ગોધરાના રણછોડપુરા ગામે ખાણ ખનીજના અધિકારીઓ પર હુમલો, 4 ખનન માફિયાઓ સામે નોંધાઈ ફરિયાદ

હુમલામાં સરકારી વાહનનો પાછળનો કાચ તૂટી ગયો હતો. ખાણ ખનીજ વિભાગના અધિકારીને જમણા હાથના કાંડા પર ઈજા થઈ 4 ખનન માફિયાઓ સામે નોંધાઈ ફરિયાદ....

New Update
godhra Mining Department

ગોધરા તાલુકાના રણછોડપુરા ગામે ગેરકાયદે રેતી ખનનની તપાસ દરમિયાન ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ પર હુમલો થયો છે. અધિકારી રાજીવકુમાર રાઠોડને બાતમી મળી હતી કે રણછોડપુરા અને ઉજડીયાના મુવાડા વિસ્તારમાં કુણ નદીના પટમાં અવૈધ રેતી ખનન થઈ રહ્યું છે. બાતમીના આધારે અધિકારીઓની ટીમ બે સ્થળ પર તપાસ માટે પહોંચી હતી. તપાસ દરમિયાન કોઈ મશીનરી કે અવૈધ ખનન જોવા ન મળતાં તેઓ પરત ફરી રહ્યા હતા. આ સમયે રણછોડપુરા ગામે ત્રણથી ચાર વ્યક્તિઓએ તેમની ગાડીઓ પર પથ્થરમારો કર્યો હતો.

હુમલામાં સરકારી વાહનનો પાછળનો કાચ તૂટી ગયો હતો. ખાણ ખનીજ વિભાગના અધિકારીને જમણા હાથના કાંડા પર ઈજા થઈ હતી. આરોપીઓએ અધિકારીઓને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. પોલીસે 4 લોકો સામે ફરિયાદ નોંધી છે. આ ચારેય આરોપીઓ સામે સરકારી કામગીરીમાં રૂકાવટ નાખવા અને હુમલો કરવાના આરોપ લગાવવામાં આવ્યા છે.