ભરૂચ: નર્મદા નદીની જળ સપાટીમાં વધારો, ડેમમાંથી 63 હજાર ક્યુસેક પાણીની આવક
ગુજરાત | Featured | સમાચાર, સરદાર સરોવર નર્મદા ડેમમાંથી પાણી આવક થતા ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીની જળ સપાટીમાં વધારો થયો છે, જળ સપાટી 14.76 ફૂટે પહોંચી
ગુજરાત | Featured | સમાચાર, સરદાર સરોવર નર્મદા ડેમમાંથી પાણી આવક થતા ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીની જળ સપાટીમાં વધારો થયો છે, જળ સપાટી 14.76 ફૂટે પહોંચી
દરિયા કિનારે કરંટ વધતા મોટા મોજા ઉછળ્યા અને દરિયા કિનારાને અડીને આવેલા બોરસી ગામમાં પ્રોટેક્શન વોલ ન હોવાના કારણે દરિયાનું પાણી ગામમાં ઘૂસી જતા લોકોની સમસ્યા વધી
નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના વાસી અને બોરસી ગામમાં દરિયાના પાણી ફરી વળતા સ્થાનિકોએ હાલાકી વેઠવાનો વારો આવ્યો છે,જ્યારે દરિયા કિનારે પ્રોટેક્શન વોલની માંગ પણ સ્થાનિકો કરી રહ્યા છે.
દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે,સાથે દરિયામાં પણ કરંટ જોવા મળ્યો છે.જોકે બીજની ભરતીને પગલે નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના વાસી અને બોરસી ગામના દરિયા કિનારે કરંટ વધતા મોટા મોજા ઉછળ્યા હતા.અને દરિયા કિનારાને અડીને આવેલા બોરસી ગામમાં પ્રોટેક્શન વોલ ન હોવાના કારણે લોકોની સમસ્યા વધી છે.
ગામમાં દરિયાના પાણી પ્રવેશ કરતા લોકો ભયના નેજા હેઠળ જીવી રહ્યાં છે.ગામમાં પાણી ઘુસી જતા ગ્રામજનો દુવિધા અનુભવી રહ્યા છે. ખારા પાણી ગામમાં આવતા ખેતીને નુકસાન ઉપરાંત તળાવનાં પાણી પણ ખારા થયા હોવાનું સ્થાનિકો કહી રહ્યા છે.વધુમાં ગામના અસ્તિત્વ સામે મોટા સવાલો ઉભા થતા સ્થાનિકો સંરક્ષણ દીવાલની માંગ કરી રહ્યા છે.