અંકલેશ્વરના ભડકોદ્રા નજીક થ્રી વ્હિલ ટેમ્પોમાંથી શંકાસ્પદ એલ્યુમિનિયમના કેબલનો જથ્થો ઝડપાયો

અંકલેશ્વરના ભડકોદ્રા ગામ નજીકથી જીઆઇડીસી પોલીસે થ્રી વ્હિલ ટેમ્પોમાંથી શંકાસ્પદ એલ્યુમિનિયમના કેબલના જથ્થા સાથે એક ઈસમની અટકાયત કરી 1 લાખ 56 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો

New Update
  • એલ્યુમિનિયમના કેબલ ચોરીની આશંકા

  • ભડકોદ્રા પાસેથી શંકાસ્પદ કેબલનો જથ્થો ઝડપાયો

  • પોલીસે કરી એક ઇસમની ધરપકડ

  • થ્રી વ્હીલર ટેમ્પો સહિત રૂ.1.54 લાખનો મુદ્દામલ જપ્ત

  • પોલીસે વધુ તપાસ હાથ ધરી 

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના ભડકોદ્રા ગામ નજીકથી જીઆઇડીસી પોલીસે થ્રી વ્હિલ ટેમ્પોમાંથી શંકાસ્પદ એલ્યુમિનિયમના કેબલના જથ્થા સાથે એક ઈસમની અટકાયત કરી હતી,અને રૂપિયા 1 લાખ 56 હજારનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ મથકનો સ્ટાફ ઉત્તરાયણ પર્વના બંદોબસ્ત દરમિયાન નેશનલ હાઇવેની બાજુમાં ભડકોદરા ખાતે એક થ્રી વ્હીલર ટેમ્પોમાં શંકાસ્પદ એલ્યુમિનિયમના કેબલો ભરેલા હોવાની માહિતી મળી હતી.

જે માહિતીના આધારે જીઆઇડીસી પોલીસે ટેમ્પાને ઝડપી લીધો હતોપોલીસે હાલ ભડકોદ્રા ગામ ખાતે રહેતા ટેમ્પો ચાલક ફરમાનઅલી જિલેદાર શેખને એલ્યુમિનિયમના કેબલના જથ્થા અંગે આધાર-પુરાવા માંગતા તેણે રજુ ન કરતા તેની અટકાયત કરી હતી.અને પોલીસે રૂપિયા 56 હજારનો એલ્યુમિનિયમ કેબલનો જથ્થો અને એક લાખનો થ્રી વ્હીલર ટેમ્પો મળીને કુલ રૂપિયા 1 લાખ 56 હજારનો મુદ્દામાલ કબ્જે કરી ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Read the Next Article

ભરૂચ: અપનાઘર સોસા.માં દુષિત પાણીના કારણે રહીશોના આરોગ્ય સામે ખતરો, નગરપાલિકા પ્રશ્નનું નિરાકરણ લાવે એવી માંગ

ભરૂચ અપનાઘર સોસાયટીના રહીશોએ જણાવ્યું હતું કે તેમને પીવા માટે મળતું નળનું પાણી ગંદું અને અસ્વચ્છ છે જેના કારણે આરોગ્યની તકલીફો વધી રહી છે.

New Update
  • ભરૂચની અપનાઘર સોસાયટીનો બનાવ

  • દુષિત પાણીના કારણે રહીશો પરેશાન

  • સ્થાનિકોના આરોગ્ય સામે ખતરો

  • અધિકારીઓ પાણીના નમૂના લઈ જતા રહ્યા

  • હજુ સુધી પ્રશ્નનું કોઈ નિરાકરણ નહીં

ભરૂચ નગર સેવા સદનની હદમાં આવેલ આપના ઘર સોસાયટીમાં દુષિત પાણીના કારણે રહીશોના આરોગ્ય સામે ખતરો ઉભો થયો છે. ભરૂચ નગરપાલિકા હદ વિસ્તારમાં આવેલ અપના ઘર સોસાયટીના રહીશો હાલ પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. આ અંગે સોસાયટીના રહીશોએ જણાવ્યું હતું કે તેમને પીવા માટે મળતું નળનું પાણી ગંદું અને અસ્વચ્છ છે જેના કારણે આરોગ્યની તકલીફો વધી રહી છે.
છેલ્લા કેટલાક સમયથી નળમાંથી આવતું પાણી ગંદુ છે જેના કારણે સોસાયટીમાં માંદગીનું પ્રમાણ વધ્યુ છે.આ અંગે સ્થાનિકો નગરપાલિકામાં વારંવાર રજુઆત કરી હોવા છતા પ્રશ્નનું કોઈ નિરાકરણ ન આવતું હોવાના સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે.સ્થાનિક મનહરભાઈના જણાવ્યા અનુસાર અધિકારીઓ દ્વારા પાણીના સેમ્પલ તો લેવામાં આવ્યા છે પરંતુ હજુ સુધી તેનો રિપોર્ટ આવ્યો નથી અને નળમાંથી ગંદુ પાણી આવવાનું હજુ પણ યથાવત જ છે.