ભરૂચ : પાંચબત્તી નજીક પુરઝડપે જઈ રહેલ રીક્ષાએ વૃદ્ધ મહિલાને મારી ટક્કર, મહિલા ગંભીર રીતે ઇજાગ્રસ્ત

ભરૂચના સ્ટેશન રોડ પર પાંચબત્તી નજીક રીક્ષા ચાલકે વૃદ્ધાને અડફેટે લેતા તેમને ગંભીર ઈજા પહોંચી હતી. ઇજાગ્રસ્ત વૃદ્ધાને સારવાર અર્થે  ખસેડવામાં આવ્યા છે.

New Update
  • ભરૂચમાં અકસ્માતનો બનાવ સામે આવ્યો

  • પાંચબત્તી નજીક અકસ્માત સર્જાયો

  • રીક્ષાચાલકે વૃદ્ધ મહિલાને મારી ટક્કર

  • મહિલાને ગંભીર ઇજા

  • અકસ્માત સર્જી રીક્ષાચાલક ફરાર

ભરૂચ શહેરમાં અકસ્માતનો વધુ એક બનાવ સામે આવ્યો છે. શહેરના સ્ટેશન રોડ પર પાંચબત્તી નજીક આવેલ પાનમ પ્લાઝા પાસે એક વૃદ્ધ મહિલા રિક્ષામાંથી ઉતરી રોડ ક્રોસ કરી રહ્યા હતા.
આ દરમિયાન પુરઝડપે પસાર થઈ રહેલ અન્ય રિક્ષાના ચાલકે મહિલાને  ટક્કર મારતા મહિલા રોડ પર પટકાયા હતા જેમાં તેઓને ગંભીર ઈજા પહોંચી હતી આ તરફ અકસ્માત સર્જી રીક્ષા ચાલક ફરાર થઈ ગયો હતો. આ દ્રશ્યો જોતા સ્થાનિકોના ટોળા ભેગા થઈ ગયા હતા અને ઇજાગ્રસ્ત વૃદ્ધ મહિલાને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બનાવની જાણ થતાની સાથે જ એ ડિવિઝન પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે.
Read the Next Article

ભરૂચ: પ્લેન દુર્ઘટનામાં મૃત્યુ પામેલ પૂર્વ CM વિજય રૂપાણીને શ્રધ્ધાસુમન અર્પણ કરાયા, શોકસભાનું કરાયુ આયોજન

ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી માટે શોકસભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભાજપના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા 

New Update
  • ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન

  • ભાજપ દ્વારા શોકસભાનું આયોજન

  • સ્વ.વિજય રૂપાણીને શ્રદ્ધાસુમન અર્પણ કરાયા

  • ભાજપના આગેવાનો રહ્યા ઉપસ્થિત

  • સ્વ.વિજય રૂપાણીના કાર્યોને યાદ કરાયા

ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી માટે શોકસભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભાજપના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા 
તાજેતરમાં વિમાન દુર્ઘટનામાં અવસાન પામેલા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી માટે ભરૂચ શહેરમાં શોકસભાનું આયોજન કરવામાં આવ્યું હતું.
શોકસભામાં ભરૂચના સાંસદ મનસુખ વસાવા, જિલ્લાના ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણા, જંબુસરના ધારાસભ્ય ડી.કે. સ્વામી,પૂર્વ ધારાસભ્ય અને સંઘ પ્રદેશ ભાજપના પ્રભારી દુષ્યંત પટેલ, પૂર્વ પ્રમુખ મારુતિસિંહ અટોદરીયા સહિતના આગેવાનોએ ઉપસ્થિત રહી પુર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.શોકસભામાં પક્ષના કાર્યકરો તથા વિભિન્ન સમાજના પ્રતિનિધિઓએ પણ હાજરી આપી દુઃખની લાગણી વ્યક્ત કરી હતી. કાર્યક્રમના અંતે સૌએ પ્રાર્થના કરી સ્વ.વિજય રૂપાણીના આત્માને શાંતિ મળે તે માટે પ્રાર્થના કરી હતી.