Connect Gujarat
ગુજરાત

ભરૂચ: અંકલેશ્વર ઉદ્યોગ મંડળના નવા પ્રમુખ જશુ ચૌધરીની નિમણૂક,AGMમાં સોંપાશે સત્તાવાર ચાર્જ

અંકલેશ્વર ઉદ્યોગ મંડળની ચૂંટણી બાદ આજરોજ પ્રમુખ પદ માટેનું નામ મિટિંગમાં નક્કી કરવામાં આવ્યું હતું

X

અંકલેશ્વર ઉદ્યોગ મંડળની ચૂંટણી બાદ આજરોજ પ્રમુખ પદ માટેનું નામ મિટિંગમાં નક્કી કરવામાં આવ્યું હતું. સૌરાષ્ટ્ર લોબી અને મહેસાણા લોબી વચ્ચેની ખેંચતાણ બાદ અંતે મહેસાણા લોબીના જશું ચૌધરીના નામ ઉપર મહોર મારવામાં આવી હતી

અંકલેશ્વર ઉદ્યોગ મંડળની ચૂંટણી તાજેતરમાં યોજાઇ હતી. જે બાદ બુધવારના રોજ ઉદ્યોગ મંડળની વાર્ષિક સામાન્ય સભા મળશે. જેમાં પ્રમુખ તરીકેનો સત્તાવાર ચાર્જ સોપવાનો હોઇ આજરોજ પ્રમુખના નામની સત્તાવાર જાહેરાત માટે બેઠક યોજાઇ હતી. બેઠક પહેલા પ્રમુખનો તાજ કોને પહેરાવવો તે માટે સૌરાષ્ટ્ર લોબી અને મહેસાણા લોબી વચ્ચે ખેંચતાણ ચાલી રહી હતી. ગત ટર્મમાં સૌરાષ્ટ્ર લોબીના રમેશ ગાબાણી પ્રમુખ બનતા આ વખતે મહેસાણા લોબીએ જોર વધાર્યું હતું. પ્રમુખ પદની રેસમાં જશું ચૌધરી, હિંમત શેલડિયા અને ચંદુભાઈ કોઠીયાના નામો બહાર આવ્યા હતા. અનેક ખેંચતાણ બાદ આજરોજ મિટિંગમાં અંતે જશું ચૌધરીના નામ ઉપર મહોર મારવામાં આવી હતી. જશું ચૌધરી હાલમાં ભાજપાના નોટિફાઇડ એરિયાના પણ પ્રમુખ છે. તેઓના નામની મહોર વાગ્યા બાદ આવતીકાલે મળનાર એ.જી.એમ. માં તેઓને સત્તાવાર ચાર્જ સોપવામાં આવશે. તેઓના નામની જાહેરાત બાદ સૌ એ તેઓને અભિનંદન પાઠવ્યા હતા.

Next Story