ભરૂચ-અંકલેશ્વરના ૯ જેટલા કુત્રિમ કુંડમાં શ્રીજીની 5 હજારથી પ્રતિમાઓનું વિસર્જન, વૈજ્ઞાનિક ઢબે કરાશે નિકાલ

ભરૂચ-અંકલેશ્વરમાં ૯ કૃત્રિમ કુંડમાં વિસર્જન કરવામાં આવેલ પ્લાસ્ટર ઓફ પેરીસની ગણેશજીની પ્રતિમાઓનું વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવામાં આવશે 

New Update

ભરૂચ અંકલેશ્વરમાં ગણેશ વિસર્જન સંપન્ન

કૃત્રિમ કુંડમાં કરાયુ વિસર્જન

9 કૃત્રિમ કુંડમાં 5 હજાર પ્રતિમાઓનું વિસર્જન

વૈજ્ઞાનિક ઢબે કરાશે નિકાલ

બેઇલ કંપનીમાં પી.ઓ.પી.ની મૂર્તિઓનો કરાશે નિકાલ

ભરૂચ-અંકલેશ્વરમાં ૯ કૃત્રિમ કુંડમાં વિસર્જન કરવામાં આવેલ પ્લાસ્ટર ઓફ પેરીસની ગણેશજીની પ્રતિમાઓનું વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવામાં આવશે 
ભરૂચ અંકલેશ્વર શહેર-તાલુકામાં ગતરોજ અનંત ચૌદશના રોજ તંત્ર દ્વારા ઉભા કરવામાં આવેલ કુત્રિમ કુંડમાં ઈકોફ્રેન્ડલી અને પી.ઓ.પીની પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું.ભરૂચમાં ગણેશ વિસર્જન માટે મકતમપૂર,જેબી મોદી અને ગાયત્રી કુંડ એમ ત્રણ કેટલા કૃત્રિમ કુંડ ઉભા કરવામાં આવ્યા હતા જે ત્રણેય કુંડોમાં અનંત ચૌદશના રોજ મકતમપુરના કુંડમાં ૪૫૬ અને જેબી મોદી પાસેના કૃત્રિમ કુંડમાં ૭૮૬ અને ગાયત્રી મંદિર પાસેના કૃત્રિમ કુંડમાં ૬૨૦ મળી કુલ ૧૮૪૪ મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું.આ તમામ કૃત્રિમ કુંડમાં વિસર્જન કરવામાં આવેલ પ્લાસ્ટર ઓફ પેરીસની ગણેશજીની પ્રતિમાઓનું વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવામાં આવશે.
તો ગતરોજ અનંત ચૌદશના રોજ તંત્ર દ્વારા ઉભા કરવામાં આવેલ કુત્રિમ કુંડમાં ઈકોફ્રેન્ડલી અને પી.ઓ.પીની પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું.અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ ઈ.એસ.આઈ.સી.હોસ્પિટલ સામેના કૃત્રિમ કુંડમાં ૧૦ દિવસ સુધીમાં કુલ ૩૦૭૦ જેટલી શ્રીજીની પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું.જયારે સુરવાડી ગામના તળાવમાં ૩૫૫ અને જળકુંડમાં ૧૮૨ તેમજ જૂની દીવી ગામના બળિયા બાપજીના મંદિર પાસેના કુંડમાં ૪૩૬,સંજાલી ગામના કુંડમાં ૧૩ જેટલી મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું.આમ ભરૂચ-અંકલેશ્વરના ૯ જેટલા કુત્રિમ કુંડમાં ૫ હજારથી વધુ ગણેશજીની પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું.આ પ્રતિમાઓને એકત્રિત કરવા સાથે નોટિફાઇડ ઓથોરીટી અને ડીપીએમસી દ્વારા વૈજ્ઞાનિક ધબે નિકાલ કરવા તૈયારી શરુ કરી છે.અને ભક્તોની લાગણી નહિ દુભાય તેની ખાસ કાળજી રાખી આ તમામ પ્રતિમાઓનું નિકાલ કરવામાં આવશે.
Read the Next Article

સુરત : શિક્ષક પિતાએ બે પુત્રો સાથે અગમ્ય કારણોસર જીવન ટુંકાવ્યું, પોલીસે શરૂ કરી તપાસ,આપઘાતનું કારણ અકબંધ

સુરત શહેરમાં આજે બે કમકમાટીભર્યા સમાચાર સામે આવ્યા છે. આજે સવારે  સુરતના લસકાણા વિસ્તારમાં 34 વર્ષીય મહિલાએ પોતાના સાત વર્ષના દીકરાને ઝેરી દવા પીવડાવી અને

New Update

સુરતમાં સામૂહિક આપઘાતની ઘટના

શિક્ષક પિતાએ બે પુત્રો સાથે કર્યો આપઘાત

આપઘાત પાછળનું કારણ અકબંધ

પિતા પુત્રોના મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાયા 

પોલીસે ઘટના અંગેની શરૂ કરી તપાસ

સુરત શહેરમાં આજે બે કમકમાટીભર્યા સમાચાર સામે આવ્યા છે. આજે સવારે  સુરતના લસકાણા વિસ્તારમાં 34 વર્ષીય મહિલાએ પોતાના સાત વર્ષના દીકરાને ઝેરી દવા પીવડાવી અને બાદમાં તે દવા પોતે પણ પી લીધી હતી. જેમાં માતાનું મોત નીપજ્યું હતું. જ્યારે બાળક સારવાર હેઠળ છે. ત્યારે હવે સુરતના ઉમરા વિસ્તારમાં આવેલી જિલ્લા પંચાયત ક્વાર્ટરમાં એક અત્યંત કરુણ ઘટના સામે આવી છે. અહીં એક પિતાએ પોતાના બે માસૂમ પુત્રો સાથે જીવનનો અંત આણ્યો છે. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

સુરતના ડિંડોલની મેરીમાતા સ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા અલ્પેશ કાંતિભાઈ સોલંકી ઉં.વ. 41 મૂળ સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાના ચિઠોડા ગામના વતની છે,અને હાલ સુરતમાં પરિવાર સાથે રહે છે. મૃતક શિક્ષક અલ્પેશ સોલંકીએ પોતાના 2 વર્ષીય પુત્ર કર્નિશ અલ્પેશભાઈ સોલંકી અને 8 વર્ષીય પુત્ર ક્રીશીવ અલ્પેશભાઈ સોલંકી સાથે આપઘાત કરી લેતાં શોકનો માહોલ છવાયો છે. ગુરુવારે મોડી સાંજે તેમના ક્વાર્ટરમાંથી કોઈ પ્રતિસાદ ન મળતાં પાડોશીઓને શંકા ગઈ હતી. જ્યારે દરવાજો તોડીને અંદર જોયું તો ત્રણેય મૃત હાલતમાં મળી આવ્યા હતા. બંને બાળકોના મૃતદેહ બેડ પર મૃત અવસ્થામાં મળી આવ્યા હતાજ્યારે અલ્પેશભાઇની ડેડબોડી લટકતી હાલતમાં મળી આવી હતી.

આપઘાતનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. પોલીસને ઘટનાસ્થળેથી કોઈ સુસાઇડ નોટ મળી નથી. પ્રાથમિક તપાસમાં અગમ્ય કારણોસર આ પગલું ભર્યું હોવાનું મનાઈ રહ્યું છે. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપીને વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટના પાછળ કયું કારણ જવાબદાર છે તે જાણવા પોલીસે શિક્ષકના પરિવારજનો અને મિત્રોની પૂછપરછ શરૂ કરી છે.