ભરૂચ ખાતે શિક્ષણનીતિમાં માતૃભાષાનું મહત્વ વટથી ગુજરાતી કાર્યક્રમ યોજાયો

ભરૂચના ઝાડેશ્વર સ્થિત બી.એ.પી.એસ.સ્વામિનારાયણ મંદિરના હોલ ખાતે શિક્ષણનીતિમાં માતૃભાષાનું મહત્વ વટથી ગુજરાતી કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.

New Update

ભરૂચના ઝાડેશ્વર સ્થિત બી.એ.પી.એસ.સ્વામિનારાયણ મંદિરના હોલ ખાતે શિક્ષણનીતિમાં માતૃભાષાનું મહત્વ વટથી ગુજરાતી કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.

ભરૂચના ઝાડેશ્વર ખાતેના બી.એ.પી.એસ સ્વામિનારાયણ મંદિરના હોલ ખાતે ભરૂચ જિલ્લા પંચાયત, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરી, જિલ્લા શિક્ષણાધિકારી કચેરી તથા માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાનના સંયુક્ત ઉપક્રમે નવી શિક્ષણનીતિમાં માતૃભાષાનું મહત્વ વટથી ગુજરાતી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે સાહિત્યકાર સાંઈરામ દવે, ઉપરાંત શ્યામલ મુનશી,સૌમિલ મુનશી, આરતી મુનશી, તુષાર શુક્લ તેમજ લોકગાયક અભેસિંહ રાઠોડ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.  

ગાયક અને સાહિત્યકાર સાંઈરામ દવે, ઉપરાંત શ્યામલ મુનશી,સૌમિલ મુનશી,આરતી મુનશી, તુષાર શુક્લ તેમજ લોકગાયક અભેસિંહ રાઠોડે વિશેષ ઉપસ્થિત રહી તેઓની ચિરપરિચિત શૈલીમાં ગુજરાતી ભાષાની અસ્મિતા અને આવશ્યકતાને વર્ણવી નવી શિક્ષણ નીતિમાં માતૃભાષાનું મહત્વ સમજાવ્યું હતું. જેનો જિલ્લાની વિવિધ શાળાઓના 400થી વધુ શિક્ષકમિત્રોએ લાભ લીધો હતો.આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી પ્રશાંત જોષી, જિલ્લા શિક્ષણાધિકારી સ્વાતિબા રાઓલ , જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સચિન શાહ તેમજ માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાન, ભરૂચના સંયોજક ડો.મહેશ ઠાકર સહિત અન્ય શિક્ષણ ક્ષેત્રના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Read the Next Article

ભરૂચ : પોલીસ દ્વારા હોસ્ટેલ ગ્રાઉન્ડ પર ભવ્ય નવરાત્રીનું મહોત્સવનો પ્રારંભ, IG સંદીપ સિંહે કર્યું પૂજન અર્ચન

ભરૂચ પોલીસ વેલ્ફેર સોસાયટી દ્વારા શહેરના મધ્યમાં આવેલ હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે ભવ્ય નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેનું વડોદરા રેન્જના આઈ.જી સંદીપસિંહના

New Update

નવ નવેલી રાતનો આજથી પ્રારંભ

ભરૂચ પોલીસ દ્વારા ભવ્ય આયોજન

હોસ્ટેલ ગ્રાઉન્ડ પર ગરબા મહોત્સવનું આયોજન

પૂજન અર્ચન સાથે પ્રારંભ કરાયો

પોલીસ અધિકારીઓ- કર્મચારીઓ રહ્યા ઉપસ્થિત

ભરૂચ પોલીસ વેલ્ફેર સોસાયટી દ્વારા શહેરના મધ્યમાં આવેલ હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે ભવ્ય નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેનું વડોદરા રેન્જના આઈ.જી સંદીપસિંહના હસ્તે પૂજન અર્ચન કરી પ્રારંભ કરવામાં આવ્યો હતો
ભરૂચ શહેરમાં જગત જનનીમાં જગદંબાની ભક્તિ અને આરાધનાના પર્વ નવરાત્રીનો આજથી પ્રારંભ થયો છે ત્યારે ભરૂચ પોલીસ દ્વારા શહેરના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ નવરાત્રી મહોત્સવ યોજાઈ રહ્યો છે ત્યારે વડોદરા રેન્જના આઈ.જી.સંદીપસિંહ અને ભરૂચ જિલ્લા પોલીસવડા અક્ષય રાજ મકવાણાના હસ્તે શાસ્ત્રોક્તવિધિ અનુસાર પૂજન અર્ચન કરી ગરબા મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે પોલીસ અધિકારીઓ કર્મચારીઓ તેમજ શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.ખેલૈયાઓ સુરક્ષા ને સલામતી સાથે ગરબા રમી શકે તે માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. ખાસ કરીને મહિલાઓ માટે હેલ્પ ડેસ્ક તથા આરોગ્યની સુવિધા પણ ઊભી કરવામાં આવી છે. નવરાત્રિના નવ દિવસ ભરૂચ પોલીસ દ્વારા આયોજિત નવરાત્રી મહોત્સવમાં ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમશે.