ભરૂચ: જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે માતૃ-પિતૃ વંદના કાર્યક્રમ યોજાયો, વિદ્યાર્થીઓએ કર્યું માતા-પિતાનું પૂજન

જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે માતૃ-પિતૃ પૂજન દિવસની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી. માતા ઘરનું માંગલ્ય છે, તો પિતા ઘરનું અસ્તિત્વ છે. માતા-પિતાની સેવા કરવી, તેમનું સન્માન કરવું તે બાળકોની નૈતિક ફરજ છે.

New Update
  • જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે કરાયું આયોજન

  • માતૃ-પિતૃ પૂજન દિવસની ઉજવણી કરવામાં આવી

  • વિદ્યાર્થીઓએ માતા-પિતાની વિશેષ પૂજા-અર્ચના કરી

  • માતા-પિતાના ચરણ સ્પર્શ કરી સન્માન વ્યક્ત કરાયું

  • માતૃ-પિતૃ વંદના દરમ્યાન લાગણીસભર દ્રશ્યો સર્જાયા

Advertisment

ભરૂચ શહેરના ભોલાવ વિસ્તાર સ્થિત જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે માતૃ-પિતૃ પૂજન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં વિદ્યાર્થીઓએ માતા-પિતાની પૂજા અને ચરણ સ્પર્શ કરી આદર સહિત સન્માન વ્યક્ત કર્યું હતું.

ભરૂચ શહેરના ભોલાવ વિસ્તાર સ્થિત જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે આજે તા. 14 ફેબ્રુઆરી-2025ના રોજ માતૃ-પિતૃ પૂજન દિવસની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી. માતા ઘરનું માંગલ્ય છેતો પિતા ઘરનું અસ્તિત્વ છે. માતા-પિતાની સેવા કરવીતેમનું સન્માન કરવું તે બાળકોની નૈતિક ફરજ છે.

આંગળી પકડીને શાળામાં મૂકતા માતા-પિતાની ઘડપણની લાકડી પોતાના બાળકો બને તેવા સંસ્કારનું સિંચન કરતા માતૃ-પિતૃ પૂજનના કાર્યક્રમની શરૂઆત મંત્રોચ્ચાર અને દીપ પ્રજ્વલન થકી કરવામાં આવી હતી. ત્યારબાદ વિદ્યાર્થીઓએ તેમના માતા-પિતાની પૂજા અને તેમના ચરણ સ્પર્શ કરી સન્માન વ્યક્ત કર્યું કર્યું હતું. શાળામાં માતૃ-પિતૃ વંદના કાર્યક્રમ વેળા લાગણીસભર દ્રશ્યો પણ સર્જાયા હતા.

આ સાથે જ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા માતા-પિતાના મહિમા અંગે સંવેદનાત્મક કાવ્યોભજનો અને વક્તવ્યો રજૂ કરવામાં આવ્યા હતા. જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલના ગુજરાતી માધ્યમના આચાર્યા મેઘના ટંડેલએ ઉદ્દબોધનમાં જણાવ્યું હતું કે, "માતા-પિતા આપણાં પ્રથમ દૈવ છે. તેમની સેવા અને સન્માન કરવું એ આપણા જીવનનો મુખ્ય ધર્મ છે." તેમણે તમામ વિદ્યાર્થીઓને માતા-પિતાની સેવા અને સન્માનની સંસ્કૃતિ અપનાવવા માટે પ્રેરણા આપી હતી.

આ વિશેષ કાર્યક્રમમાં શાળાનાGSCB અંગ્રેજી માધ્યમના આચાર્યા સિમી વાધવા, CBSC વિભાગના આચાર્યા રેખા શીલકે સહિત તમામ શિક્ષકોશાળા સંચાલકો તેમજ મોટી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Read the Next Article

ભરૂચ: વાલિયાના કનેરાવ ગામની સીમમમાં સોલાર પ્લાન્ટમાંથી રૂ.10 લાખના માલમત્તાની ચોરી, પોલીસે તપાસ શરૂ કરી

ભરૂચના વાલિયાના કનેરાવ ગામની સીમમાં આવેલ બે અલગ અલગ સોલાર પ્લાન્ટમાંથી ડી.સી.કેબલ અને અર્થિગ રોડ સહિત 10 લાખના મુદ્દામાલની ચોરી કરી અજાણ્યા ઈસમો

New Update
Screenshot_2025-08-16-18-16-46-98_6012fa4d4ddec268fc5c7112cbb265e7

ભરૂચના વાલિયાના કનેરાવ ગામની સીમમાં આવેલ બે અલગ અલગ સોલાર પ્લાન્ટમાંથી ડી.સી.કેબલ અને અર્થિગ રોડ સહિત 10 લાખના મુદ્દામાલની ચોરી કરી અજાણ્યા ઈસમો ફરાર થઇ ગયા હતા.

Advertisment
ભરૂચના વાલિયા તાલુકાના કનેરાવ ગામની સીમમાં દહીં તળાવ ઉજ્જવલ ટેકસટાઇલ્સ સોલાર પ્લાન્ટ આવેલ છે.જે સોલાર પ્લાન્ટમાં તસ્કરો ત્રાટકયા હતા.અને ડી.સી.કેબલ અને ઇન્વેટર મળી કુલ 6.96 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.જ્યારે નજીકમાં જ આવેલ કોનીકા ઇન્ટિમાં પ્રાઇવેટ લિમિટેડ સોલાર પ્લાન્ટમાં પણ થોડા દિવસો પહેલા કમ્પાઉન્ડની અંદર પ્રવેશ કરી અજાણ્યા તસ્કરોએ ડી.સી.કેબલ અને ઇન્વેટર મળી કુલ 3.92 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.બંને ચોરી અંગે વાલિયા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.