ભરૂચ: SOGની 7 ટીમોએ 44 બાંગ્લાદેશી ઘુષણખોરોને ઝડપી પાડ્યા, પોલીસ હેડક્વાર્ટર ખાતે પૂછપરછ શરૂ કરાય

સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપની કુલ 7 અલગ અલગ ટીમોએ ભરૂચના વિવિધ વિસ્તારોમાં દરોડા પાડી ઘુષણખોરીના આરોપ હેઠળ કુલ 44 બાંગ્લાદેશી નાગરિકોને ઝડપી લીધા

New Update
  • ભરૂચ પોલીસની મોટી કાર્યવાહી

  • જિલ્લામાં ચલાવાયું સર્ચ ઓપરેશન

  • 7 ટીમોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું

  • 44 બાંગ્લાદેશીઓ ઝડપાયા

  • તમામની પૂછપરછ શરૂ કરાય

ભરૂચ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપની ટીમે મેગા સર્ચ ઓપરેશન હાથ ધરી જિલ્લામાંથી 44 બાંગ્લાદેશી ઘુષણખોરોને ઝડપી પાડવામાં આવ્યા હતા પહેલગામ હુમલાના પગલે દેશભરમાં સુરક્ષા એજન્સીઓ સતર્ક બની ગઈ છે.ભરૂચમાંઘુષણખોરોને શોધી કાઢવા તંત્ર એક્શન મોડમાં છે. સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા બાંગ્લાદેશી ઘુષણખોરો સામે એક મેગા સેર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
48 કલાકના સતત અભિયાનમાં કુલ 7 અલગ અલગ ટીમોએ ભરૂચના વિવિધ વિસ્તારોમાં દરોડા પાડી ઘુષણખોરીના આરોપ હેઠળ કુલ 44 બાંગ્લાદેશી નાગરિકોને ઝડપી લીધા છે. ઝડપાયેલા લોકોમાં 11 પુરુષ, 18 મહિલા અને 15 બાળકોનો સમાવેશ થાય છે.ભરૂચ પોલીસ હેડક્વાર્ટર ખાતે તમામ વિદેશી નાગરિકોની પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે. 
Read the Next Article

ભરૂચ જિલ્લાની 67 ગ્રામપંચાયતોમાં રવિવારે ચૂંટણી યોજાશે, કુલ 18 પંચાયત સમરસ જાહેર

ગ્રામ પંચાયતો માટે સામાન્ય અને પેટાચૂંટણી યોજાનાર છે.  જે પૈકી ભરૂચ જિલ્લામાં ૦૯ તાલુકામાં ૬૭ ગ્રામ પંચાયતોમાં સામાન્ય/મધ્યસત્ર/પેટા ચૂંટણી યોજાશે. જયારે ૧૮ ગ્રામ પંચાયતો સંપૂર્ણ બિનહરીફ જાહેર થઈ

New Update
Bharuch Grampanchayat Election
રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા રાજ્યમાં ૨૨મી જૂનના રોજ આઠ હજારથી વધુ ગ્રામ પંચાયતો માટે સામાન્ય અને પેટાચૂંટણી યોજાનાર છે.  જે પૈકી ભરૂચ જિલ્લામાં ૦૯ તાલુકામાં ૬૭ ગ્રામ પંચાયતોમાં સામાન્ય/મધ્યસત્ર/પેટા ચૂંટણી યોજાશે. જયારે ૧૮ ગ્રામ પંચાયતો સંપૂર્ણ બિનહરીફ જાહેર થઈ હતી.ભરૂચ જિલ્લાના વિવિધ તાલુકાઓમાં તા.૦૧/૦૪/૨૦૨૨થી તા.૩૦/૦૬/૨૦૨૫ સુધીની મુદત પુરી થતી પંચાયતો ભરૂચ જિલ્લાની ૨૧૩ ગ્રામ પંચાયતોની ચૂંટણી પૈકી ૬૩ સામાન્ય,  ૦૫ વિસર્જન, અને પેટા ૧૪૫ મળી કુલ ૨૧૩ ગ્રામ પંચાયતોમાં ચૂંટણી યોજાનાર હતી. 
      
આગામી તા.૨૨/૦૬/૨૦૨૫ના રોજ ભરૂચ જિલ્લાના તાલુકાઓમાં કુલ ૬૭ ગ્રામ પંચાયતો માટેની ચૂંટણી યોજાનાર છે. તેમજ કુલ-૬૮ પંચાયતો પૈકી ૧૮ ગ્રામ પંચાયતો સંપૂર્ણ બિનહરીફ વિજેતા થઈ છે. જેમાં આમોદ તાલુકાની ૦૩, વાગરાની ૦૧, ભરૂચ તાલુકાની ૦૧ અંકલેશ્વરની ૦૪, હાંસોટ તાલુકાની ૦૭, ઝઘડીયા તાલુકાની ૦૨  ગ્રામ પંચાયતોમાં બિનહરીફ જીત જાહેર થઈ છે. કુલ ૧૭૪ મતદાન મથકોમાં મતદાન યોજાશે. આ ચૂંટણીમાં નોટાનો અમલ કરવામાં આવશે.આ ચૂંટણીમાં બેલેટ પેપરનો ઉપયોગ કરવામાં આવશે..