ભરૂચ : અટાલી આશ્રમથી રહિયાદ સુધી એક કીમીના વિસ્તારમાં વૃક્ષારોપણ
રાજયમાં દર વર્ષે ચોમાસાની શરૂઆતના દિવસોમાં વન મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે. વન મહોત્સવની ઉજવણી તેમજ સીએસઆર પ્રવૃતિના ભાગરૂપે દહેજની ગુજરાત ફલોરો કેમિકલ્સ કંપનીના ઉપક્રમે અટાલી આશ્રમથી રહીયાદ સુધીના એક કીમીના વિસ્તારમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
સમગ્ર વિશ્વ હાલ ગ્લોબલ વોર્મિંગની માઠી અસરોને જોઇ રહયું છે. અમેરિકા અને કેનેડા જેવા ઠંડા પ્રદેશોમાં તાપમાનનો પારો 49 ડીગ્રીને પાર કરી જતાં લોકો ગરમીથી મૃત્યુ પામી રહયાં છે. આવા સંજોગોમાં પર્યાવરણની જોખમાયેલી સંતુલાને ફરીથી બેઠી કરવા માટે વૃક્ષોનું વાવેતર અને તેનો ઉછેર જરૂરી બની ગયો છે. ગુજરાત રાજયની વાત કરવામાં આવે તો દર વર્ષે ચોમાસાની શરૂઆતમાં વન મહોત્સવ ઉજવવામાં આવે છે. જે અંતર્ગત રોડની સાઇડ પર તથા પડતર જગ્યાઓમાં વૃક્ષારોપણ કરાય છે.
દહેજની ગુજરાત ફલોરો કેમિકલ કંપની તરફથી તેની સીએસઆર પ્રવૃતિના ભાગરૂપે અટાલી આશ્રમથી રહીયાદ સુધીના એક કિમીના વિસ્તારમાં વૃક્ષારોપણ કરી પર્યાવરણની જાળવણીમાં પોતાનું યોગદાન આપવામાં આવ્યું હતું. વૃક્ષારોપણના કાર્યક્રમમાં એસીએફ પરેશ ચૌહાણ, કંપનીના યુનિટ હેડ સનથકુમાર, નીરજ અગ્નિહોત્રી, એચઆર એડમીન હેડ ડૉ. સુનિલ ભટ્ટ તથા અન્ય મહેમાનો અને કંપનીના કર્મચારીઓ હાજર રહયાં હતાં. આજે જે વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે તેના જતનની જવાબદારી પણ કંપનીએ સ્વીકારી છે.
ભરૂચ : નર્મદા મૈયા બ્રિજના છેડે ત્રિપલ અકસ્માત, 3 વાહનો એકબીજા સાથે...
5 May 2022 4:27 PM GMTભાવનગર :મહિલા પીએસઆઈ સાથે બનેલ દુષ્કર્મ કેસમાં અનેક ચોકાવનારા ખુલાસા...
3 April 2022 4:59 PM GMTભરૂચ : રાજ્યભરનો પ્રથમ કિસ્સો, શહેરની એક મહિલા કે જેણે વૈજ્ઞાનિક...
8 May 2022 12:38 PM GMTઆણંદ : ખંભાતમાં રામનવમીની શોભાયાત્રા પર પથ્થરમારો, જૂથ અથડામણમાં 1...
10 April 2022 3:17 PM GMTઅંકલેશ્વર:સાયોના કેર કંપનીમાંથી ગુમ યુવાનનો મૃતદેહ 7 દિવસે વિકૃત...
7 April 2022 11:46 AM GMT
રાજ્યમાં આજે કોરોનાના 28 નવા કેસ નોધાયા, 37 દર્દીઑ થયા સાજા
17 May 2022 4:01 PM GMTભરૂચ: ગાંધીના ગુજરાતમાં જંબુસરના આ ગામમાં દારૂના કારણે 100થી વધુ...
17 May 2022 2:23 PM GMTવડોદરા : ફતેપુરા વિસ્તારમાં સરકારી બાબુઓની બાય બાય ચારણીથી કંટાળી...
17 May 2022 2:18 PM GMTભરૂચ: દહેજની જી.એ.સી.એલ કંપનીમાંથી પેલેડીયમ કેટાલિસ્ટ પાઉડર ચોરીનો...
17 May 2022 1:07 PM GMTભરૂચ :દહેજની ભારત રસાયણ કંપનીના બોઇલરમાં બ્લાસ્ટથી ભીષણ આગ ફાટી નીકળી
17 May 2022 12:15 PM GMT