અંકલેશ્વરના ભડકોદ્રા નજીક થ્રી વ્હિલ ટેમ્પોમાંથી શંકાસ્પદ એલ્યુમિનિયમના કેબલનો જથ્થો ઝડપાયો

અંકલેશ્વરના ભડકોદ્રા ગામ નજીકથી જીઆઇડીસી પોલીસે થ્રી વ્હિલ ટેમ્પોમાંથી શંકાસ્પદ એલ્યુમિનિયમના કેબલના જથ્થા સાથે એક ઈસમની અટકાયત કરી 1 લાખ 56 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો

New Update
  • એલ્યુમિનિયમના કેબલ ચોરીની આશંકા

  • ભડકોદ્રા પાસેથી શંકાસ્પદ કેબલનો જથ્થો ઝડપાયો

  • પોલીસે કરી એક ઇસમની ધરપકડ

  • થ્રી વ્હીલર ટેમ્પો સહિત રૂ.1.54 લાખનો મુદ્દામલ જપ્ત

  • પોલીસે વધુ તપાસ હાથ ધરી 

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના ભડકોદ્રા ગામ નજીકથી જીઆઇડીસી પોલીસે થ્રી વ્હિલ ટેમ્પોમાંથી શંકાસ્પદ એલ્યુમિનિયમના કેબલના જથ્થા સાથે એક ઈસમની અટકાયત કરી હતી,અને રૂપિયા 1 લાખ 56 હજારનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ મથકનો સ્ટાફ ઉત્તરાયણ પર્વના બંદોબસ્ત દરમિયાન નેશનલ હાઇવેની બાજુમાં ભડકોદરા ખાતે એક થ્રી વ્હીલર ટેમ્પોમાં શંકાસ્પદ એલ્યુમિનિયમના કેબલો ભરેલા હોવાની માહિતી મળી હતી.

જે માહિતીના આધારે જીઆઇડીસી પોલીસે ટેમ્પાને ઝડપી લીધો હતોપોલીસે હાલ ભડકોદ્રા ગામ ખાતે રહેતા ટેમ્પો ચાલક ફરમાનઅલી જિલેદાર શેખને એલ્યુમિનિયમના કેબલના જથ્થા અંગે આધાર-પુરાવા માંગતા તેણે રજુ ન કરતા તેની અટકાયત કરી હતી.અને પોલીસે રૂપિયા 56 હજારનો એલ્યુમિનિયમ કેબલનો જથ્થો અને એક લાખનો થ્રી વ્હીલર ટેમ્પો મળીને કુલ રૂપિયા 1 લાખ 56 હજારનો મુદ્દામાલ કબ્જે કરી ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Read the Next Article

ભરૂચ: કોંગ્રેસના સંગઠન સૃજન અભિયાનનો પ્રારંભ, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીની તૈયારી

રાહુલ ગાંધીના માર્ગદર્શન હેઠળ જાહેર કરાયેલા 2025 સંગઠન વર્ષ અંતર્ગત શરૂ કરાયેલ સંગઠન સૃજન અભિયાનનો ભરૂચ જિલ્લામાં પ્રારંભ કરવામાં આવ્યો...

New Update
  • ભરૂચમાં કરવામાં આવ્યો પ્રારંભ

  • સંગઠન સૃજન અભિયાનનો પ્રારંભ કરાયો

  • ન.પા.ના વોર્ડ નંબર 1થી પ્રારંભ કરાયો

  • ચૂંટણીને ધ્યાને લઇ સંગઠન વધુ મજબૂત બનાવાશે

આવનારા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીને ધ્યાનમાં રાખી કોંગ્રેસ દ્વારા ભરૂચ શહેરમાં સંગઠન સુજન અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે જેમાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
ભરૂચ ઓલ ઈન્ડિયા કોંગ્રેસ સમિતિ દ્વારા રાહુલ ગાંધીના માર્ગદર્શન હેઠળ જાહેર કરાયેલા 2025 સંગઠન વર્ષ અંતર્ગત શરૂ કરાયેલ સંગઠન સૃજન અભિયાનનો ભરૂચ જિલ્લામાં પ્રારંભ કરવામાં આવ્યો છે. ભરૂચ શહેરમાં આ અભિયાનનું સત્તાવાર લોન્ચિંગ વોર્ડ નંબર 1થી કરવામાં આવ્યું હતું.આ લોન્ચિંગ બાદ શહેરના તમામ વોર્ડમાં તબક્કાવાર રીતે કોંગ્રેસ સમિતિના સભ્યો સાથે બેઠક યોજવાની શરૂઆત કરવામાં આવી છે.
આ બેઠકમાં ભરૂચ જિલ્લા કોંગ્રેસના પ્રભારી મનહર પટેલ અને ધનસુખ રાજપૂત દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.સમીક્ષા બેઠકમાં 2027ની આવનારી નગરપાલિકા ચૂંટણીને કેન્દ્રમાં રાખી વિગતવાર ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. આ  પ્રસંગે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા, શહેર પ્રમુખ સલીમ અમદાવાદી, વિપક્ષના નેતા સમસાદ સૈયદ સહિતના આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા.