ભરૂચ:માર્ગ સલામતી અને પર્યાવરણની સુરક્ષા સહિતના ઉમદા હેતુ સાથે 20 નાગરિકોની પદયાત્રા

વીસ સભ્યોની ટીમ ઉત્તરાખંડ, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશ પૂર્ણ કર્યા પછી ગુજરાતમાં પહોંચી છે.બાળકો પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરીને લોકોમાં અસરકારક રીતે સંદેશો ફેલાવે છે

New Update
  • લોક જાગૃતિ અર્થે પદયાત્રા ખેડતા સાહસિક નાગરિકો

  • ભરૂચમાં20 પદયાત્રીઓનુંઉમળકાભેર કરાયું સ્વાગત

  • માર્ગ સલામતી,પર્યાવરણની સુરક્ષાનોઆપે છે સંદેશ

  • વધુમાં વધુ વૃક્ષા રોપણમાટે લોકોને કરે છે જાગૃત

  • 11 દેશોમાં 4.46 લાખ કિલોમીટરનું અંતર કર્યું છે કવર

  • પગપાળા દરમિયાન14.50 કરોડ રોપાનું કર્યું વાવેતર

ભરૂચમાંમાર્ગ સલામતી,પર્યાવરણ બચાવો,બેટી બચાવો બેટી પઢાવો,પાણી બચાવો અને વૃક્ષારોપણનોસંદેશો લઈને ભારતના વિવિધ રાજ્યોમાંથી20 નાગરિકોનું જૂથ પદયાત્રા ખેડીને આવી પહોંચ્યું હતું.

ભરૂચમાં પદયાત્રા ખેડીને દેશના20 જાગૃત નાગરિકોનુંએક જૂથ આવી પહોંચ્યું હતુંમાર્ગ સલામતી,પર્યાવરણ બચાવો,બેટી બચાવો બેટી પઢાવો,પાણી બચાવો અને વૃક્ષારોપણનોસંદેશો લઈને ભારતના વિવિધ રાજ્યોમાંથીસાહસિક યુવાનો એક ગ્રુપમાં જોડાયા છે.લોક જાગૃતિ અર્થેવોક શરૂ કરનાર અવધ બિહારી લાલ દ્વારા ડેન્જર્સ એડવેન્ચર એન્ટાવેર્ડના નેજા હેઠળ પદયાત્રા યોજવામાં આવી હતી.

જે પગપાળા પ્રવાસ વિશ્વની સૌથી લાંબી સ્પોર્ટ્સ ટુર છે.અત્યાર સુધીમાં તેમણે11 દેશોમાં 4.46 લાખ કિલોમીટરનું અંતર કવર કર્યું છે.તેઓએ આ પગપાળા પ્રવાસ દરમિયાન 14 કરોડ 50 લાખ રોપા રોપ્યા છે.હાલમાં જીતેન્દ્ર પ્રતાપ,મહેન્દ્ર પ્રતાપ અને ગોવિંદા નંદે તેમની ટીમ સાથે અવધ બિહારી લાલનાઅકસ્માત બાદ પ્રવાસ ચાલુ રાખ્યો છે.

ખાસ કરીને વીસ સભ્યોની ટીમ ઉત્તરાખંડમધ્યપ્રદેશરાજસ્થાન અને ઉત્તર પ્રદેશ પૂર્ણ કર્યા પછી ગુજરાતમાં પહોંચી છે.બાળકો પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરીને લોકોમાં અસરકારક રીતે સંદેશો ફેલાવીને શાળાઓ અને જાહેર સ્થળોએ કાર્યક્રમો કરે છે.અને લોકોને માર્ગ સલામતીના નિયમોનું પાલન કરવા અને વાહન ચલાવતી વખતે હેલ્મેટ પહેરવાની વિનંતી તેમજ પાંચ રોપા રોપવાનોસંદેશો પણ આપી રહ્યાં છે.

Read the Next Article

અંકલેશ્વર નગરપાલિકા દ્વારા રખડતા ઢોર પકડવાની ડ્રાઇવનો પ્રારંભ, ઢોર ડબ્બામાં 14 રખડતા ઢોર પુરાયા....

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં રખડતાં ઢોરની વિકટ સમસ્યા મામલે નગરપાલિકા તંત્ર એક્શનમાં આવ્યું છે. જેમાં ટ્રાફિકને અડચણરૂપ રખડતા ઢોર પકડી અંકલેશ્વર નગરપાલિકાના ઢોર ડબ્બામાં પુરવામાં આવ્યા હતા.

New Update
stray cattlessss

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં રખડતાં ઢોરની વિકટ સમસ્યા મામલે નગરપાલિકા તંત્ર એક્શનમાં આવ્યું છે. જેમાં ટ્રાફિકને અડચણરૂપ રખડતા ઢોર પકડી અંકલેશ્વર નગરપાલિકાના ઢોર ડબ્બામાં પુરવામાં આવ્યા હતા.

ભરૂચ સહિત અંકલેશ્વરમાં રખડતાં ઢોરની વિકટ સમસ્યા માથાના દુઃખાવા સમાન બની ગઈ છે, ત્યારે રખડતા ઢોર મામલે અંકલેશ્વર નગરપાલિકા તંત્ર એક્શનમાં આવ્યું છે. અંકલેશ્વર નગરપાલિકાના ચીફ ઓફિસર કેશવલાલ કોલડિયાના માર્ગદર્શન હેઠળ શહેરમાં રખડતા ઢોર પકડવાની ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે. જેમાં ટ્રાફિકને અડચણરૂપ રખડતા ઢોર પકડી અંકલેશ્વર નગરપાલિકાના ઢોર ડબ્બામાં પુરવામાં આવ્યા હતા. જેમાં ગાય અને વાછરડા સહિત 14 રખડતા ઢોરને ઢોર ડબ્બામાં પુરવામાં આવ્યા હતા. અંકલેશ્વર નગરપાલિકા સેનેટરી ઇન્સ્પેક્ટર રઘુવીરસિંહ મહીડાની રાહબરી હેઠળ સેનીટેશન ખાતાના 4 સુપરવાઈઝર અને 1 મુકાદમ સહિત 5 શ્રમિકો દ્વારા ઢોર પકડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. તો બીજી તરફ, અંકલેશ્વર નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા પશુ પાલકોને તાકીદ કરવામાં આવે છે કે, તમારા પશુઓને ઘરે બાંધીને રાખો અને એને જાહેર રસ્તા ઉપર રખડતા છોડવા નહીં. જો તઓને આપેલ સૂચનાનું પાલન કરવામાં આવશે નહીં, તો જે તે પશુપાલકો વિરુદ્ધ અંકલેશ્વર નગરપાલિકા દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.