બનાસકાંઠા : બેંગ્લોર કમિશનરની અમીરગઢ પોલીસને રૂ. 50 હજાર ઇનામ આપવાની જાહેરાત, જુઓ કોને ઝડપી પાડ્યો..!

અમીરગઢ બોર્ડર રાજસ્થાન ગુજરાતની સંવેદનશીલ બોર્ડર છે, જ્યાંથી અનેકવાર નશીલા દ્રવ્યોની હેરાફેરી કરતા શખ્સો સાથે બુટલેગરો પણ ઝડપાતા હોય છે

New Update
બનાસકાંઠા : બેંગ્લોર કમિશનરની અમીરગઢ પોલીસને રૂ. 50 હજાર ઇનામ આપવાની જાહેરાત, જુઓ કોને ઝડપી પાડ્યો..!

બનાસકાંઠા જિલ્લામાં માલિકની હત્યા કરી ફરાર થયેલા નોકરને અમીરગઢ પોલીસે ચેકપોસ્ટ નજીકથી ઝડપી પાડ્યો છે. પોલીસે હત્યારા પાસેથી રૂપિયા 24.23 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બેંગ્લોરમાં જૈન પરિવારમાં નોકર તરીકે રહેતા રાજસ્થાન પાલીના બીજારામ દુર્ગારામ દેવાસીએ ઘરના લોકો બહાર જતા ઘરમાં એકલા રહેલા બનાસકાંઠાના વૃદ્ધ માલિકની નિર્દયતા પૂર્વક હત્યા કરી હતી. જે બાદ નોકર ઘરમાંથી 8 લાખ 48 હજાર રોકડ રકમ સહિત 15 લાખ 35 હજાર મત્તાની લૂંટ ચલાવી ભાગી છૂટ્યો હતો, ત્યારે હત્યારા નોકરને અમીરગઢ બોર્ડર પર વાહન ચેકીંગ દરમ્યાન શંકાના આધારે પકડી કડક પૂછપરછ કરતા તેને ગુનાની કબુલાત આપી હતી.

અમીરગઢ પોલીસે લૂંટની રકમ સહિત આરોપી પાસેથી 24 લાખ 23 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. એટલું જ નહીં આ આરોપી વિરુદ્ધ બેંગ્લોરના ચમરાજ પોલીસ મથકે 302 હેઠળ ગુનો પણ નોંધાયો છે. બનાસકાંઠા પોલીસે આરોપીને બેંગ્લોર પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે. અત્રે નોંધનીય છે કે, અમીરગઢ બોર્ડર રાજસ્થાન ગુજરાતની સંવેદનશીલ બોર્ડર છે, જ્યાંથી અનેકવાર નશીલા દ્રવ્યોની હેરાફેરી કરતા શખ્સો સાથે બુટલેગરો પણ ઝડપાતા હોય છે, ત્યારે અમીરગઢ પોલીસને વધુ એક હત્યારા નોકરને ઝડપી લેવામાં સફળતા મળી છે, ત્યારે સરાહનીય કામગીરી બદલ બેંગ્લોર કમિશનરે અમીરગઢ પોલીસને 50 હજારનું પ્રોત્સાહન ઇનામ આપવાની પણ જાહેરાત કરી છે.

Read the Next Article

અમદાવાદ : ભગવાન જગન્નાથજીની રથયાત્રા પહેલા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કર્યું રૂટનું નિરીક્ષણ...

 અમદાવાદમાં આગામી તા. 27 જૂન-2025ના યોજાનારી ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રાને 2 દિવસ બાકી છે, ત્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ નેત્રોત્સવ વિધિ બાદ રથયાત્રાના

New Update

તા. 27 જૂનના રોજ ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રા

દેશમાં બીજા નંબરની સૌથી મોટી રથયાત્રાની તડામાર તૈયારી

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી નેત્રોત્સવ વિધિમાં સહભાગી થયા

16 કિમીના રૂટ પર ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું ફૂટ પેટ્રોલિંગ

રથયાત્રાના રૂટ ઉપર સુરક્ષા વ્યવસ્થા અંગેની સમીક્ષા કરાય

 અમદાવાદમાં આગામી તા. 27 જૂન-2025ના યોજાનારી ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રાને 2 દિવસ બાકી છેત્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ નેત્રોત્સવ વિધિ બાદ રથયાત્રાના રૂટનું નિરીક્ષણ કર્યું હતું. તેમની સાથે રાજ્ય પોલીસ વડા અને શહેર પોલીસ કમિશનર પણ જોડાયા હતા. પોલીસ અધિકારીઓ સાથે ગૃહ રાજ્યમંત્રીએ 16 કિમીના રૂટ પર ફૂટ પેટ્રોલિંગ કર્યું હતું. આ સાથે જ રથયાત્રા રૂટ પર સુરક્ષા વ્યવસ્થા અને પોલીસ બંદોબસ્તની સમીક્ષા કરી હતી. આ અવસરે જમાલપુર-ખાડીયાના ધારાસભ્ય ઇમરાન ખેડાવાળા સહિત મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતુંત્યારે હાલ તો દેશમાં બીજા નંબરની સૌથી મોટી ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈ અમદાવાદમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે.

 

Latest Stories