ભરૂચ: નેત્રંગના મોટા માલપોર ગામે આબા જન જાતીય ગ્રામ ઉત્કર્ષ અભિયાન અંતર્ગત કેમ્પ યોજાયો

જન નાયક બિરસા મુંડાની જન્મ જયંતી નિમિત્તે ધરતી આબા જન જાતીય ગ્રામ ઉત્કર્ષ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો જેમાં વિવિધ  યોજનાઓનો લાભ લાભાર્થીઓએ લીધો

New Update
  • ભરૂચના નેત્રંગ ખાતે કરવામાં આવ્યું આયોજન

  • નેત્રંગના મોટા માલપોર ગામે કેમ્પ યોજાયો

  • વિવિધ યોજનાના લાભાર્થીઓએ લીધો લાભ

  • વહીવટી તંત્રના અધિકારીઓ રહ્યા ઉપસ્થિત

  • અન્ય ગામોમાં પણ કેમ્પનું કરાશે આયોજન

ભરૂચના નેત્રંગ તાલુકાના મોટા માલપોર ગામ ખાતે ધરતી આબા જન જાતીય ગ્રામ ઉત્કર્ષ અભિયાન અંતર્ગત વિવિધ યોજનાના લાભાર્થીઓ માટે કેમ્પ યોજાયો હતો. જન નાયક બિરસા મુંડાની જન્મ જયંતી નિમિત્તે ધરતી આબા જન જાતીય ગ્રામ ઉત્કર્ષ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
જે અંતર્ગત ભરૂચના નેત્રંગ તાલુકાના મોટા માલપોર ગામ ખાતે રેશનકાર્ડમાં નામ કમી કરાવવા અને નવા રેશન કાર્ડ કઢાવવા,વિધવા સહાય યોજના, વૃંદ્ધ પેન્શન યોજના,સંકટમોચન યોજના,વ્હાલી દીકરી યોજના,રેશનકાર્ડ E-KYC ,ફાર્મર રજીસ્ટ્રેશન ,70 વર્ષ થી વયના સિનિયર સિટીઝનને આયુષ્યમાન  વંદના કાર્ડ,ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાં,એનસીડી કેમ્પ ,ઉજ્વલા ગેસ કનેક્શન જેવી વિવિધ  યોજનાઓનો લાભ લાભાર્થીઓએ લીધો હતો.
આ કેમ્પમાં મામલતદાર રીતેશ કોકણી,વિકાસ અધિકારી સાહિલ પટેલ અને આરોગ્ય અધિકારી એ.એન.સિંગ તેમજ ગામના લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.આ કેમ્પ મોરિયાણા સહીત અન્ય ગામોમાં પણ યોજાશે.
Read the Next Article

ભરૂચ : નંદેલાવ બ્રિજ નીચે કેમિકલ ભરેલું કન્ટેનર પિલર સાથે ધડાકાભેર અથડાતા મંગલદીપ સોસાયટીની દિવાલ તૂટી

ભરૂચની મઢુલી ચોકડી નજીક કેમિકલ ભરેલ કન્ટેનરના ચાલકે નવા બ્રિજના પિલરને ટક્કર મારી હતી. ત્યારબાદ કન્ટેનર મંગલદીપ સોસાયટીની કમ્પાઉન્ડ વોલ સાથે અથડાતા અફરાતફરી મચી હતી

New Update
  • નંદેલાવ બ્રિજ પાસે સર્જાયો અકસ્માત

  • બેલગામ કન્ટેનર બ્રિજના પિલરમાં ભટકાયું

  • પિલર બાદ મંગલદીપ સોસાયટીમાં પણ અથડાયું

  • સોસાયટીના મંદિરની દીવાલ તૂટતા નુકસાન

  • જાનહાની ટળતા લોકોએ લીધો રાહતનો શ્વાસ

ભરૂચની મઢુલી ચોકડી નજીક કેમિકલ ભરેલ કન્ટેનરના ચાલકે નવા બ્રિજના પિલરને ટક્કર મારી હતી. ત્યારબાદ કન્ટેનર મંગલદીપ સોસાયટીની કમ્પાઉન્ડ વોલ સાથે અથડાતા અફરાતફરી મચી હતી.
 
ભરૂચ દહેજ બાયપાસ માર્ગ પર નંદેલાવ પાસે નવા બ્રિજ નીચે ગુરુવારે એક ગંભીર અકસ્માત થયો હતો. હજીરા અદાણીથી કેમિકલ ભરેલું કન્ટેનર દહેજ સ્થિત મેઘમણી કંપનીમાં જઈ રહ્યું હતું. એ દરમિયાન કન્ટેનર ચાલકનો સ્ટિયરિંગ પર નિયંત્રણ ખોરવાતા કન્ટેનર સીધું નવા પિલરને અથડાઈને સીધુ મંગલદીપ સોસાયટીની મંદિરે જોડાયેલી કમ્પાઉન્ડ વોલમાં ટકરાયું હતું.

આ અકસ્માતમાં બ્રિજના પિલર સાથે સાથે મંદિરની દિવાલને પણ ગંભીર નુકસાન થયું હતું. જોકે, ઘટના દરમિયાન કોઈપણ જાતની જાનહાની ન પહોંચતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. કન્ટેનરનો ચાલક દ્વારા કન્ટેનરને બેલગામ દોડાવવામાં આવી રહ્યું હતું.ઘટનાના પગલે સ્થળ પર તાત્કાલિક ફાયર વિભાગ તથા પોલીસ દોડી આવી હતી. ભારે વજનના કેમિકલ ભરેલા કન્ટેનરને સ્થળ પરથી દૂર કરવા ત્રણ હાઇડ્રાની મદદ લેવાઈ હતી. લાંબા સમય બાદ માર્ગ પર સર્જાયેલો ટ્રાફિક પુનઃ રાબેતા મુજબ થયો હતો.મંગલદીપ સોસાયટીના પ્રમુખ જીતુ  પ્રજાપતિએ જણાવ્યું હતું કે,કન્ટેનર અમારા મંદિરની દીવાલ તોડી ઘૂસી ગયું હતું. સદનસીબે કોઈ વ્યક્તિ ત્યાં નહોતી. પરંતુ આવી ઘટનાઓથી ભવિષ્યમાં વધુ ગંભીર પરિસ્થિતિ ઉભી ન થાય એ માટે પગલાં લેવા જરૂરી છે.