બનાસકાંઠા : અંબાજીમાં ગબ્બર તળેટીની દુકાનોમાં ફાટી નીકળી ભીષણ આગ, ફાયર ફાઇટરો દોડ્યા...

ગબ્બર તળેટી પર આગ લાગવાની ઘટનાથી અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટની ફાયર ફાઈટરની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી

New Update
બનાસકાંઠા : અંબાજીમાં ગબ્બર તળેટીની દુકાનોમાં ફાટી નીકળી ભીષણ આગ, ફાયર ફાઇટરો દોડ્યા...

બનાસકાંઠા જીલ્લામાં સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી નજીક આવેલા ગબ્બર તળેટી ખાતેના શોપિંગ સેન્ટરમાં ભીષણ આગ ફાટી નીકળતા લોકોમાં નાસભાગ મચી હતી. મળતી માહિતી અનુસાર, બનાસકાંઠાના અંબાજીમાં ગબ્બર તળેટી પર આવેલા ગણેશ મંદિર નજીકના શોપિંગ સેન્ટરની 8 જેટલી દુકાનોમાં અચાનક આગ ફાટી નીકળી હતી. આગ લાગતાની સાથે જ હાજર લોકોમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ગબ્બર તળેટી પર આગ લાગવાની ઘટનાથી અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટની ફાયર ફાઈટરની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી, જ્યાં પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ ફાયર ફાઈટરોએ આગ ઉપર કાબુ મેળવ્યો હતો. જોકે, આગ લાગવાની ઘટનામાં 8 જેટલી દુકાનોમાં લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાની વિગતો સામે આવી છે, ત્યારે હાલ તો શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોય એવું પણ પ્રથમ દ્રષ્ટિએ સામે આવ્યું છે.

Advertisment
Read the Next Article

દાહોદ : બાળકી સાથે દુષ્કર્મ અને હત્યાના કેસમાં કોર્ટે આરોપી આચાર્યને ફટકારી 10 વર્ષની સજા,પોલીસ તપાસ સામે શંકા!

દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના તોયણી ગામની પ્રાથમિક શાળામાંથી છ વર્ષની પહેલા ધોરણમાં ભણતી વિદ્યાર્થીનીની લાશ મળી હતી.

New Update
  • દાહોદમાં બહુચર્ચિત દુષ્કર્મના કેસનો મામલો

  • શાળાના આચાર્ય સામે નોંધાયો હતો ગુનો

  • લીમખેડા એડિશનલ સેશન્સ કોર્ટે ફટકારી સજા

  • આરોપીને 10 વર્ષની કેદ અને 2 લાખનો દંડ ફટકાર્યો

  • પોલીસ તપાસ સામે ઉઠ્યા સવાલ 

Advertisment

દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના તોયણી ગામની પ્રાથમિક શાળામાંથી છ વર્ષની પહેલા ધોરણમાં ભણતી વિદ્યાર્થીનીની લાશ મળી હતી. આ બાળકી સાથે દુષ્કર્મનો પ્રયાસ કરીને તેની હત્યા શાળાના આચાર્ય ગોવિંદ નટે કરી હતી. આ કેસમાં સ્પેશિયલ પોક્સો કોર્ટે આરોપીને દસ વર્ષની સજા અને બે લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.જોકે સમગ્ર કેસમાં પોલીસ તપાસ સામે સવાલો ઉભા થયા છે.

દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના તોયણી પ્રાથમિક શાળાની છ વર્ષની બાળકી સાથે બળાત્કારના પ્રયાસ બાદ તેની હત્યા કરવામાં આવી હતી. બળાત્કાર બાદ રાજ્યભરમાં ઘટના અંગે રોષ જોવા મળ્યો હતો. સરકાર પક્ષે ઘટનાના માત્ર 12 દિવસમાં ગંભીરતા પૂર્વક ચાર્જશીટ દાખલ કરાઈ હતી. જેમાં 150 સાક્ષી સહિતની બાબતોનો સમાવેશ કરી રાજ્ય સરકાર તરફથી કડક કાર્યવાહી કરવામાં આવી હતી.31 સાક્ષી સરકાર પક્ષે તપાસ્યા ઉપરાંત દસ્તાવેજી અને ઇલેક્ટ્રોનિક પુરાવા કોર્ટમાં રજૂ કરાયા હતા.આ કેસમાં માત્ર 34 હિયરિંગમાં જ કેસની ટ્રાયલ પૂર્ણ થઈ હતી.આ કેસમાં સ્પેશિયલ પોક્સો કોર્ટે દસ વર્ષની સજા અને બે લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.

જોકે બચાવપક્ષના વકીલના જણાવ્યા અનુસારકોર્ટે પોક્સો અને હત્યાના કેસને નકારી દીધો છે,અને કોર્ટે ગંભીર બેદરકારી માટે BNSની કલમ 105(2) હેઠળ સજા કરી છે. પોલીસે જે પણ તપાસ કરી હતી,અને જે પુરાવા રજૂ કર્યા હતા,તે કોર્ટે માન્ય નથી રાખ્યા. નોંધનીય છે કેકોર્ટે આ કલમ હેઠળ થતી વધુમાં વધુ સજા આરોપીને આપી છે.

Advertisment
Latest Stories