ભરૂચ : નેત્રંગના ખરેઠા ગામે શંકાસ્પદ ચાંદીપુરાથી 3 વર્ષના બાળકનું મોત, ધાણીખૂંટના બાળકનો રિપોર્ટ નેગેટિવ

ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના ખરેઠા ગામે શંકાસ્પદ ચાંદીપુરા કેસના કારણે 3 વર્ષના માસૂમ બાળકનું મોત નિપજ્યું છે, જ્યારે ધાણીખૂટ ગામના બાળકનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.

New Update

ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના ખરેઠા ગામે શંકાસ્પદ ચાંદીપુરા કેસના કારણે 3 વર્ષના માસૂમ બાળકનું મોત નિપજ્યું છેજ્યારે ધાણીખૂટ ગામના બાળકનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.

ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના ખરેઠા ગામ ખાતે 3 વર્ષના બાળકને ખૂબ તાવ અને ખેચ આવતા તેમાં ચાંદીપુરા વાયરસ જેવા શંકાસ્પદ લક્ષણો દેખાતા તાત્કાલિક ધોરણે બાળકને સારવાર અર્થે વડોદરાની ગોત્રી હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવ્યો હતોજ્યાં સારવાર દરમ્યાન તા. 26 જુલાઇએ બપોરના સમયે તેનું મોત નિપજ્યું હતું. બાળકને ચાંદીપુરા પોઝીટીવ હતો કેકેમ તેનો રિપોર્ટ આવતા હજુ 5 દિવસનો સમય લાગશે. જોકેરિપોર્ટ આવતા પૂર્વે જ બાળકનું મોત નિપજ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કેઆ અગાઉ નેત્રંગ તાલુકાના ધાણીખૂંટ ગામેથી ચાંદીપુરા વાયરસનો શંકાસ્પદ કેસ મળી આવ્યો હતો. જોકેઆ બાળકનો રિપોર્ટ નિગેટિવ આવતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે.

Read the Next Article

ભરૂચ: જિલ્લા પંચાયતની ગ્રાન્ટમાંથી વાલિયાના 9 ગામોને પાણીના ટેન્કર અર્પણ કરાયા

15માં નાણાપંચની ગ્રાન્ટમાંથી મંજુર થયેલ પાણીના 9 ટેન્કર ધારાસભ્ય રિતેશ વસાવા અને જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીના હસ્તે અર્પણ કરવામાં આવ્યા

New Update
  • ભરૂચના વાલિયા ખાતે યોજાયો કાર્યક્રમ

  • 9 ગામોને પાણીના ટેન્કર અર્પણ કરાયા

  • જિલ્લાપંચાયતની ગ્રાન્ટમાંથી ટેન્કર આપવામાં આવ્યા

  • ધારાસભ્ય રિતેશ  રહ્યા ઉપસ્થિત

  • ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીએ પણ આપી હાજરી

ભરૂચની વાલિયા ગ્રામ પંચાયત કચેરી ખાતે 15માં નાણાપંચની ગ્રાન્ટમાંથી મંજુર થયેલ પાણીના 9 ટેન્કર ધારાસભ્ય રિતેશ વસાવા અને જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીના હસ્તે અર્પણ કરવામાં આવ્યા હતા.
ભરૂચ જિલ્લા પંચાયતની 15માં નાણાપંચ 10 ટકાની ગ્રાન્ટમાંથી વાલિયા-ડહેલીના સભ્ય અલ્પેશ વસાવા અને શાહીસ્તાબેન કડીવાલાના સમન્વયથી વાલિયા,વટારીયા,કોંઢ,ઘોડા,પણસોલી,હોલા કોતર,મોખડી,દેસાડ,ડહેલી સહિત 9 ગામોને 3500 લીટરની ક્ષમતા ધરાવતા પીવાના પાણીના 9 ટેન્કર મંજુર થયા હતા.જે  ધારાસભ્ય રિતેશ વસાવા અને જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીના હસ્તે સરપંચોને અર્પણ કરવામાં આવ્યા હતાં.
આ કાર્યક્રમમાં જિલ્લા સંગઠન મંત્રી જીજ્ઞેશ મિસ્ત્રી,તાલુકા પંચાયત પ્રમુખ સીતાબેન વસાવા,ધરમસિંહ વસાવા તેમજ તાલુકા ભાજપ પ્રમુખ પૃથ્વીરાજસિંહ ગોહિલ,મહામંત્રી પ્રદીપસિંહ ભરથાણીયા,રતિલાલ વસાવા સહિત આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા.