બનાસકાંઠા : રાજ્યવ્યાપી ગરીબ કલ્યાણ મેળાનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ડિસા ખાતેથી પ્રારંભ કરાયો...

બનાસકાંઠા જિલ્લાના ડિસા ખાતે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં રાજ્યવ્યાપી ગરીબ કલ્યાણ મેળાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેમાં એક જ દિવસમાં 1 લાખથી વધુ લાભાર્થીઓને રૂ. 318 કરોડથી વધુના લાભ-સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું.

New Update

રાજ્યવ્યાપી ગરીબ કલ્યાણ મેળાનો ડિસા ખાતેથી પ્રારંભ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આયોજન કરાયું

ગરીબોના સશક્તીકરણનું જન અભિયાન બન્યું : મુખ્યમંત્રી

12 લાખ લાભાર્થીઓને 4500 કરોડના લાભ-સહાયનું વિતરણ

મોટી સંખ્યામાં જરૂરિયાતમંદ લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા

બનાસકાંઠા જિલ્લાના ડિસા ખાતે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં રાજ્યવ્યાપી ગરીબ કલ્યાણ મેળાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેમાં એક જ દિવસમાં 1 લાખથી વધુ લાભાર્થીઓને રૂ. 318 કરોડથી વધુના લાભ-સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણા અને દિશા-દર્શનમાં ગુજરાતમાં દરિદ્રનારાયણની સેવાના યજ્ઞ રૂપે 2009-10થી શરૂ થયેલી ગરીબ કલ્યાણ મેળાની 14મી કડીનો રાજ્યવ્યાપી પ્રારંભ મુખ્યમંત્રીએ બનાસકાંઠાના ડિસાથી કરાવ્યો હતો. રાજ્યના ગરીબ વર્ગો તેમજ દૂરદરાજના અંતરીયાળ વિસ્તારના વંચિતોને વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભ હાથોહાથ સરળતાએ પહોંચાડવામાં આ ગરીબ કલ્યાણ મેળા સફળ માધ્યમ બન્યા છે. મુખ્યમંત્રીએ ડિસા ખાતેના ગરીબ કલ્યાણ મેળામાં એક જ દિવસમાં એક જ સ્થળેથી 11 હજાર ઉપરાંત ગરીબ લાભાર્થીઓને રૂ. 45 કરોડના સહાય લાભોનું વિતરણ કર્યુ હતું. રાજ્યના 33 જિલ્લાઓમાં પણ મંત્રીઓની ઉપસ્થિતીમાં શરૂ થયેલી ગરીબ કલ્યાણ મેળાની આ 14મી શૃખંલામાં સમગ્રતયા 1 લાખ 734 લાભાર્થીઓને કુલ 318 કરોડથી વધુની સહાયનો લાભ આપવામાં આવ્યો હતો.

આ 14માં તબક્કામાં યોજાનારા ગરીબ કલ્યાણ મેળાઓ દ્વારા અંદાજે 12 લાખથી વધુ ગરીબોને રૂ. 4568 કરોડના લાભ અપાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ અવસરે જણાવ્યુ કેવડાપ્રધાન નરેન્દ્ર મોદીના શાસન સેવા દાયિત્વમાં દેશમાં ગરીબ ક્લ્યાણનો નવો અધ્યાય શરૂ થયો છે. ગરીબોનું આર્થિક-સામાજિક સશક્તીકરણ કેવી રીતે થઈ શકે તેનું ઉત્તમ ઉદાહરણ તેમણે દેશ અને દુનિયાને પૂરુ પાડ્યુ છે. જેમાં પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાસ્વનિધિ યોજનાજન ધન યોજના જેવી યોજનાઓથી ગરીબોનું આર્થિક સશક્તીકરણ થયુ છે. એટલું જ નહીંપ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાઆયુષ્યમાન ભારત PMJAY, પ્રધાનમંત્રી આવાસ યોજના જેવી યોજનાઓ વંચિતોગરીબોના સામાજીક સશક્તીકરણ માટે ઉપયોગી બની છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગરીબ કલ્યાણના સેવાયજ્ઞથી દરિદ્રનારાયણોના ઉત્થાન ઉપરાંત વડાપ્રધાનની પ્રેરણાથી સ્વચ્છતા-સફાઈ અભિયાનમાં પણ જન ભાગીદારી પ્રેરિત કરીને સૌના રોજીંદા જીવનમાં સ્વચ્છતા સહજ સ્વભાવ બનાવવાનો અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે સાંસદ ભરતસિંહ ડાભીબાબુ દેસાઈસર્વ ધારાસભ્ય પ્રવીણ માળીઅનિકેત ઠાકરમાવજી દેસાઈકેશાજી ચૌહાણસચિવ મોના ખાંધારસહમીના હુસૈનજિલ્લા કલેકટર મિહિર પટેલજિલ્લા વિકાસ અધિકારી એમ.જે.દવેપોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાજિલ્લા અગ્રણી કિર્તિસિંહ વાઘેલા સહિત જિલ્લાના અધિકારીઓ,પદાધિકારીઓ અને બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

