ભરૂચ: પશ્ચિમ વિસ્તારના રહીશોની જંબુસર ચોકડી ઓવરબ્રિજનું નામકરણ અને બ્યુટીફીકેશન કરવાની માંગ

ભરૂચના પશ્ચિમ વિસ્તારના રહીશોએ ક્લેકટરને પાઠવ્યું આવેદનપત્ર, જંબુસર ચોકડી ઓવરબ્રિજનું નામકરણ કરવાની માંગ

New Update
ભરૂચ: પશ્ચિમ વિસ્તારના રહીશોની જંબુસર ચોકડી ઓવરબ્રિજનું નામકરણ અને બ્યુટીફીકેશન કરવાની માંગ

ભરૂચના પશ્ચિમ વિસ્તારના રહીશોએ બાયપાસ વિસ્તારમાં આવેલ ઓવરબ્રિજનું નામકરણ અને બ્યુટીફીકેશન કરવાની માંગ સાથે ક્લેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું.

ભરૂચ-દહેજ રોડ પર આવેલ બાયપાસ જંબુસર ચોકડી વિસ્તારમાં ઓવર બ્રીજનું નામકરણ અને બ્યુટીફીકેશન માટે કલેકટરને રજુઆત કરવામાં આવી હતી..ભરૂચની જંબુસર બાયપાસ ચોકડી પર આવેલા ફલાય ઓવર બ્રિજ ત્રણ તાલુકા અને દહેજ ઔદ્યોગિક વસાહતને જોડતો અતિ મહત્વનો બ્રિજ હોવાથી સ્થાનિક લોકો દ્વારા તેને સુશોભિત અને લાઈટોથી સજ્જ કરવામાં આવે તે માગણી સાથે આવેદનપત્ર પાઠવામાં આવ્યું હતું.

પશ્ચિમ વિસ્તારના સ્થાનિકોએ ભરૂચ કલેકટરને બાયપાસ ચોકડી પર ફ્લાયઓવર બ્રિજનું નામ ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અને મિસાઇલ મેન તરીકે ઓળખાતા એપીજી અબ્દુલ કલામના નામ પરથી આપવામાં આવે અથવા ૧૯૬૫ના ભારત-પાકિસ્તાન ના યુદ્ધમાં બહાદુરીપૂર્વક લડેલા સૈનિક વીર અબ્દુલ હમીદનું નામ આપવાની માંગ સાથે ક્લેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું.

Read the Next Article

ગીર સોમનાથ : સુત્રાપાડાના સમુદ્રકાંઠે 57.50 લાખની કિંમતનું 1150 ગ્રામ બિનવારસી ચરસ મળી આવતા ચકચાર

ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડાના GHCL કંપની નજીકના સમુદ્ર કિનારેથી અફઘાન પ્રોડક્ટનું 1150 ગ્રામનું ચરસનું પેકેટ બિનવારસી હાલતમાં મળી આવ્યું છે.

New Update
  • અફઘાન પ્રોડક્ટ લખેલું બિનવારસી મળ્યું પેકેટ

  • 1150 ગ્રામ ચરસ મળી આવતા ચકચાર

  • જિલ્લાનો 110 કિમીનો કોસ્ટલ બેલ્ટ એલર્ટ 

  • પોલીસે 57.50 લાખનું ચરસ કર્યું  જપ્ત

  • SOG,LCB,મરીન પોલીસ તપાસમાં જોડાય

ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડાનાGHCL કંપની નજીકના સમુદ્ર કિનારેથી અફઘાન પ્રોડક્ટનું 1150 ગ્રામનું ચરસનું પેકેટ બિનવારસી હાલતમાં મળી આવ્યું છે. આ ઘટનાની જાણ થતાંSOG, LCB અને સ્થાનિક પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.અને તપાસ શરૂ કરી હતી.

ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડાનાGHCL કંપની નજીકના દરિયા કિનારેથી અફઘાન પ્રોડક્ટનું 57.50 લાખની કિંમતનું 1150 ગ્રામ બિનવારસી ચરસ મળી આવ્યું હતું.ઘટનાને પગલે ગીર સોમનાથSOG,LCB અને સ્થાનિક પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી.અને પોલીસે આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. અગાઉ પણ ગીર સોમનાથના વેરાવળધામળેજ અને વડોદરા ઝાલા સહિતના દરિયાકિનારા વિસ્તારમાંથી ચરસના પેકેટો મળી આવ્યા હતા. સૌરાષ્ટ્ર-કચ્છનો દરિયાકિનારો નશીલા પદાર્થોની હેરાફેરી માટે ઉપયોગમાં લેવાતો હોવાની આશંકા છે.

પ્રાથમિક તપાસમાં એવું અનુમાન છે કે આ પેકેટ સમુદ્રમાંથી તણાઈને કિનારે આવ્યું હોઈ શકે છે. ગિર સોમનાથ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને લોકલ ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ જિલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ સઘન તપાસ કરી રહ્યા છે.