ભરૂચ : શ્રી પરશુરામ જન્મોત્સવ પૂર્વે બ્રહ્મસમાજના પાંચ બ્રહ્મરત્નોનું કરાયુ સન્માન,બે લાભકારી યોજનાઓનો પણ કરાયો પ્રારંભ

શ્રી પરશુરામ રોજગાર યોજના અને ડિસ્કાઉન્ટ યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો, સાથે સમાજમાં પોતાની સિદ્ધિઓ અને સેવા થકી સમાજને ગૌરવ પ્રદાન કરનાર બ્રહ્મરત્નોનું સન્માન કરવામાં આવ્યું

New Update
  • ભરૂચમાં  બ્રહ્મસમાજના પાંચ શ્રેષ્ઠી બ્રહ્મરત્નોનું સન્માન

  • શ્રી પરશુરામના જન્મોત્સવની 29 એપ્રિલના રોજ કરાશે ઉજવણી

  • શ્રી પરશુરામ સંગઠન દ્વારા સેવા કર્યો થકી ઉજવણી

  • શ્રી પરશુરામ સંગઠન દ્વારા બે લાભકારી યોજનાનો કરાયો પ્રારંભ

  • શ્રી પરશુરામ રોજગાર અને ડિસ્કાઉન્ટ યોજનાનો પ્રારંભ  

ભરૂચમાં શ્રી પરશુરામ સંગઠન દ્વારા શ્રી પરશુરામ જન્મોત્સવ પૂર્વે બ્રહ્મસમાજના પાંચ શ્રેષ્ઠી બ્રહ્મરત્નોનું સન્માન કરવામાં આવ્યું હતું,તેમજ ભૂદેવો માટેની બે લાભકારી યોજનાઓનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

ભરૂચમાં બ્રાહ્મણોના આરાધ્ય અને ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર શ્રી પરશુરામજીના જન્મોત્સવની આગામી તારીખ 29 એપ્રિલ 2025 ને મંગળવારના રોજ ઉજવણી થનાર છેતે પૂર્વે શ્રી પરશુરામ સંગઠન દ્વારા વિવિધ સામાજિક કાર્યો થકી ઉજવણી કરવામાં આવી રહી છેજે અંતર્ગત સપ્તાહ દરમ્યાન ભુદેવો માટે લાભકારી બે યોજનાઓ શ્રી પરશુરામ રોજગાર યોજના અને ડિસ્કાઉન્ટ યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો હતોસાથે સમાજમાં પોતાની સિદ્ધિઓ અને સેવા થકી સમાજને ગૌરવ પ્રદાન કરનાર બ્રહ્મરત્નોનું સન્માન કરવામાં આવ્યું હતું.

જેમાં પ્રખર સાહિત્યકાર,શિક્ષક અને કટાર લેખક હરિવદન જોષીકવિ અને સાહિત્યકાર એવા પ્રભુદત્ત ભટ્ટ,જાણીતા ચિત્રકાર અશ્વિન પંડ્યાઆનંદનો ગરબો અને સુંદરકાંડનો પ્રચાર પ્રસાર કરી લોકોમાં ભક્તિમય જાગૃતિ લાવનાર સંદીપ પુરાણી અને સેકન્ડ ઇનિંગ ગ્રુપ દ્વારા નિવૃત થયેલ પોલીસ કર્મીઓને સામાજિક કાર્ય કરવા પ્રોત્સાહન પૂરું પાડી પ્રેરણાત્મક ઉમદા ઉદાહરણ પૂરું પાડનાર પ્રદીપ મોંઘેનું ઉપસ્થિત શ્રી પરશુરામ સંગઠનના હરેશ પુરોહિતકિરણ જોષીરાજકુમાર દુબેજતીન ભટ્ટહેમલ દવેશ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ ભરૂચ શહેરના પ્રમુખ હેમંત શુક્લના હસ્તે શાલ ઓઢાડી અને સન્માન પત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

Read the Next Article

ભરૂચ : આમોદમાં નેશનલ હાઇવે 64 ખખડધજ બનતા વાહનચાલકો પરેશાન,વરસાદી પાણીની જમાવટથી ખાબોચિયા છલકાયા

 ભરૂચ જિલ્લાના આમોદથી પસાર થતા નેશનલ હાઇવે 64 ખખડધજ રોડને લઈને ટ્રાફિક જામ સર્જાય રહ્યો છે.અને ખાડાઓમાં વરસાદના કારણે પાણી ભરાતા ખાબોચિયા છલકાયા છે

New Update

આમોદમાં ખખડધજ હાઇવેથી લોકો પરેશાન

વરસાદના કારણે હાઇવે પર ખાડાનું સામ્રાજ્ય

હાઇવે પર ખાડામાં પાણી ભરાતા ખાબોચિયા છલકાય

સગર્ભા મહિલાને પ્રસૂતિમાં પણ પડી મુશ્કેલી

સમારકામ માટે વાહન ચાલકોમાં ઉઠી માંગ

 ભરૂચ જિલ્લાના આમોદથી પસાર થતા નેશનલ હાઇવે 64 ખખડધજ રોડને લઈને ટ્રાફિક જામ સર્જાય રહ્યો છે.અને ખાડાઓમાં વરસાદના કારણે પાણી ભરાતા ખાબોચિયા છલકાયા છે. સર્જાયેલ પરિસ્થિતિને કારણે રાહદારીઓહાઇવેને અડીને આવેલા રહેણાંક વિસ્તારો અને દુકાનદારો સહિત લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.

ભરૂચ જિલ્લાના આમોદ નેશનલ હાઇવે 64 વરસાદમાં અત્યંત બિસ્માર બની ગયો છે.જેના કારણે આમોદ નગરની ગર્ભવતી મહિલાની તબિયત લથડતા અને અસહ્ય પેટમાં દુખાવો ઉપડતા પરિવારજનો દ્વારા આમોદથી જંબુસર હોસ્પિટલ લઈ જવા માટે વાહન લઈને  નીકળ્યા હતા,પરંતુ ખખડધજ અને મસમોટા ખાડાઓ અને ટ્રાફિકને લઈ હોસ્પિટલની સારવાર મળતા પહેલા જ હાઇવે પર જ ખાડાઓના સામ્રાજ્યને લઈને અસહ્ય પીડાઓ સાથે ડીલેવરી થઈ ગઈ હતી. પરિવારના મોભીએ હાઇવે વહીવટી તંત્રની સામે રોષ વ્યક્ત કર્યો હતો.

આ ઉપરાંત વાહનચાલકો પણ ખરાબ રસ્તા મુદ્દે રોષ વ્યક્ત કરી રહ્યા છે.મોસમના પહેલા વરસાદમાં જ હાઇવે ગાયબ થઈ ગયો છે.અને મસમોટા કમરતોડ ખાડાઓનું સામ્રાજ્ય ઉભું થતા કોન્ટ્રાક્ટર અને તંત્રની ગંભીર બેદરકારીની અને ભ્રષ્ટાચારની પોલની ચાડી ખાતા દ્રશ્યોનું નિર્માણ થવા પામ્યું છે. વહેલી તકે ભ્રષ્ટાચાર મુક્ત હાઇવેનું પેચિંગવર્ક કરવામાં આવે એવી લોકમાંગ ઉઠવા પામી છે.