ભરૂચ: જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે માતૃ-પિતૃ વંદના કાર્યક્રમ યોજાયો, વિદ્યાર્થીઓએ કર્યું માતા-પિતાનું પૂજન

જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે માતૃ-પિતૃ પૂજન દિવસની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી. માતા ઘરનું માંગલ્ય છે, તો પિતા ઘરનું અસ્તિત્વ છે. માતા-પિતાની સેવા કરવી, તેમનું સન્માન કરવું તે બાળકોની નૈતિક ફરજ છે.

New Update
  • જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે કરાયું આયોજન

  • માતૃ-પિતૃ પૂજન દિવસની ઉજવણી કરવામાં આવી

  • વિદ્યાર્થીઓએ માતા-પિતાની વિશેષ પૂજા-અર્ચના કરી

  • માતા-પિતાના ચરણ સ્પર્શ કરી સન્માન વ્યક્ત કરાયું

  • માતૃ-પિતૃ વંદના દરમ્યાન લાગણીસભર દ્રશ્યો સર્જાયા

ભરૂચ શહેરના ભોલાવ વિસ્તાર સ્થિત જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે માતૃ-પિતૃ પૂજન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં વિદ્યાર્થીઓએ માતા-પિતાની પૂજા અને ચરણ સ્પર્શ કરી આદર સહિત સન્માન વ્યક્ત કર્યું હતું.

ભરૂચ શહેરના ભોલાવ વિસ્તાર સ્થિત જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે આજે તા. 14 ફેબ્રુઆરી-2025ના રોજ માતૃ-પિતૃ પૂજન દિવસની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી. માતા ઘરનું માંગલ્ય છેતો પિતા ઘરનું અસ્તિત્વ છે. માતા-પિતાની સેવા કરવીતેમનું સન્માન કરવું તે બાળકોની નૈતિક ફરજ છે.

આંગળી પકડીને શાળામાં મૂકતા માતા-પિતાની ઘડપણની લાકડી પોતાના બાળકો બને તેવા સંસ્કારનું સિંચન કરતા માતૃ-પિતૃ પૂજનના કાર્યક્રમની શરૂઆત મંત્રોચ્ચાર અને દીપ પ્રજ્વલન થકી કરવામાં આવી હતી. ત્યારબાદ વિદ્યાર્થીઓએ તેમના માતા-પિતાની પૂજા અને તેમના ચરણ સ્પર્શ કરી સન્માન વ્યક્ત કર્યું કર્યું હતું. શાળામાં માતૃ-પિતૃ વંદના કાર્યક્રમ વેળા લાગણીસભર દ્રશ્યો પણ સર્જાયા હતા.

આ સાથે જ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા માતા-પિતાના મહિમા અંગે સંવેદનાત્મક કાવ્યોભજનો અને વક્તવ્યો રજૂ કરવામાં આવ્યા હતા. જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલના ગુજરાતી માધ્યમના આચાર્યા મેઘના ટંડેલએ ઉદ્દબોધનમાં જણાવ્યું હતું કે, "માતા-પિતા આપણાં પ્રથમ દૈવ છે. તેમની સેવા અને સન્માન કરવું એ આપણા જીવનનો મુખ્ય ધર્મ છે." તેમણે તમામ વિદ્યાર્થીઓને માતા-પિતાની સેવા અને સન્માનની સંસ્કૃતિ અપનાવવા માટે પ્રેરણા આપી હતી.

આ વિશેષ કાર્યક્રમમાં શાળાના GSCB અંગ્રેજી માધ્યમના આચાર્યા સિમી વાધવા, CBSC વિભાગના આચાર્યા રેખા શીલકે સહિત તમામ શિક્ષકોશાળા સંચાલકો તેમજ મોટી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Read the Next Article

ભરૂચ: નર્મદા પરિક્રમાવાસીઓ માટે CM ભુપેન્દ્ર પટેલનો મહત્વનો નિર્ણય, હાંસોટના વમલેશ્વરમાં 100091 ચો.મી.જમીન ફાળવાય

ભરૂચના હાંસોટના વમલેશ્વર ખાતે નર્મદા પરિક્રમા પથના યાત્રાધામોના વિકાસ માટે મુખ્યમંત્રીએ મહત્વપૂર્ણ નિર્ણય લઈ 10091 ચો. મીટર જમીનની ફાળવણી કરી છે.

New Update
bhupendra

ભરૂચના હાંસોટના વમલેશ્વર ખાતે નર્મદા પરિક્રમા પથના યાત્રાધામોના વિકાસ માટે મુખ્યમંત્રીએ મહત્વપૂર્ણ નિર્ણય લઈ 10091 ચો. મીટર જમીનની ફાળવણી કરી છે.

નર્મદા પરિક્રમા માર્ગ પર આવેલા યાત્રાધામો અને પરિક્રમાપથ ખાતે યાત્રાધામોના વિકાસની કામગીરી અર્થે પ્રવાસન ખાતા (ઉદ્યોગ અને ખાણ) વિભાગને વહીવટી હુકમ- 3 હેઠળ જમીન તબદીલ કરી આપવામાં આવી છે.ગુજરાત રાજ્યમાં નર્મદા પરિક્રમા આગવી ઓળખ સાથે ધાર્મિક મહત્વ ધરાવે છે. વમલેશ્વર યાત્રાધામ સહિત નર્મદા પરિક્રમા માર્ગ પર આવેલા અને પરિક્રમાપથના યાત્રાધામોના વિકાસથી ગુજરાત અને મઘ્યપ્રદેશ રાજ્યના હજારો પરિક્રમાવાસીઓ અને શ્રદ્ધાળુને પડતી વિવિધ મુશ્કેલીઓ હવે ભૂતકાળ બનશે.રાજ્ય સરકારના આ સંવેદનશીલ નિર્ણયથી ખરા અર્થમાં ભરૂચ જિલ્લામાં પ્રવાસન વિભાગને પ્રોત્સાહન મળશે તેમજ સ્થાનિકોને પણ તેનો લાભ થનાર છે. નર્મદા પરિક્રમા માર્ગ પર આવેલા યાત્રાધામો અને પરિક્રમાપથ ખાતે યાત્રાધામોના વિકાસની કામગીરી અર્થે મહત્વનો નિર્ણય લઇ જમીન ફાળવવાની મુખ્યમંત્રીએ મંજૂરી આપી છે. પ્રવાસન ખાતા દ્વારા વમલેશ્વર ખાતે સર્વે નંબર 553 ની 10091 ચોરસ મીટર જમીન ફાળવવા અંગે સરકારમાં માંગણી કરવામાં આવી હતી. જેને અનુલક્ષી મુખ્યમંત્રીએ આ નિર્ણય કર્યો છે.
ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકામાં આવેલું વમલેશ્વર ધાર્મિક સ્થળોમાં ખૂબ વિખ્યાત યાત્રાધામ છે. આ યાત્રાધામ સાથે નર્મદા પરિક્રમા ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. વહીવટી મંજૂર હુકમ 3 હેઠળ તબદીલ કરતા મુખ્યમંત્રીનો આ નિર્ણય મહત્વપૂર્ણ બની રહેશે.