ભરૂચ: નર્મદા નદીની જળ સપાટીમાં વધારો, ડેમમાંથી 63 હજાર ક્યુસેક પાણીની આવક

ગુજરાત | Featured | સમાચાર, સરદાર સરોવર નર્મદા ડેમમાંથી પાણી આવક થતા ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીની જળ સપાટીમાં વધારો થયો છે, જળ સપાટી 14.76 ફૂટે પહોંચી

New Update
નર્મદા નદીની જળ સપાટી ફરીવાર વધી
નદીની જળ સપાટી 14 ફૂટને પાર
ડેમમાંથી 63 હજાર ક્યુસેક પાણીની આવક
નદીની ભયજનક સપાટી 24 ફૂટ
ડેમની સપાટી 135 મીટર
સરદાર સરોવર નર્મદા ડેમમાંથી પાણી આવક થતા ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીની જળ સપાટીમાં વધારો થયો છે
ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીની જળ સપાટીમાં ફરી એકવાર વધારો થયેલો જોવા મળી રહ્યો છે. નર્મદા નદીની જળ સપાટી 14.76 ફૂટે પહોંચી છે.નદીનું વોર્નિંગ લેવલ 22 ફૂટ છે જ્યારે ભયજનક સપાટી 24 ફૂટ છે. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમમાંથી 63,755 ક્યુસેક પાણીની આવક થતા નદીની જળ સપાટીમાં વધારો થયો છે. નર્મદા ડેમની જળ સપાટી 135 મીટર નોંધાઈ છે. ડેમમાં પાણીની આવક 86,716 ક્યુસેક છે.તો ગરૂડેશ્વર બ્રિજનું લેવલ 16.34 મીટર નોંધાયુ છે.આ તરફ વિતેલા 24 કલાકમાં ભરૂચ જિલ્લાના કુલ 9 પૈકી 8 તાલુકા કોરાકટ રહ્યા હતા માત્ર વાલીયામાં જ 2 મી.મી.વરસાદ નોંધાયો હતો.
Latest Stories