અંકલેશ્વર: પ્રદેશ ભાજપના મહામંત્રી પ્રશાંત કોરાટનો અભિવાદન સમારોહ યોજાયો, વિવિધ સંસ્થાઓ દ્વારા કરાયુ સન્માન

અંકલેશ્વર ખાતે વિવિધ સંસ્થાઓ દ્વારા પ્રદેશ ભાજપના મહામંત્રી અને દક્ષિણ ઝોનના પ્રભારી તરીકે નિમણુંક પામેલ ડો.પ્રશાંત કોરાટનો અભિવાદન સમારોહ યોજાયો

New Update
  • અંકલેશ્વરમાં કરવામાં આવ્યું આયોજન

  • જીઆઈડીસીમાં કરાયુ આયોજન

  • વિવિધ સંસ્થાઓ દ્વારા આયોજન

  • મહામંત્રી પ્રશાંત કોરાટનું કરાયુ સન્માન

  • મંત્રી ઇશ્વરસિંહ પટેલ રહ્યા ઉપસ્થિત

અંકલેશ્વર નોટિફાઇડ એરિયામાં દક્ષિણ ગુજરાત ઝોન પ્રભારી તરીકે નિમણુંક પામેલ અને પ્રદેશ મહામંત્રી ડો.પ્રશાંત કોરાટનો સમસ્ત ઔદ્યોગિક સમાજ અને વિવિધ સામાજિક સંસ્થાઓના સ્નેહીજનો દ્વારા અભિવાદન સમારોહ યોજાયો હતો.જેમાં વિવિધ સંસ્થાઓ અને ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના પ્રતિનિધિઓએ મહામંત્રી ડો.પ્રશાંત કોરાટનું સન્માન કરી આવકાર્યા હતા.
આ અભિવાદન સમારોહમાં મંત્રી ઈશ્વરસિંહ પટેલએ ડો.પ્રશાંત કોરાટના પિતા સ્વ.સવજી કોરાટને યાદ કરી તેઓના પુત્રએ પણ પિતાની જેમ જ પાર્ટીમાં ખૂબ સારી કામગીરી કરી રહ્યા હોવાનું જણાવ્યું હતું.આ કાર્યક્રમમાં ભાજપના જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી,પૂર્વ મંત્રી ખુમાનસિંહ વાંસિયા,પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલ,ગંગાદાસ બાપુ,નોટિફાઇડ એરિયા ભાજપ પ્રમુખ જય તેરૈયા,પૂર્વ પ્રમુખ જશું ચૌધરી સહિતના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
Latest Stories