અંકલેશ્વર: ગણેશ મહોત્સવમાં રેલવે સ્ટેશનની આબેહૂબ પ્રતિકૃતિ,શ્રીજી બન્યા ટીકીટ ચેકર !

અંકલેશ્વરના જોશીયા ફળિયા યુવક મંડળ દ્વારા ગણેશ મહોત્સવમાં રેલવે સ્ટેશનની આબેહૂબ પ્રતિકૃતિ બનાવવામાં આવી છે જેમાં શ્રીજીને ટિકિટ ચેકરના રૂપમાં દર્શાવવામાં આવ્યા છે

New Update

અંકલેશ્વરના જોશીયા ફળિયા યુવક મંડળ દ્વારા ગણેશ મહોત્સવમાં રેલવે સ્ટેશનની આબેહૂબ પ્રતિકૃતિ બનાવવામાં આવી છે જેમાં શ્રીજીને ટિકિટ ચેકરના રૂપમાં દર્શાવવામાં આવ્યા છે

અંકલેશ્વરમાં વિવિધ થીમ અને ડેકોરેશન આધારિત ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે અંકલેશ્વર શહેરના જોશીયા ફળિયા યુવક મંડળ દ્વારા અંકલેશ્વર રેલ્વે સ્ટેશનની પ્રતિકૃતિ ઊભી કરવામાં આવી છે.ગણેશ પંડાલમાં રેલવે સ્ટેશનની પ્રતિકૃતિ બનાવવામાં આવી છે જેમાં દુંદાળા દેવ શ્રી ગણેશને ટિકિટ ચેકરના રૂપમાં દર્શાવવામાં આવ્યા છે તો સાથે જ મૂષકરાજને મુસાફર અને કુલીના રૂપમાં દર્શાવવામાં આવ્યા છે.રેલવે સ્ટેશનના સ્ટોલ, ટ્રેન,એનાઉસમેન્ટ સિસ્ટમ અને પ્લેટફોર્મ સહિતની  આબેહૂબ પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવી છે જે લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની રહી છે

Read the Next Article

ભરૂચ : વરસાદથી ક્ષતિગ્રસ્ત અંકલેશ્વર-ઝઘડીયા-રાજપીપલા સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા માર્ગનું યુદ્ધના ધોરણે સમારકામ

ભરૂચ જિલ્લામાં વરસાદના કારણે ક્ષતિગ્રસ્ત થયેલા માર્ગોનું સમારકામ યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવ્યું છે. જે અંતર્ગત અત્યાર સુધીમાં માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) દ્વારા

New Update
MixCollage-13-Jul-2025-08-

ભરૂચ જિલ્લામાં વરસાદના કારણે ક્ષતિગ્રસ્ત થયેલા માર્ગોનું સમારકામ યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવ્યું છે.

જે અંતર્ગત અત્યાર સુધીમાં માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) દ્વારા ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના કુલ ખરાબ ૧૫.૪૦૦ કિમીથી વધુ લંબાઈના માર્ગોની મરામત કામગીરી પૂર્ણ કરાઈ છે. જેમાં કુલ ૧૨ જેસીબી, ૨૧ ડમ્પર અને ૧૦ રોલરની મદદથી ૧૧૭ થી વધુ શ્રમયોગીઓ દ્વારા આ સમગ્ર કામગીરી કરવામાં આવી રહી છે. 
આ મરામત કામગીરીમાં માર્ગના ક્ષતિગ્રસ્ત ભાગોનું સમારકામ, પેચવર્કની કામગીરી આયોજનબદ્ધ રીતે હાથ ધરવામાં આવી રહી છે.ભરૂચ જિલ્લામાં પણ માર્ગ અને મકાન વિભાગ દ્વારા અંકલેશ્વરથી ઝઘડીયા અને રાજપીપલા-સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો હાઈવે નં- ૬૪, રાજપારડી- નેત્રંગ, અસા - ઉમલ્લા -પાણેથા, રોડ ઉપર કુલ ૧૨ જેસીબી, ૨૧ ડમ્પર, ૧૦ રોલર, ગ્રેટર ૨ ટ્રેક્ટરો તેમજ અને લોડરની મદદથી થી ૧૧૭ વધુ શ્રમયોગીઓ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે.