ભરૂચ : ભારે પવન સાથેના વરસાદમાં શુક્લતીર્થ નજીક વૃક્ષ ધરાશાયી થઈ વાહનો પર પડતાં 3 લોકોના મોત…

શુક્લતીર્થ ગામના પાટિયા નજીક ભારે પવન સાથે વરસેલા વરસાદમાં મહાકાય વૃક્ષ માર્ગ પર ધરાશાયી થઈને પડતા પસાર થઈ રહેલ કાર અને રિક્ષા વૃક્ષની ભારદાર ડાળીઓ નીચે દબાય હતી.

New Update

ભરૂચજિલ્લાનાશુકલતીર્થગામ નજીકભારે પવન સાથે વરસાદવરસતા ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે.

મળતી માહિતી અનુસાર શુક્લતીર્થ ગામના પાટિયાનજીક ભારે પવન સાથે વરસેલા વરસાદમાંમહાકાય વૃક્ષમાર્ગ પર ધરાશાયી થઈનેપડતાપસાર થઈ રહેલકાર અને રિક્ષાવૃક્ષની ભારદાર ડાળીઓ નીચે દબાય હતી. અકસ્માત એટલો ભયંકર હતો કે,રીક્ષામાં સવાર એકમહિલામુસાફરનુંઘટના સ્થળે જ કમકમાટીભર્યુંમોતનીપજ્યું હતું, જ્યારે અંકલેશ્વરથીકારમાં સવાર થઈમેચ રમવા આવેલકેટલાક યુવાનોને પણઇજાઓ પહોચી હતી.

અકસ્માતના બનાવમાંકારમાં સવાર ડ્રાઈવર સહિતલોકો ફસાયાહતાબનાવની જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સ સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો, જ્યાં કારમાં ફસાયેલાલોકોનેબહાર કાઢવા માટે રેસક્યું હાથ ધરવામાં આવ્યું હતું. JCBની મદદથીકારમાં ફસાયેલા લોકોનેબહાર કાઢી108 એમ્બ્યુલન્સમારફતેસારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતાઅકસ્માતના પગલે ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલ અન્ય ઈજગ્રસ્તોની હાલત પણ ગંભીર હોવાનું જાણવા મળ્યું હતું. જે પૈકી વધુ 2 યુવાનોના સારવાર દરમ્યાન મોત નીપજ્યાં હતા, ત્યારે હાલ તો પોલીસે અકસ્માતે 3 લોકોના મોતનો ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Read the Next Article

અંકલેશ્વર : રામકુંડ તીર્થના પટાંગણમાં ભાજપ દ્વારા વૃક્ષારોપણ થકી ગુરુપૂર્ણિમાના પાવન પર્વની વિશેષ ઉજવણી કરાય...

અંકલેશ્વર શહેરના રામકુંડ ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા ગુરુપૂર્ણિમાના પાવન પર્વની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી રામકુંડ તીર્થના પટાંગણમાં ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું

New Update
Ankleshwa Ramkund

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરમાં રામકુંડ તીર્થના પટાંગણમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા વૃક્ષારોપણ થકી ગુરુપૂર્ણિમાના પાવન પર્વની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી.

મહાભારતના રચયિતા વેદ વ્યાસનો જન્મદિવસ આ દિવસે હોવાથી તેમના સન્માનમાં ગુરુપૂર્ણિમાને વ્યાસ પૂર્ણિમા નામથી પણ ઓળખવામાં આવે છેત્યારે ભરૂચ જિલ્લામાં આજરોજ ઠેર ઠેર ગુરુપૂર્ણિમા પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતીત્યારે અંકલેશ્વર શહેરના રામકુંડ ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા ગુરુપૂર્ણિમાના પાવન પર્વની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી.

ગુરુપૂર્ણિમા નિમિત્તે રામકુંડ તીર્થના પટાંગણમાં ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ સાથે જ વૃક્ષોનું જતન કરી પર્યાવરણની રક્ષા કરવા લોકોને અનુરોધ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે અંકલેશ્વર શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કર્ણા, નગરપાલિકા પ્રમુખ લલિતા રાજપુરોહિતપાલિકા ચેરમેન નિલેશ પટેલ સહિત મોટી સંખ્યામાં પક્ષના હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.