અરવલ્લી : ભિલોડા માર્કેટ યાર્ડમાં ખુલ્લામાં પડેલો અનાજનો જથ્થો સંપૂર્ણપણે પલળી જતાં વેપારીઓને આર્થિક નુકશાન...

દર વર્ષે શિયાળાની શરૂઆત થાય ત્યારબાદ વાતાવરણમાં પણ અચાનક પલટો આવતો હોય છે. જેના કારણે આરોગ્ય અને ખેતીવાડીને વ્યાપક અસરો જોવા મળે છે

New Update
  • હવામાન વિભાગની આગાહી અનુસાર વાતાવરણમાં પલટો

  • ભિલોડા પંથકમાં કમોસમી વરસાદના કારણે થયું નુકશાન

  • માર્કેટ યાર્ડમાં ખુલ્લામાં પડેલો અનાજનો જથ્થો પલળી ગયો

  • વેપારીઓને મોટું આર્થિક નુકશાન વેઠવાનો વારો આવ્યો

  • માર્કેટિંગ યાર્ડમાં પૂરતી સાવચેતી ન રખાતા મોટું નુકશાન

Advertisment

અરવલ્લી જિલ્લાના ભિલોડા પંથકમાં કમોસમી વરસાદના કારણે માર્કેટ યાર્ડમાં ખુલ્લામાં પડેલો અનાજનો જથો સંપૂર્ણપણે પલળી જતાં વેપારીઓને મોટું આર્થિક નુકશાન વેઠવાનો વારો આવ્યો છે.

દર વર્ષે શિયાળાની શરૂઆત થાય ત્યારબાદ વાતાવરણમાં પણ અચાનક પલટો આવતો હોય છે. જેના કારણે આરોગ્ય અને ખેતીવાડીને વ્યાપક અસરો જોવા મળે છેત્યારે અરવલ્લી જિલ્લામાં સતત બીજા દિવસે પણ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. ભિલોડામાં વહેલી સવારે અચાનક કમોસમી વરસાદ તૂટી પડ્યો હતા. હવામાન વિભાગે આગાહી કરી હતીતે મુજબ વરસાદે ખેતી અને વેપારીઓને મોટું નુકસાન પહોંચાડ્યું છે.

ભિલોડા માર્કેટ યાર્ડમાં વેપારીઓએ ખરીદેલા ઘઉંમકાઈ અને સોયાબીનની બોરીઓ ખુલ્લામાં પડી હતી. જોકેઅચાનક શરૂ થયેલા વરસાદમાં આ તમામ બોરીઓ સંપૂર્ણપણે પલળી ગઈ છે. વેપારીઓએ ખરીદેલા લાખો રૂપિયાના અનાજને થયેલા નુકશાનથી તેમની સ્થિતિ કફોડી બની છે. અત્રે ઉલ્લખનીય છે કેવરસાદની અસર ભિલોડા તાલુકામાં વ્યાપકપણે જોવા મળી રહી છેત્યારે હવામાન વિભાગની આગાહી છતાં માર્કેટ યાર્ડમાં પૂરતી સાવચેતી ન રખાતા વેપારીઓને મોટું આર્થિક નુકશાન વેઠવાનો વારો આવ્યો છે.

Advertisment