બનાસકાંઠા : પાલનપુરના કંથેરીયા હનુમાન મંદિરે ચોરી કરનાર શખ્સ ઝડપાયો, રૂ. 3.38 લાખનો મુદ્દામાલ જપ્ત...

અલમારીમાંથી રૂદ્રાક્ષની માળા, આભૂષણ રોકડ રકમ સહિત અંદાજીત રૂપિયા 4 લાખની મત્તાની ચોરી થઈ

New Update
બનાસકાંઠા : પાલનપુરના કંથેરીયા હનુમાન મંદિરે ચોરી કરનાર શખ્સ ઝડપાયો, રૂ. 3.38 લાખનો મુદ્દામાલ જપ્ત...

બનાસકાંઠા જિલ્લાના પાલનપુર સ્થિત સુપ્રસિધ્ધ કંથેરીયા હનુમાન મંદિરમાં ચોરી કરનાર આરોપીને પોલીસે ગણતરીના કલાકો ઝડપી અંદાજીત રૂ. 4 લાખની ચોરીનો ભેદ ઉકેલી કાઢ્યો છે. મળતી માહિતી અનુસાર, પાલનપુરમાં આવેલા કંથેરિયા હનુમાન મંદિરમાં ગત તા. 22 ઓગષ્ટની રાત્રે અલમારીમાંથી રૂદ્રાક્ષની માળા, આભૂષણ રોકડ રકમ સહિત અંદાજીત રૂપિયા 4 લાખની મત્તાની ચોરી થઈ હતી. જોકે, કંથેરીયા હનુમાન મંદિરમાં ચોરીની ઘટના બનતા જિલ્લા એલસીબી દ્વારા અલગ અલગ ટીમો બનાવી આરોપીને ઝડપી લેવા તપાસ શરૂ કરવામાં આવી હતી.

જોકે, ગુનામાં સંડોવાયેલ આરોપી દીપક શ્રીગણેશ દુબે ઉત્તરપ્રદેશનો હોવાથી પોલીસની ટીમે મેરઠ તથા ઉતરપ્રદેશના અન્ય વિસ્તારોમાં શોધખોળ કરી હતી. પરંતુ આરોપી અલગ-અલગ જગ્યાએ ભાગતો ફરી પોલીસને હાથતાળી આપી રહ્યો હતો. પરંતુ આખરે પોલીસ અને હ્યુમન ઇન્ટેલિજન્સ ટીમની મદદથી વારાણસીથી આરોપીને LCBની ટીમે ગણતરીના સમયમાં ઝડપી ગુનાનો ભેદ ઉકેલી આરોપીની ધરપકડ કરી લીધી છે. આ સાથે જ ચોરીમાં ગયેલ સોનાના આભુષણો મળી કુલ રૂપિયા 3.38 લાખનો મુદ્દામાલ રિકવર કર્યો છે. હાલ તો LCB પોલીસે આરોપીની અટકાયત બાદ આરોપીને અન્ય કોઈ ગુનાને અંજામ આપ્યો છે કે,કેમ તે દિશામાં તપાસ આરંભી છે.