Read the Next Article

સુરત : શિક્ષક પિતાએ બે પુત્રો સાથે અગમ્ય કારણોસર જીવન ટુંકાવ્યું, પોલીસે શરૂ કરી તપાસ,આપઘાતનું કારણ અકબંધ

સુરત શહેરમાં આજે બે કમકમાટીભર્યા સમાચાર સામે આવ્યા છે. આજે સવારે  સુરતના લસકાણા વિસ્તારમાં 34 વર્ષીય મહિલાએ પોતાના સાત વર્ષના દીકરાને ઝેરી દવા પીવડાવી અને

New Update

સુરતમાં સામૂહિક આપઘાતની ઘટના

શિક્ષક પિતાએ બે પુત્રો સાથે કર્યો આપઘાત

આપઘાત પાછળનું કારણ અકબંધ

પિતા પુત્રોના મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાયા 

પોલીસે ઘટના અંગેની શરૂ કરી તપાસ

સુરત શહેરમાં આજે બે કમકમાટીભર્યા સમાચાર સામે આવ્યા છે. આજે સવારે  સુરતના લસકાણા વિસ્તારમાં 34 વર્ષીય મહિલાએ પોતાના સાત વર્ષના દીકરાને ઝેરી દવા પીવડાવી અને બાદમાં તે દવા પોતે પણ પી લીધી હતી. જેમાં માતાનું મોત નીપજ્યું હતું. જ્યારે બાળક સારવાર હેઠળ છે. ત્યારે હવે સુરતના ઉમરા વિસ્તારમાં આવેલી જિલ્લા પંચાયત ક્વાર્ટરમાં એક અત્યંત કરુણ ઘટના સામે આવી છે. અહીં એક પિતાએ પોતાના બે માસૂમ પુત્રો સાથે જીવનનો અંત આણ્યો છે. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

સુરતના ડિંડોલની મેરીમાતા સ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા અલ્પેશ કાંતિભાઈ સોલંકી ઉં.વ. 41 મૂળ સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાના ચિઠોડા ગામના વતની છે,અને હાલ સુરતમાં પરિવાર સાથે રહે છે. મૃતક શિક્ષક અલ્પેશ સોલંકીએ પોતાના 2 વર્ષીય પુત્ર કર્નિશ અલ્પેશભાઈ સોલંકી અને 8 વર્ષીય પુત્ર ક્રીશીવ અલ્પેશભાઈ સોલંકી સાથે આપઘાત કરી લેતાં શોકનો માહોલ છવાયો છે. ગુરુવારે મોડી સાંજે તેમના ક્વાર્ટરમાંથી કોઈ પ્રતિસાદ ન મળતાં પાડોશીઓને શંકા ગઈ હતી. જ્યારે દરવાજો તોડીને અંદર જોયું તો ત્રણેય મૃત હાલતમાં મળી આવ્યા હતા. બંને બાળકોના મૃતદેહ બેડ પર મૃત અવસ્થામાં મળી આવ્યા હતાજ્યારે અલ્પેશભાઇની ડેડબોડી લટકતી હાલતમાં મળી આવી હતી.

આપઘાતનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. પોલીસને ઘટનાસ્થળેથી કોઈ સુસાઇડ નોટ મળી નથી. પ્રાથમિક તપાસમાં અગમ્ય કારણોસર આ પગલું ભર્યું હોવાનું મનાઈ રહ્યું છે. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપીને વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટના પાછળ કયું કારણ જવાબદાર છે તે જાણવા પોલીસે શિક્ષકના પરિવારજનો અને મિત્રોની પૂછપરછ શરૂ કરી છે.