અંકલેશ્વરના ભડકોદ્રા નજીક થ્રી વ્હિલ ટેમ્પોમાંથી શંકાસ્પદ એલ્યુમિનિયમના કેબલનો જથ્થો ઝડપાયો

અંકલેશ્વરના ભડકોદ્રા ગામ નજીકથી જીઆઇડીસી પોલીસે થ્રી વ્હિલ ટેમ્પોમાંથી શંકાસ્પદ એલ્યુમિનિયમના કેબલના જથ્થા સાથે એક ઈસમની અટકાયત કરી 1 લાખ 56 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો

New Update
  • એલ્યુમિનિયમના કેબલ ચોરીની આશંકા

  • ભડકોદ્રા પાસેથી શંકાસ્પદ કેબલનો જથ્થો ઝડપાયો

  • પોલીસે કરી એક ઇસમની ધરપકડ

  • થ્રી વ્હીલર ટેમ્પો સહિત રૂ.1.54 લાખનો મુદ્દામલ જપ્ત

  • પોલીસે વધુ તપાસ હાથ ધરી 

 ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના ભડકોદ્રા ગામ નજીકથી જીઆઇડીસી પોલીસે થ્રી વ્હિલ ટેમ્પોમાંથી શંકાસ્પદ એલ્યુમિનિયમના કેબલના જથ્થા સાથે એક ઈસમની અટકાયત કરી હતી,અને રૂપિયા 1 લાખ 56 હજારનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ મથકનો સ્ટાફ ઉત્તરાયણ પર્વના બંદોબસ્ત દરમિયાન નેશનલ હાઇવેની બાજુમાં ભડકોદરા ખાતે એક થ્રી વ્હીલર ટેમ્પોમાં શંકાસ્પદ એલ્યુમિનિયમના કેબલો ભરેલા હોવાની માહિતી મળી હતી.

જે માહિતીના આધારે જીઆઇડીસી પોલીસે ટેમ્પાને ઝડપી લીધો હતોપોલીસે હાલ ભડકોદ્રા ગામ ખાતે રહેતા ટેમ્પો ચાલક ફરમાનઅલી જિલેદાર શેખને એલ્યુમિનિયમના કેબલના જથ્થા અંગે આધાર-પુરાવા માંગતા તેણે રજુ ન કરતા તેની અટકાયત કરી હતી.અને પોલીસે રૂપિયા 56 હજારનો એલ્યુમિનિયમ કેબલનો જથ્થો અને એક લાખનો થ્રી વ્હીલર ટેમ્પો મળીને કુલ રૂપિયા 1 લાખ 56 હજારનો મુદ્દામાલ કબ્જે કરી ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Read the Next Article

અંકલેશ્વર : અંદાડા ખાતે સંત નિરંકારી મિશન દ્વારા મહારક્તદાન શિબિર યોજાઈ,70 જેટલા રકતદાતાઓએ કર્યું બ્લડ ડોનેટ

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના અંદાડા ગામના પટેલ સ્મૃતિ ભવન ખાતે સંત નિરંકારી ચેરીટેબલ ફાઉન્ડેશન દિલ્હી ઝોન દ્વારા મહારક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

New Update
  • અંદાડામાં યોજાઈ મહારક્તદાન શિબિર

  • સંત નિરંકારી મિશન દ્વારા કરાયું આયોજન

  • રેડક્રોસ બ્લડ બેંકના સહયોગથી કરાયું આયોજન

  • 70થી વધુ રક્તદાતાઓએ કર્યું રક્તદાન  

  • સંસ્થા દ્વારા વર્ષમાં બે વખત કરાય છે આયોજન

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના અંદાડા ગામના પટેલ સ્મૃતિ ભવન ખાતે સંત નિરંકારી ચેરીટેબલ ફાઉન્ડેશન દિલ્હી ઝોન દ્વારા મહારક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભરૂચની રેડક્રોસ બ્લડ બેંકના સહયોગથી સંત નિરંકારી મિશનના સભ્યો દ્વારા 70થી વધુ યુનિટનું રક્તદાન કરવામાં આવ્યું હતું. આ સંસ્થા દ્વારા વર્ષમાં બે વખત રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવે છે,અને સંસ્થાના સભ્યો ઉત્સાહભેર રક્તદાન કરે છે.

આ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી .જેમાં અંદાડા ગામના સરપંચ નીરૂ પટેલ ,સંત નિરંકારી ચેરીટેબલ ફાઉન્ડેશન ઝોન અંકલેશ્વરના સંયોજક આર પી ગુપ્તા વડોદરાના જ્ઞાનપ્રચારક મહાત્મા ચીમન પરમાર,બબન મહાદિક ,સંત નિરંકારી મિશન અને મંડળના સભ્યો તેમજ ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.