ભરૂચ: બાલવાડીમાં પહોંચાડાતો ખોરાકનો જથ્થો સગેવગે કરવાનું કૌભાંડ ઝડપાયું

6 આરોપીઓ સામે તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોધાય,દયાદારા ગામેથી ખોરાકનો જથ્થો મળી આવ્યો

New Update
ભરૂચ: બાલવાડીમાં પહોંચાડાતો ખોરાકનો જથ્થો સગેવગે કરવાનું કૌભાંડ ઝડપાયું

ભરૂચ તાલુકા પોલીસે દયાદરા ગામની સીમમાં આદિવાસી મોહન તલાવડી પાસેથી બાલવાડીના લાભર્થીઓને અપાતો જથ્થો સગેવગે કરવાનું કૌભાંડ ઝડપી પાડી 6 ઇસમો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

ભરૂચ તાલુકા પંચાયતની કચેરીના આઈ.ડી.એસ કચેરીમાંથી ભરૂચ તાલુકાનાં ગામડાઓમાં બાલવાડીના પેકેટનો જથ્થો આંગણવાડીઓમાં વાહન મારફતે પહોંચાડવામાં આવે છે જે જથ્થો છેલ્લા ઘણા સમયથી બારોબાર સગેવગે કરવાનું કૌભાંડ આચરાઇ રહ્યું હોવાની બાતમીના આધારે બાળ વિકાસ અધિકારી રીટા ગઢવીએ તેઓની ટીમ સાથે દયાદરા ગામની સીમમાં આદિવાસી મોહન તલાવડી પાસે તપાસ હાથ ધરી હતી તે દરમિયાન તેઓને બાલવાડીના લાભર્થીઓને અપાતો ટી.એચ.આરના પેકેટનો જથ્થો ગેરકાયદેસર મળી આવ્યો હતો.

જે અંગે અધિકારીએ તાલુકા પોલીસને જાણ કરી હતી પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને સ્થળ પરથી 1234 નંગ ટી.એચ.આરના પેકેટનો જથ્થો મળી કુલ 64 હજારથી વધુનો જથ્થો ઝડપી પાડ્યો હતો અને ટી.એચ.આરના પેકેટનો જથ્થો સંગ્રહ કરી વેચાણ કરતાં સતા બેચર ભરવાડ,રામજી ભરવાડ,ભૂપત ભરવાડ અને લાખા ભરવાડ સહિત અન્ય બે ઇસમો વિરુધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.અત્રે ઉલ્લેખનીય છે કે આ કૌભાંડમાં આંગણ વાડી કર્મીની પણ સંડોવણી હોવાની આશંકા સેવાઇ રહી છે.

Read the Next Article

“નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના” : બનાસકાંઠા-પાલનપુરની 2 વિદ્યાર્થિનીએ સહાયનો લાભ પ્રાપ્ત કર્યો...

બનાસકાંઠા જિલ્લાના પાલનપુરની ઉચ્ચત્તર માધ્યમિક શાળામાં અભ્યાસ કરતી 2 વિદ્યાર્થિનીઓએ સરકારની નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના હેઠળ મળતી સહાયનો લાભ પ્રાપ્ત કર્યો છે.

New Update
  • વિદ્યાર્થીઓ માટે કેન્દ્ર સરકારની ઉત્તમ યોજનાનો અમલ

  • વિદ્યાર્થીઓને મળશે ગુણવત્તાયુક્ત ભવિષ્યલક્ષી શિક્ષણ

  • રાજ્યમાં નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના અમલી

  • પાલનપુરની 2 વિદ્યાર્થિનીએ સહાયનો લાભ પ્રાપ્ત કર્યો

  • બન્ને વિદ્યાર્થીનીએ સરકારનો વિશેષ આભાર વ્યક્ત કર્યો

બનાસકાંઠા જિલ્લાના પાલનપુરની ઉચ્ચત્તર માધ્યમિક શાળામાં અભ્યાસ કરતી 2 વિદ્યાર્થિનીઓએ સરકારની નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના હેઠળ મળતી સહાયનો લાભ પ્રાપ્ત કર્યો છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવાના ઉદ્દેશ સાથેરાજ્યના વિદ્યાર્થીઓને અમૃતકાળમાં ઉચ્ચ ગુણવત્તાયુક્ત ભવિષ્યલક્ષી શિક્ષણ અને ઉત્તમ કારકિર્દીની તકો મળી રહે તે માટે વર્ષ 2024-25ના ગુજરાત બજેટમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણના સુદૃઢીકરણ માટે નવી યોજનાઓ જાહેર કરવામાં આવી છે. આ પૈકીરાજ્યના વિદ્યાર્થીઓને ધોરણ 11-12માં વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરવા માટે પ્રોત્સાહન આપવાના ઉદ્દેશથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકાર દ્વારા નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના અમલી બનાવવામાં આવી છે.

આ યોજના હેઠળ ધોરણ 11 અને 12માં વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસમાં વિદ્યાર્થીઓને પ્રતિ વર્ષે રૂ. 10 હજાર સહાય ચૂકવવામાં આવે છે. વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને ફીપુસ્તકો અને અન્ય શૈક્ષણિક ખર્ચ માટે કુલ રૂ. 25 હજાર સુધીની સહાય આપવામાં આવે છેત્યારે બનાસકાંઠા જિલ્લાના પાલનપુરની ઉચ્ચત્તર માધ્યમિક શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થિની હિના અને વીણાએ નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજનાનો લાભ પ્રાપ્ત કર્યો છે. તો ચાલો કનેક્ટ ગુજરાતના સથવારે જાણીએ તેમના પ્રતિભાવો...

Latest Stories