ભરૂચ જીલ્લામાં  સેવાભાવી સંસ્થાઓની ગૌરીવ્રતને લઈને અનોખી પહેલ

ભરૂચમાં કાર્યરત જન હિતાર્થ ચેરીટેબલ ટ્રસ્ટ ભરૂચ દ્વારા ગૌરીવ્રતને લઈ વ્રત કરતી બાળાઓને મહેંદી મૂકી આપતા બાળાઓના ચહેરા ઉપર અનેરી ખુશી નજરે પડી હતી.

New Update

ભરૂચમાં કાર્યરત જન હિતાર્થ ચેરીટેબલ ટ્રસ્ટ ભરૂચ દ્વારા ગૌરીવ્રતને લઈ વ્રત કરતી બાળાઓને મહેંદી મૂકી આપતા બાળાઓના ચહેરા ઉપર અનેરી ખુશી નજરે પડી હતી. કોઈ સેવાભાવી સંસ્થા દ્વારા બાળાઓનો ગૌરીવ્રત પ્રત્યે ઉત્સાહ ઉમંગ વધારવા માટેની પહેલ પણ આવકારદાયક છે.

જન હિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચ દ્વારા ગૌરીવ્રતના પાવન પર્વ નિમિત્તે જુના ભરૂચના લલ્લુભાઈ ચકલા વિસ્તારમાં આવેલ નવાડેરા મિશ્ર શાળાની વિદ્યાર્થીનીઓને નિઃશુલ્ક મહેંદી મુકવાનો કાર્યક્રમ યોજાયો હતો સાથે જ બાળાઓના હાથ ઉપર ગૌરી વ્રતને લઈ લગાવવામાં આવેલી મહેંદીથી બાળાઓના ચહેરા ઉપર જે મુસ્કુરાહટ હતી તે જાણે સાચા અર્થમાં માનવસેવા એ જ પ્રભુ સેવાનું સંદેશો આપી રહી હતી. 

બાળાઓના હાથ ઉપર મહેંદી મુકવા માટે શાળા આચાર્યો અને શિક્ષકોએ પણ સારો સહકાર આપ્યો હતો. મહેંદી મુકનાર યુવતીઓમાં પણ અનેરો આનંદ અને ઉમંગ જોવા મળ્યો હતો.સાથે જ બાળાઓના હાથમાં મહેંદી મૂકવામાં આવતા જ બાળાઓ પણ ખુશખુશાલ જોવા મળી હતી.આ કાર્યક્રમમાં ભરૂચ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને મહિલા બાળ વિકાસ સમિતિના ચેરમેન સુરભીબેન તમાકુવાલા, ભરૂચ નગરપાલિકાના સેનેટરી ચેરમેન હેમાલી રાણા, વોર્ડ નં ૧૧ના નગરસેવક ચિરાગ ભટ્ટ તેમજ જન હિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચના પ્રમુખ નીતિન માને, ઉપ પ્રમુખ જીજ્ઞાશા ગોસ્વામી માને તેમજ ટ્રસ્ટના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

Read the Next Article

અંકલેશ્વર: ખરોડ ગામે યુવાનની હત્યા કરનાર આરોપીની ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ, અગાઉ થયેલ માથાકૂટની રીસ રાખી હત્યા કરાય

અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામેથી મળી આવેલ મૃતદેહના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે પોલીસે યુવાનની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

New Update

અંકલેશ્વરના ખરોડમાં મળી આવ્યો હતો મૃતદેહ

હત્યા થઈ હોવાનું આવ્યું બહાર

પોલીસે હત્યારાની કરી ધરપડક

અગાઉના ઝઘડાની રીસ રાખી કરાય હત્યા

પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી


અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામેથી મળી આવેલ મૃતદેહના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે પોલીસે યુવાનની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અંકલેશ્વરના ખરોડ ગામની સીમમાં આવેલ બાકરોલ વગામાં ખેતરના શેઢા ઉપર અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ વિકૃત હાલતમાં મળી આવ્યો હતો.આ બાબતે પાનોલી પોલીસે ગુનો નોંધી મૃત્યુનું કારણ જાણવા તપાસ શરૂ કરી હતી.આ તરફ ક્રાઇમ બ્રાન્ચ પણ તપાસમાં જોડાય હતી દરમ્યામ પોલીસને બાતમી મળી હતી કે આ ગુનામાં  અક્કલકુવાનો શંકર મોવરીયા વસાવા નામનો ઈસમ સંડોવાયો છે જે અંકલેશ્વર તથા પાનોલી વિસ્તારમા છુટક મજુરી કરે છે.પોલીસે હ્યુમન ઇન્ટેલીજન્સના આધારે આરોપીની ખરોડ નજીકથી ધરપકડ કરી હતી. પોલીસની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો. આ મામલામાં મરણ જનાર ઇસમે થોડા દિવસ અગાઉ મારમારી 1500 રૂપિયા લૂંટી લીધા હતા જેની રીસ રાખી આરોપી શંકર વસાવાએ મૃતકને શોધી તેને મજૂરી કામ અપાવવાના બહાને ખરોડ ગામની સીમમાં લઈ ગયો હતો અને ત્યાં પથ્થરના ઘા મારી હત્યા કર્યા બાદ તેના વતન ફરાર થઇ ગયો હતો.પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.