/connect-gujarat/media/media_files/2025/05/05/dcVeuemmhH3rq9wZgico.jpg)
બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં એરંડાના પાનનો ચારો ચરવાથી 5 ગાયના મોત નિપજતા પશુપાલક પર આભ ફાટી પડ્યું છે.
મળતી માહિતી અનુસાર, બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર એવા વાવના બુકણા ગામે 5 ગાયના મોત થયા છે. બુકણા ગામે ગૌશાળામાં રાખેલી 20 ગાયો એરંડાના પાનનો ચારો ચરી લેતા ફૂડ પોઇઝનિંગની અસર થઈ હતી. બનાવના પગલે સ્થાનિકો તેમજ વેટનરી તબીબ દ્વારા 15 જેટલી ગાયને તાત્કાલિક સારવાર આપી બચાવી લેવામાં આવી છે. જોકે, આ ઘટનામાં સદનસીબે 20 પૈકી 5 ગાયના મોત નિપજ્યાં હતા. તો બીજી તરફ, એક સાથે જ 5 ગાયના મોત નિપજતા પશુપાલક પર આભ ફાટી પડ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, એરંડાના પાનમાં રહેલું રાઇસીન નામનું ઝેર લોહીમાં ભળી જવાથી 5 પશુના મોત થયા હોવાનું અનુમાન લગાડવામાં આવ્યું હતું.