/connect-gujarat/media/post_banners/f1e586de118ea371c219d866de4096332206ca573f43dbf98eba31d87c3a1490.jpg)
ગુજરાતમાં લોકસભા અને પાંચ વિધાનસભાની પેટા ચૂંટણી પૂર્ણ થતાજ ભાજપના નેતાઓમાં આંતરિક જુથવાદ સપાટી પર આવી રહ્યો છે ત્યારે માણાવદરના ભાજપના ઉમેદવાર અરવિંદ લાડાણીએ સીઆર પાટિલને પત્ર લખી ભાજપના જ નેતાએ ચૂંટણીમાં પક્ષ વિરોધી પ્રવૃતિ કરી હોવાનો આક્ષેપ કરતાં રાજકારણ ગરમાયું છે
ગુજરાતમાં 25 લોકસભા અને પાંચ વિધાનસભા બેઠક પર ચૂંટણી અને પેટાચૂંટણી પૂર્ણ થતા જ ભાજપના કાર્યકર્તાઓ વચ્ચે રહેલો આંતરિક જૂથવાદ સપાટી પર આવી રહ્યો છે. અમરેલી બાદ હવે માણાવદર વિધાનસભા બેઠક પર પણ ભાજપનો આંતરિક જૂથવાદ ખુલ્લીને બહાર આવ્યો છે. માણાવદર વિધાનસભાની પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવાર અરવિંદ લાડાણીએ પૂર્વ મંત્રી જવાહર ચાવડા સામે ગંભીર આક્ષેપ કર્યો છે. લાડાણીએ કહ્યું કે, માજી કેબિનેટ મંત્રી જવાહર ચાવડાના પુત્ર રાજ ચાવડાએ પોતાની જિનિંગ ફેકટરીમાં કાર્યકર્તાઓની મિટિંગ બોલાવી તેમાં જાણ કરેલી કે, મારા પપ્પાની હારનો બદલો લેવા માટે ભાજપના ઉમેદવાર અરવિંદ લાડાણીને હરાવી કોંગ્રેસના ઉમેદવારને જીતાડવાના છે. આ મિટિંગમાં 800થી વધુ કાર્યકર્તા હાજર હતા તેમાં માણાવદર તાલુકા ભાજપ પ્રમુખ ગોવિંદ સવસાણી, મહામંત્રી જગદીશ મારુ ઉપરાંત જિલ્લા પંચાયત સભ્ય રીનાબેન મારડીયાના સસરા જીવાભાઈ મારડીયા તેમજ માણાવદર શહેર ભાજપ મહામંત્રી વિક્રમ ચાવડા હાજર રહ્યા હતા અને ચૂંટણીના દિવસે પક્ષવિરોધી પ્રવૃતિ કરી મને હરાવવાના પ્રયાસો કર્યા
અત્રે ઉલ્લેખનીય છે કે 2022 વિધાનસભા ચૂંટણીમાં માણાવદર બેઠક પર જવાહર ચાવડા ભાજપના ઉમેદવાર હતા જ્યારે અરવિંદ લાડાણીએ ત્યારે કોંગ્રેસના ઉમેદવાર હતા. જેમાં અરવિંદ લાડાણીએ જવાહર ચાવડાને હરાવ્યા હતા. કોંગ્રેસના સિમ્બોલ પર ચૂંટાયેલા લાડાણી લોકસભા ચૂંટણી પૂર્વે કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા હતા.