અંકલેશ્વર નોટીફાઈડ એરિયામાં કૃત્રિમ કુંડમાં 1420 ગણેશ પ્રતિમાનું વિસર્જન કરાયું

ગણેશ વિસર્જન માટે કૃત્રિમ કુંડ તૈયાર કરવામાં આવ્યો છે,જેમાં ગણેશોત્સવના પાંચમાં દિવસે સુરક્ષિત રીતે 1420 જેટલી ગણેશજીની પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું

New Update

અંકલેશ્વરમાં પાંચમાં દિવસે કરાયું ગણેશજીનું વિસર્જન 

નોટીફાઈડ એરિયામાં 1420 પ્રતિમાનું કૃત્રિમ કુંડમાં વિસર્જન

પાંચ ફૂટ સુધીની મૂર્તિનું કરાયું સફળતા પૂર્વક વિસર્જન

સુરક્ષિત અને વિઘ્નરહિત વિસર્જન માટે કૃત્રિમ કુંડની પહેલી પસંદ

પોલીસ બંદોબસ્ત સાથે વિસર્જન પ્રક્રિયા પૂર્ણ કરાઈ 

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર નોટીફાઈડ એરિયા વિસ્તારમાં ESIC હોસ્પિટલ પાસે વિસર્જન માટે કૃત્રિમ કુંડનું નિર્માણ કરવામાં આવ્યું છે,જેમાં ગણેશોત્સવના પાંચમાં દિવસે 1420 જેટલી પ્રતિઓનું સફળતા પૂર્વક અને વિઘ્નરહિત વિસર્જન કરવામાં આવ્યું હતું.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર નોટીફાઈડ એરિયા વિસ્તારમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ESIC હોસ્પિટલ પાસે ગણેશ વિસર્જન માટે કૃત્રિમ કુંડ તૈયાર કરવામાં આવ્યો છે,જેમાં ગણેશોત્સવના પાંચમાં દિવસે સુરક્ષિત રીતે ગણેશ વિસર્જનની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી,પાંચમાં  દિવસે 1420 જેટલી ગણેશજીની પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું,આ કુંડમાં 5 ફૂટ સુધીની પ્રતિમા વિસર્જિત કરવામાં આવી હતી.
નોટીફાઈડ તંત્ર દ્વારા વિસર્જનને વિઘ્નરહિત અને સુરક્ષિત રીતે પાર પાડવા માટે એક ક્રેઈન ગોઠવીને તેની મદદથી વિસર્જન કરવામાં આવ્યું હતું, જ્યારે નોટિફાઈડના અધિકારીઓ,પોલીસ તંત્ર તેમજ ફાયર બ્રિગેડના જવાનોએ વિસર્જનને સફળતા પૂર્વક પૂર્ણ કરવા માટે જહેમત ઉઠાવી હતી.ઉલ્લેખનીય છે કે ગત વર્ષે આજ કુંડમાં 2174 ગણેશજીની મૂર્તિઓ વિસર્જિત કરવામાં આવી હતી. 
Read the Next Article

ભરૂચ: આમોદ ન.પા.માં ભાજપના જ આગેવાન અને કોન્ટ્રાકટરે આત્મવિલોપની ચીમકી ઉચ્ચારી, બાકી પેમેન્ટ માટે ટકાવારી માંગતી હોવાના આક્ષેપ

ભરૂચને આમોદ નગરપાલિકામાં કોન્ટ્રાક્ટર એવા ભાજપના જ આગેવાને બાકી પેમેન્ટ બાબતે 15મી ઓગસ્ટના રોજ આત્મવિલોપન કરી લેવાની ચીમકી ઉચ્ચારતા ખળભળાટ મચી જવા પામ્યો છે

New Update
  • ભરૂચની આમોદ નગરપાલિકાનો વિવાદ

  • કોન્ટ્રાકટરે આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી

  • બાકી પેમેન્ટ ન ચૂકવાતા આક્ષેપ

  • શાસકો ટકાવારી માંગતા હોવાના આક્ષેપ

  • પ્રમુખે તમામ આક્ષેપ ફગાવ્યા

ભરૂચ ને આમોદ નગરપાલિકામાં કોન્ટ્રાક્ટર એવા ભાજપના જ આગેવાને બાકી પેમેન્ટ બાબતે 15મી ઓગસ્ટના રોજ આત્મવિલોપન કરી લેવાની ચીમકી ઉચ્ચારતા ખળભળાટ મચી જવા પામ્યો છે સાથે જ નગરપાલિકાના પ્રમુખથી મારી અધિકારીઓ બાકી પેમેન્ટની ચુકવણી માટે ટકાવારી માંગતા હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યા છે.
ભરૂચની આમોદ નગરપાલિકામાં કોન્ટ્રાક્ટર અને ભાજપના જ  રૂ.14.20 લાખનું પેમેન્ટ બાકી હોવા છતાં ચુકવણી ન થતા ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો વચ્ચે કોન્ટ્રાક્ટરે 15મી ઓગષ્ટના રોજ નગરપાલિકા પરિસરમાં આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારતા ખળભળાટ મચી જવા પામ્યો છે. ભાજપના આગેવાન મૈલેશ મોદી લાંબા સમયથી નગરપાલિકામાં  કોન્ટ્રાકટર તરીકે કામ કરે છે.ભાજપના ન આગેવાન અને કોન્ટ્રાક્ટર મૈલેશ મોદીએ જણાવ્યું હતું 31-10-2023 થી 31-10-2024 દરમિયાન કરેલા સ્વભંડોળના વિકાસ કામોના રૂ.13.10 લાખમાંથી રૂ.12.60 લાખ હજુ બાકી છે, સાથે બીજા સ્વભંડોળના કામની રકમ મેળવી કુલ રૂ.14.20 લાખનું પેમેન્ટ આઠ મહિનાથી અટક્યું છે.
તેઓએ આક્ષેપ કર્યો છે કે બાકી પેમેન્ટ માટે નગરપાલિકાના પ્રમુખ, પદાધિકારીઓ અને અધિકારીઓ ટકાવારી માગે છે.તેમના મુજબ ચીફ ઓફિસર 3%, નગરપાલિકા બોડી 7%, હિસાબી શાખા 3% અને એન્જિનિયર 1% કમિશન લે છે. આ રેશિયો તમામ કોન્ટ્રાક્ટરો માટે નક્કી છે અને નફાકારક કામોમાં સીધો હિસ્સો પણ માંગવામાં આવે છે. 
કોન્ટ્રાકટરે કરેલા આક્ષેપ અંગે આમોદ નગરપાલિકાના પ્રમુખ જલ્પાબેન પટેલે જણાવ્યું હતું કે પેમેન્ટ સ્વભંડોળના અભાવે અટક્યું છે કારણ કે નગરપાલિકાની આવક અને વેરા વસૂલાત ઓછી હોવાથી પગાર અને પી.એફ. ચુકવવામાં મુશ્કેલી પડે છે. સ્વભંડોળ પ્રાપ્ત થયા બાદ કોન્ટ્રાક્ટરને ચુકવણી કરી દેવાશે.