બનાસકાંઠા : વિકાસ ભારત સપ્તાહની ઉજવણી અંતર્ગત આઇકોનિક સ્થળ નડાબેટ ખાતેથી વિકાસ પદયાત્રા યોજાય

રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ, ગુજરાત રાજ્યના 14મા મુખ્યમંત્રી તરીકે તા. 7 ઓક્ટોબર, 2001ના રોજ શપથ લઈને રાજ્યની વિકાસ યાત્રાની કરવટ બદલી હતી

New Update

બનાસકાંઠા જીલ્લામાં વિકાસ ભારત સપ્તાહની ઉજવણી

જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં પદયાત્રાનું આયોજન

આઇકોનિક સ્થળ નડાબેટ ખાતેથી પદયાત્રા યોજાય

નડેશ્વરી માતાના મંદિરથી સીમા દર્શન સુધીની પદયાત્રા

વૈશ્વિક વિકાસ યાત્રાની સફળ ગાથામાં નાગરિકો જોડાયા

બનાસકાંઠા જીલ્લામાં વિકાસ ભારત સપ્તાહની ઉજવણી અંતર્ગત આઇકોનિક સ્થળ નડાબેટ ખાતેથી કલેક્ટરની અધ્યક્ષતામાં વિકાસ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન અને ગુજરાત રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએગુજરાત રાજ્યના 14મા મુખ્યમંત્રી તરીકે તા. 7 ઓક્ટોબર2001ના રોજ શપથ લઈને રાજ્યની વિકાસ યાત્રાની કરવટ બદલી હતી.

તેમના નેતૃત્વ અને માર્ગદર્શનમાં ગુજરાતની વર્ષ-2001થી વર્ષ-2024 સુધીની 23 વર્ષની સર્વગ્રાહી વૈશ્વિક વિકાસ યાત્રાની સફળતાની ગાથામાં નાગરિકોને જોડી ઓકટોબર-2024ની તા. 7થી તા. 15 દરમિયાન "વિકાસ સપ્તાહ" ઉજવણીનું આયોજન રાજ્યની સાથે બનાસકાંઠા જિલ્લામાં પણ કરાયું છેત્યારે જિલ્લાના સુઈગામ તાલુકાના આઇકોનિક સ્થળ નડાબેટ ખાતે જિલ્લા કલેક્ટર મિહિર પટેલના અધ્યક્ષસ્થાને વિકાસ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ વિકાસ પદયાત્રા નડેશ્વરી માતાજીના મંદિરથી શરૂ કરીને નડાબેટ સીમા દર્શન સુધી યોજાઈ હતી. જેમાં ખાસ કરીને ગુજરાત રાજ્ય સહીત કેન્દ્ર સરકાર દ્વારા વિવિધ પ્રજાલક્ષી થયેલા વિકાસ કાર્યોથી લોકોને અવગત કરવામાં આવ્યા હતા.

આ વિકાસ પદયાત્રામાં સહભાગી થયેલ તમામ લોકો દ્વારા ભારત વિકાસ પ્રતિજ્ઞા લેવામાં આવી હતીઅને BSF જવાનો દ્વારા થતી પરેડનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ પદયાત્રા કાર્યક્રમમાં જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા, BSF કમાન્ડર હિમાંશુ શર્માસુઈગામ પ્રાંત અધિકારીમામલતદાર, BSF જવાનો સહિતના આગેવાનો તેમજ બહોળી સંખ્યામાં નાગરીકો જોડાયા હતા.

Read the Next Article

અમદાવાદ : ભગવાન જગન્નાથજીની રથયાત્રા પહેલા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કર્યું રૂટનું નિરીક્ષણ...

 અમદાવાદમાં આગામી તા. 27 જૂન-2025ના યોજાનારી ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રાને 2 દિવસ બાકી છે, ત્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ નેત્રોત્સવ વિધિ બાદ રથયાત્રાના

New Update

તા. 27 જૂનના રોજ ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રા

દેશમાં બીજા નંબરની સૌથી મોટી રથયાત્રાની તડામાર તૈયારી

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી નેત્રોત્સવ વિધિમાં સહભાગી થયા

16 કિમીના રૂટ પર ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું ફૂટ પેટ્રોલિંગ

રથયાત્રાના રૂટ ઉપર સુરક્ષા વ્યવસ્થા અંગેની સમીક્ષા કરાય

 અમદાવાદમાં આગામી તા. 27 જૂન-2025ના યોજાનારી ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રાને 2 દિવસ બાકી છેત્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ નેત્રોત્સવ વિધિ બાદ રથયાત્રાના રૂટનું નિરીક્ષણ કર્યું હતું. તેમની સાથે રાજ્ય પોલીસ વડા અને શહેર પોલીસ કમિશનર પણ જોડાયા હતા. પોલીસ અધિકારીઓ સાથે ગૃહ રાજ્યમંત્રીએ 16 કિમીના રૂટ પર ફૂટ પેટ્રોલિંગ કર્યું હતું. આ સાથે જ રથયાત્રા રૂટ પર સુરક્ષા વ્યવસ્થા અને પોલીસ બંદોબસ્તની સમીક્ષા કરી હતી. આ અવસરે જમાલપુર-ખાડીયાના ધારાસભ્ય ઇમરાન ખેડાવાળા સહિત મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતુંત્યારે હાલ તો દેશમાં બીજા નંબરની સૌથી મોટી ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈ અમદાવાદમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે.