગાહી કરી હતીતે મુજબ વરસાદે ખેતી અને વેપારીઓને મોટું નુકસાન પહોંચાડ્યું છે.

ભિલોડા માર્કેટ યાર્ડમાં વેપારીઓએ ખરીદેલા ઘઉંમકાઈ અને સોયાબીનની બોરીઓ ખુલ્લામાં પડી હતી. જોકેઅચાનક શરૂ થયેલા વરસાદમાં આ તમામ બોરીઓ સંપૂર્ણપણે પલળી ગઈ છે. વેપારીઓએ ખરીદેલા લાખો રૂપિયાના અનાજને થયેલા નુકશાનથી તેમની સ્થિતિ કફોડી બની છે. અત્રે ઉલ્લખનીય છે કેવરસાદની અસર ભિલોડા તાલુકામાં વ્યાપકપણે જોવા મળી રહી છેત્યારે હવામાન વિભાગની આગાહી છતાં માર્કેટ યાર્ડમાં પૂરતી સાવચેતી ન રખાતા વેપારીઓને મોટું આર્થિક નુકશાન વેઠવાનો વારો આવ્યો છે.

Read the Next Article

અમદાવાદમાં કોરોના કેસ વધ્યા, કોરોનાના નવા 127 કેસ નોંધાયા

અમદાવાદમાં સતત કોરોના કેસ વધી રહ્યાં છે. અમદાવાદમાં છેલ્લા  24 કલાકમાં કોરોનાના નવા 127 કેસ નોંધાયા છે. એપ્રિલ 2023 પછી એક જ દિવસમાં 100થી વધુ કેસ નોંધાયા છે.

New Update
રાજ્યમાં આજે કોરોનાના 1120 નવા કેસ નોધાયા, 1389 દર્દીઑ થયા સાજા

અમદાવાદમાં સતત કોરોના કેસ વધી રહ્યાં છે. અમદાવાદમાં છેલ્લા  24 કલાકમાં કોરોનાના નવા 127 કેસ નોંધાયા છે. એપ્રિલ 2023 પછી એક જ દિવસમાં 100થી વધુ કેસ નોંધાયા છે.

જે બાબત ચિંતાજનક છે. અમદાવાદમાં કોરોનાના કેસની સંખ્યા 686 પર  પહોંચી છે.  અમદાવાદ સોલા સિવિલમાં કુલ પાંચ દર્દી દાખલ છે. અમદાવાદ અસારવા સિવિલમાં 3 દર્દી સારવાર હેઠળ છે. 

ગુજરાતમાં પણ કોરોના વાયરસના નવા કેસમાં વધારો થયો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 183 નવા કેસ નોંધાયા છે. કોરોના વાયરસના 183 નવા કેસ નોંધાતાથી સાથે જ  કુલ એક્ટિવ કેસનો આંકડો 822 પર પહોંચી ગયો છે. 

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 183 નવા કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 822 પર પહોંચી ગઈ છે. જેમાંથી 29 હૉસ્પિટલમાં દાખલ છે, જ્યારે 793 દર્દી હોમ આઇસોલેશનમાં છે.  78 દર્દી સાજા થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં 24 કલાકમાં કોરોનાથી એકપણ મોત થયું નથી.