-
ભરૂચમાં બ્રહ્મસમાજના પાંચ શ્રેષ્ઠી બ્રહ્મરત્નોનું સન્માન
-
શ્રી પરશુરામના જન્મોત્સવની 29 એપ્રિલના રોજ કરાશે ઉજવણી
-
શ્રી પરશુરામ સંગઠન દ્વારા સેવા કર્યો થકી ઉજવણી
-
શ્રી પરશુરામ સંગઠન દ્વારા બે લાભકારી યોજનાનો કરાયો પ્રારંભ
-
શ્રી પરશુરામ રોજગાર અને ડિસ્કાઉન્ટ યોજનાનો પ્રારંભ
ભરૂચમાં શ્રી પરશુરામ સંગઠન દ્વારા શ્રી પરશુરામ જન્મોત્સવ પૂર્વે બ્રહ્મસમાજના પાંચ શ્રેષ્ઠી બ્રહ્મરત્નોનું સન્માન કરવામાં આવ્યું હતું,તેમજ ભૂદેવો માટેની બે લાભકારી યોજનાઓનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
ભરૂચમાં બ્રાહ્મણોના આરાધ્ય અને ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર શ્રી પરશુરામજીના જન્મોત્સવની આગામી તારીખ 29 એપ્રિલ 2025 ને મંગળવારના રોજ ઉજવણી થનાર છે, તે પૂર્વે શ્રી પરશુરામ સંગઠન દ્વારા વિવિધ સામાજિક કાર્યો થકી ઉજવણી કરવામાં આવી રહી છે, જે અંતર્ગત સપ્તાહ દરમ્યાન ભુદેવો માટે લાભકારી બે યોજનાઓ શ્રી પરશુરામ રોજગાર યોજના અને ડિસ્કાઉન્ટ યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો, સાથે સમાજમાં પોતાની સિદ્ધિઓ અને સેવા થકી સમાજને ગૌરવ પ્રદાન કરનાર બ્રહ્મરત્નોનું સન્માન કરવામાં આવ્યું હતું.
જેમાં પ્રખર સાહિત્યકાર,શિક્ષક અને કટાર લેખક હરિવદન જોષી, કવિ અને સાહિત્યકાર એવા પ્રભુદત્ત ભટ્ટ,જાણીતા ચિત્રકાર અશ્વિન પંડ્યા, આનંદનો ગરબો અને સુંદરકાંડનો પ્રચાર પ્રસાર કરી લોકોમાં ભક્તિમય જાગૃતિ લાવનાર સંદીપ પુરાણી અને સેકન્ડ ઇનિંગ ગ્રુપ દ્વારા નિવૃત થયેલ પોલીસ કર્મીઓને સામાજિક કાર્ય કરવા પ્રોત્સાહન પૂરું પાડી પ્રેરણાત્મક ઉમદા ઉદાહરણ પૂરું પાડનાર પ્રદીપ મોંઘેનું ઉપસ્થિત શ્રી પરશુરામ સંગઠનના હરેશ પુરોહિત, કિરણ જોષી, રાજકુમાર દુબે, જતીન ભટ્ટ, હેમલ દવે, શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ ભરૂચ શહેરના પ્રમુખ હેમંત શુક્લના હસ્તે શાલ ઓઢાડી અને સન્માન પત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.