સાબરકાંઠા: પ્રાંતિજ ના અમીનપુર ખાતે મગફળીનું બિયારણ નકલી નીકળતા ખેડૂતો રાત પાણીએ રોયા

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ના અમીનપુર ખાતે મગફળી નુ બિયારણ નબળું નીકળતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે અને બિયારણ , ખેડ , ખાતર , દવા , મજૂરી સહિતનો ખર્ચ પણ માથે પડ્યો છે.

New Update

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ના અમીનપુર ખાતે મગફળી નુ બિયારણ નબળું નીકળતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે અને બિયારણ , ખેડ , ખાતર , દવા , મજૂરી સહિતનો ખર્ચ પણ માથે પડ્યો છે.
પ્રાંતિજ ના અમીનપુર ખાતે રહેતા ખેડૂતો દ્રારા ચોમાસુ મગફળી ની ખેતી ને લઈ ને હિંમતનગર ખેડ તસીયારોડ ઉપર આવેલ ફાર્મકાર્ટ સીડ્સ દુકાન માંથી આઠ ખેડૂતોએ ભેગા થઈ ને એકજ દિવસે એકજ ખેડૂત પટેલ ભરત શંકરભાઇ ના નામે એક જ બીલમા તારીખ 31-05-2024 ના રોજ ક્રાંતિ પીનટ ૨૦ કિલોની ૧૩૬ બેગ જેમાં એક બેગની કિંમત રૂપિયા   ૨૬૦૦ લેખે તેની કુલ કિંમત 3 લાખ 53 હજાર 600 ની ઓનલાઈન તથા ચેક અને રોકડા ચુકવીને ખરીદી કરી હતી. કુલ 72 વીઘા જમીનમાં તારીખ 06-06-2024 થી તારીખ 16-06-2024 સુધીમાં વાવેતર કર્યું હતું.જોકે 15 દિવસ બાદ પણ મગફળી નો ગ્રોથ ન થતા અને ખેતરમાં ચાર પાંચ ફૂટના ગાળે છુટક છુટક છોડ દેખાવા લાગ્યા હતા અને દવા ખાતર નાખ્યા બાદ પણ સમય થતા તેમાં કોઇ વિકાસ નો ફરક પડ્યો નહોતો.

ખેડુતો દ્વારા બિયારણ જ્યાંથી ખરીદી કરેલ તે દુકાન ફાર્મકાર્ટ સીડ્સ ના વેપારીને જાણ કરી હતી.અને વેપારી ધવલ પટેલ ખેતરમાં તપાસ કરીને ખેડૂતને સંતોષકારક જવાબ આપ્યો નહોતો.અને ખેડૂતને તમારે જે થાય તે કરી લો મારૂ કોઈ કાંઈ નહીં બગાડી શકે તેવું ઉદ્ધતાઈ ભર્યું વર્તન કર્યું હતું. ત્યારે હાલ તો ખેડૂતોને બિયારણ ,ખેડ ,દવા ,ખાતર મજૂરી સહિત નો ખર્ચ માથે પડયો છે અને અંદાજે એક ખેડૂત ને એક વિઘે રૂપિયા ૩૫,૦૦૦ થી વધુ નુ નુકસાન એટલે કે ૭૨ વિધામાં  આઠેય ખેડૂતો ને કુલ રૂપિયા ૨૪ લાખ થી વધુ નુ નુકસાન થયુ હોવાનું કહેવામાં આવી રહ્યું છે.ખેડૂતોને નકલી બિયારણ પધરાવનાર વેપારી સામે ખેડૂતોએ ઉચ્ચ કક્ષા સુધી રજૂઆત કરવાની તજવીજ હાથ ધરી હતી.
Read the Next Article

ગુજરાતના 2 પોલીસ અધિકારીને પ્રેસિડેન્ટ મેડલ અને 21ને પ્રશંસનીય સેવા માટે બહુમાન

સ્વતંત્રતા દિવસ નિમિતે ગુજરાતના બે પોલીસ અધિકારીને વિશિષ્ટ સેવા માટે રાષ્ટ્રપતિ ચંદ્રક એનાયત કરવામાં આવશે. આ ઉપરાંત રાજ્યના 21 પોલીસ અધિકારીઓ કર્મચારીઓને પ્રશંસનીય સેવા મેડલ એનાયત થશે.

