ભરૂચ : 2 ખેલાડી બહેનોએ વડોદરાથી સાયકલિંગ કરી નોંધાવ્યો વિરોધ

ગ્રાઉન્ડનો વિવાદ વકરતા વડોદરા સ્થાયી થયેલી લાયબાખાન પઠાણ અને લારૈબાખાન પઠાણ વડોદરાથી સાયકલિંગ કરીને ભરૂચ પહોંચી હતી, જ્યાં ભરૂચ જિલ્લા કલેકટર તુષાર સુમેરાને આવેદન પત્ર આપ્યું

New Update

સબજેલ પાછળ આવેલ રમત-ગમતના મેદાનનો મામલો

મેદાન ફક્ત રમત-ગમત માટે ખુલ્લું રખાય તેવી માંગ ઉઠી

નેશનલ લેવલની ભરૂચની 2 ખેલાડી બહેનો દ્વારા માંગ કરાય

સમગ્ર મામલે વડોદરાથી સાયકલિંગ કરી વિરોધ દર્શાવાયો

કલેકટર કચેરીએ આવેદન આપી રજૂઆત કરવામાં આવી

ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા સબજેલ પાછળ આવેલું એક માત્ર રમત-ગમતનું ખુલ્લું મેદાન ફક્ત રમત-ગમત માટે ખુલ્લું રાખવામાં આવે તે માટે નેશનલ લેવલની ભરૂચની 2 ખેલાડી બહેનોએ વડોદરાથી સાયકલિંગ કરી ભરૂચ જિલ્લા કલેકટર કચેરી ખાતે આવેદન પત્ર આપ્યું હતું.

Advertisment

ભરૂચ શહેરના સંતોષી વસાહત નજીક સબજેલની આવેલી ખુલ્લી જગ્યાના વિવાદે મેદાનનો વિવાદ સપાટી પર ફરી માથુ ઉચક્યું છે આ મેદાનમાં સબજેલ પ્રશાસન દ્વારા તેના પર બાંધકામ કરવા સાથે અમુક દબાણમાં આવતા મકાનો તોડવા માટે નોટિસ આપ્યા બાદ વિવાદ વકર્યો હતો. જેને લઈને સ્થાનિકોએ અગાઉ જિલ્લા કલેકટર કચેરીએ આવેદન પત્ર આપી રજૂઆતો કરી હતી.

તેમ છતાંય આ અંગે કોઈ કાર્યવાહી નહિ કરવામાં આવતા ભરૂચના સંતોષી વસાહતના હબીબ પાર્કમાં રહેતી અને હાલમાં વડોદરામાં સ્થાયી થયેલી નેશનલ સ્કેટિંગ અને ટેનિસ રમતી લાયબાખાન પઠાણ અને લારૈબાખાન પઠાણ 2 સગી બહેનો પણ આજ મેદાન પર રમીને આજે નેશનલ લેવલ પર રમી રહી છે.

પરતું જિલ્લામાં રમત-ગમત માટે કોઈ સુવિધાઓ ન હોય હાલમાં વડોદરામાં રહીને રમત-ગમત ક્ષેત્રે આગળ વધી રહી છેજ્યારે આ ગ્રાઉન્ડનો વિવાદ વકરતા વડોદરા સ્થાયી થયેલી લાયબાખાન પઠાણ અને લારૈબાખાન પઠાણ વડોદરાથી સાયકલિંગ કરીને ભરૂચ પહોંચી હતીજ્યાં ભરૂચ જિલ્લા કલેકટર તુષાર સુમેરાને આવેદન પત્ર આપીને આ રમત-ગમતના મેદાન પર કોઈપણ પ્રકારનો કબ્જોનહીંકરવા અને આ મેદાન કાયમ સ્થાનિક બાળકો માટે ખુલ્લુંરાખવામાં આવે જેથી બાળકો અહીંયા રમીને આગળ વધી શકે તેવી રજૂઆત કરવામાં આવી હતી.

Read the Next Article

વલસાડ : દાદરાનગર હવેલીમાં સામૂહિક આપઘાતની આશંકા, પિતા અને બે બાળકોના મૃતદેહ મળતા ચકચાર

દાદરા નગર હવેલીના સામરવણી ગામમાં મૂળ મહારાષ્ટ્રીયન પરિવારના ત્રણ સભ્યોના મૃતદેહ મળી આવ્યા છે. ઘરમાંથી પિતા અને તેમના બે બાળકોના મૃતદેહ મળી આવ્યા

New Update
  • સામુહિક આપઘાતની ઘટનાથી ચકચાર

  • પિતા અને બે બાળકોના મળ્યા મૃતદેહ

  • પરિવારના ત્રણ સભ્યોના મોતથી ચકચાર

  • પોલીસ તપાસમાં સુસાઈડ નોટ મળી આવી 

  • આપઘાત પાછળનું કારણ જાણવા કવાયત  

Advertisment

દાદરા નગર હવેલીના સામરવણી ગામમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છેજેમાં એક જ પરિવારના ત્રણ સભ્યોના મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ છે. ઘરમાંથી પિતા અને તેમના બે બાળકોના મૃતદેહ મળી આવ્યા છેજેને પગલે સામૂહિક આપઘાતની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

દાદરા નગર હવેલીના સામરવણી ગામમાં મૂળ મહારાષ્ટ્રીયન પરિવારના ત્રણ સભ્યોના મૃતદેહ મળી આવ્યા છે. ઘરમાંથી પિતા અને તેમના બે બાળકોના મૃતદેહ મળી આવ્યા છેજેને પગલે સામૂહિક આપઘાતની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી.પોલીસ તપાસમાં સ્થળ પરથી એક સુસાઇડ નોટ પણ મળી છે. આ સુસાઇડ નોટ મૃત્યુ પાછળના કારણો પર પ્રકાશ પાડી શકે છે. હાલ પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે.

પોલીસના જણાવ્યા અનુસારપોસ્ટમોર્ટમ રિપોર્ટ અને સુસાઇડ નોટની તપાસ બાદ જ આ ઘટના સામૂહિક આપઘાત છે કે કોઈ અન્ય કારણથી મૃત્યુ થયું છેતે અંગેની હકીકત બહાર આવશે. હાલ પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.