ભરૂચ : ગણેશ સુગર-વટારીયા ખાતે ગ્રામ પ્રતીનિધિઓ અને ખેડૂતો સાથે આગામી શેરડી પિલાણ સિઝન અંગે મિટિંગ યોજાય...

ભરૂચ જિલ્લાના વાલિયાના વટારિયા  ખાતેની શ્રી ગણેશ સુગર  ખાતે સંસ્થાના ગ્રામ પ્રતિનિધિ અને ખેડૂત સભાસદ મિત્રો સાથે આગામી શેરડી પિલાણ સીઝનના આયોજનના ભાગરૂપે એક મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું.

New Update
IMG

ભરૂચ જિલ્લાના વાલિયાના વટારિયા  ખાતેની શ્રી ગણેશ સુગર  ખાતે સંસ્થાના ગ્રામ પ્રતિનિધિ અને ખેડૂત સભાસદ મિત્રો સાથે આગામી શેરડી પિલાણ સીઝનના આયોજનના ભાગરૂપે એક મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું.

IMG111

સમગ્ર બેઠકમાં સંસ્થાના ચેરમેન મહેન્દ્રસિંહ મહીડાવાઇસ ચેરમેન પુષ્પેન્દ્રસિંહ સુણવાડિરેકટર મેહુલભાઈ પટેલજીતેન્દ્રસિંહ જાદવહરેન્દ્રસિંહ ખેરજયદીપસિંહ પરમારનિલેશ પટેલ તેમજ અધિકારીગણ અને મોટી સંખ્યામાં ગ્રામપ્રતિનિધિઓ સહિત ખેડૂત સભાસદો અને આગેવાનો હાજર રહ્યા હતા. ચેરમેન મહેન્દ્રસિંહ મહિડાએ પાછલા બોર્ડના વહીવટ અને હાલની સંસ્થાની પરિસ્થિતિનો ચિતાર ગ્રામ પ્રતિનિધિ અને સભાસદો સમક્ષ રજૂ કર્યો હતો.

તેઓએ ચર્ચા કરતા જણાવ્યું હતું કેપાછલા બોર્ડની ગેરવહીવટની નીતિની અસર આજે પણ સુગર ફેક્ટરી ભોગવી રહી છે. કરોડો રૂપિયા ફસાઈ જવાથી વર્કિંગ કેપિટલની ઉણપની સીધી અસર સંસ્થા પર પડી છેતેવા સંજોગોમાં સંસ્થામાં હાલમાં જે વહીવટી ખર્ચ આવે છેતેમાં ઘટાડો કરવા ઉપરાંત કરકસરથી વહીવટ કરીને આવનારા સમયમાં પોષણક્ષમ શેરડીના ભાવ કરતા વધુ ભાવ ખેડૂતોને મળે એવી કસ્ટોડિયન કમિટીની ભાવના અને પ્રયત્ન છે. સાથે આવનારા સમયમાં ખેડૂતોની જીવાદોરી સમાન આ સંસ્થાને બચાવવા માટે ખેડૂત સભાસદોને સંસ્થા હિતમાં સાથ સહકાર આપવા આહવાન કર્યું હતું. વાઇસ ચેરમેનશ્રી પુષ્પેન્દ્રસિંહ સુણવાએ જણાવ્યું હતું કેકેટલાક વિઘ્ન સંતોષીઓ સંસ્થા અને કસ્ટોડિયન કમિટીને બદનામ કરવાના હેતુથી સભાસદોને ગેરમાર્ગે દોરવાના પ્રયત્નો કરી રહ્યા છેતે અંગે તેઓએ જણાવ્યું હતું કેજે કોઈ સભાસદોને સંસ્થાના વહીવટ અંગે જરા પણ અસંતોષ જણાય તો સંસ્થાના ચોપડા તેઓ માટે ખુલ્લા છે.

Latest Stories