New Update
gujarat police

સ્વતંત્રતા દિવસ નિમિત્તે, ગુજરાતના 23 પોલીસ અધિકારીઓને તેમની અનુકરણીય સેવા બદલ સન્માનિત કરવામાં આવશે.

આ વર્ષે, રાજ્યના બે અધિકારીઓને વિશિષ્ટ સેવા માટે પ્રતિષ્ઠિત રાષ્ટ્રપતિ મેડલ પ્રાપ્ત થશે, જ્યારે 21 અધિકારીઓને પ્રશંસનીય સેવા માટે પોલીસ મેડલ એનાયત કરવામાં આવશે.

આ યાદીમાં ઇન્સ્પેક્ટર જનરલ, ડેપ્યુટી ઇન્સ્પેક્ટર જનરલ, ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ, ઇન્સ્પેક્ટર, આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર, હેડ કોન્સ્ટેબલ અને કોન્સ્ટેબલ જેવા વરિષ્ઠ અધિકારીઓનો સમાવેશ થાય છે.

દરમિયાન, દેશભરમાં શૌર્ય માટે સૌથી વધુ મેડલ જમ્મુ અને કાશ્મીરના અધિકારીઓને એનાયત કરવામાં આવ્યા છે.

વિશિષ્ટ સેવા માટે રાષ્ટ્રપતિ ચંદ્રક:

- શરદ જિતેન્દ્રપ્રકાશ સિંઘલ, મહાનિરીક્ષક, ગુજરાત

- ખુમાનસિંહ નાનાભાઈ ડામોર, મહાનિરીક્ષક, ગુજરાત

મેરીટોરીયસ સર્વિસ માટે પોલીસ મેડલ:

- રાકેશ પ્રવિણકુમાર બારોટ, નાયબ મહાનિરીક્ષક, ગુજરાત

- બાબુભાઈ લીલાભાઈ દેસાઈ, નાયબ પોલીસ અધિક્ષક, ગુજરાત

- મહાવીરસિંહ હિતેન્દ્રસિંહ વાઘેલા, નાયબ પોલીસ અધિક્ષક, ગુજરાત

- ભૂપેન્દ્રકુમાર નટવરલાલ દવે, નાયબ પોલીસ અધિક્ષક, ગુજરાત

- કમલેશ અરુણ પાટીલ, આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર, ગુજરાત

- મિલિંદ બાલકૃષ્ણ સુર્વે, ઈન્સ્પેક્ટર, ગુજરાત

- અનિલકુમાર વિંજીભાઈ ગામીત, મદદનીશ સબ ઈન્સ્પેક્ટર, ગુજરાત

- પરેશકુમાર ધીરજલાલ પટેલ, આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર, ગુજરાત

- લલિતકુમાર પુનમચંદ જોષી, ઈન્સ્પેક્ટર (ટેક), ગુજરાત

- રાકેશસિંહ રામવીરસિંહ ભદોરીયા, હેડ કોન્સ્ટેબલ, ગુજરાત

- રાજેન્દ્રસિંહ માનસિંહ સોલંકી, મદદનીશ સબ ઈન્સ્પેક્ટર, ગુજરાત

- સહદેવભાઈ વરવાભાઈ દેસાઈ, મદદનીશ સબ ઈન્સ્પેક્ટર, ગુજરાત

- વિનોદકુમાર નામદેવ વડલે, આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર, ગુજરાત

President's Medal | Gujarat Police | Gujarat police officer