ભરૂચ તાલુકાના શુક્લતીર્થ નજીકથી વહેતી નર્મદા નદીના કિનારે ગેર કાયદેસર થતા રેતી ખનન અંગે તંત્રએ ગતરોજ લાલ આંખ કરતા પ્રાંતઅધિકારી અને ભૂસ્તર તેમજ ખાણ ખનીજ વિભાગ દ્વારા રેડ કરવામાં આવી હતી.
આ રેડમાં ઓવર લોડેડ એવી 9 ટ્રક અને 1 ટ્રેકટર સીઝ કરવામાં આવ્યું હતું. હાલ આ વાહનોને શુકલતીર્થ પોલીસના આઉટ પોસ્ટ ચોકી ખાતે રખાવામાં આવ્યા છે.તંત્રની કાર્યવાહીના કારણે ભુ માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે