નર્મદા ડેમમાંથી ફરી 1.17 લાખ ક્યુસેક પાણી છોડાયું, ભરૂચમાં નર્મદા નદીની જળ સપાટીમાં વધારો...

સરદાર સરોવર નર્મદા ડેમમાંથી 1.17 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવતા ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીની જળ સપાટીમાં પણ વધારો થયો છે.

New Update

સરદાર સરોવર નર્મદા ડેમમાંથી 1.17 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવતા ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીની જળ સપાટીમાં પણ વધારો થયો છે. આ સાથે જ વહીવટી તંત્ર દ્વારા વિવિધ નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ આપવામાં આવ્યું છે.

ઉપરવાસમાં વરસી રહેલા ભારે વરસાદના પગલે સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની વિપુલ માત્રામાં આવક થઈ રહી છે. જેના પગલે નર્મદા ડેમમાંથી 1.17 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ચોમાસા દરમિયાન ડેમનું લેવલ જાળવવા ડેમના ફરી 9 દરવાજા 0.8 મીટર ખોલવામાં આવ્યા છે. મધ્યપ્રદેશમાં આવેલ ઓમકારેશ્વર ડેમમાંથી 1 લાખ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. રીવર બેડ પાવર હાઉસમાંથી અને ડેમના 9 ગેટ ખોલીને 1 લાખ 17 હજાર ક્યુસેક પાણી નર્મદા નદીમાં ઠાલવવામાં આવ્યું છે. નર્મદા ડેમમાંથી પાણી છોડવામાં આવતા ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીની જળ સપાટીમાં પણ સતત વધારો નોંધાઈ રહ્યો છે. સવારે 10:30 કલાકે નર્મદા નદીની જળ સપાટી 15.32 ફૂટે પહોંચી હતી. ભરૂચ ગોલ્ડન બ્રિજ ખાતે નર્મદા નદીનું વોર્નિંગ લેવલ 22 ફૂટ છેજ્યારે ભયજનક સપાટી 24 ફૂટની છેત્યારે હાલ તો નીચાણવાળા વિસ્તારોને એલર્ટ રહેવા તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે.

Read the Next Article

અંકલેશ્વર: NH 48 પર ટ્રાફિકજામની રોજિંદી સમસ્યા, બિસ્માર માર્ગોના પગલે સમસ્યા

અંકલેશ્વર નેશનલ હાઇવે પર  આમલાખાડી પરના બિસ્માર બ્રિજ અને હાઇવેનો માર્ગ ખખડધજ બનતા સતત ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. અંકલેશ્વર નેશનલ હાઇવે

New Update
MixCollage-09-Jul-2025-08-21-PM-8778

અંકલેશ્વર નેશનલ હાઇવે પર  આમલાખાડી પરના બિસ્માર બ્રિજ અને હાઇવેનો માર્ગ ખખડધજ બનતા સતત ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે.

અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપર આવેલ આમલાખાડી પરનો બ્રિજ છેલ્લા ઘણા સમયથી બિસ્માર બન્યો છે.બીજી તરફ ચોમાસુ જામતા જ હાઇવે પર ખાડાઓની ભરમાર છે.તેવામાં રોજેરોજ ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થતા વાહન ચાલકો હેરાન પરેશાન બન્યા છે.વાહનોનું ભારણ અને બ્રિજ જર્જરિત,રસ્તા પર ખાડાઓ પડતા વાહન ચાલકો પોતાનો કિંમતી સમય સાથે ઇંધણ બગાડી રહ્યા છે.દિવસે દિવસે માથાના દુખાવા સમાન બનેલ આ ટ્રાફિકની સમસ્યા હલ કરવામાં આવે તે જરૂરી છે.તંત્ર યોગ્ય નિરાકરણ લાવે એવી વાહનચાલકો માંગ કરી રહ્યા છે