ભરૂચ : ભોલાવ ST. ડેપો ખાતે પોગ્રેસિવ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા વોલ પેઇન્ટિંગ કાર્યકમ યોજાયો...

ભરૂચના ભોલાવ એસટી. ડેપો ખાતે પોગ્રેસિવ શાળાના વિદ્યાથીઓ દ્વારા સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત વોલ પેઇન્ટિંગ કાર્યકમનું આયોજન કરવામાં આવ્યું હતું.

New Update

સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો

ભોલાવ એસટી. ડેપો ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન

સ્વચ્છતા જાગૃતિ અંગે વોલ પેઇન્ટિંગ કાર્યકમ યોજાયો

પોગ્રેસિવ શાળાના વિદ્યાર્થીઓએ સુંદર ચિત્રકામ કર્યું

સ્વચ્છતા જાગૃતિ દર્શાવતા ચિત્રો થકી સ્વચ્છતાનો સંદેશો

ભરૂચના ભોલાવ એસટી. ડેપો ખાતે પોગ્રેસિવ શાળાના વિદ્યાથીઓ દ્વારા સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત વોલ પેઇન્ટિંગ કાર્યકમનું આયોજન કરવામાં આવ્યું હતું.

સ્વચ્છતા હી સેવા અભિયાન કાર્યક્રમ અંતર્ગત ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના ડે ટુ ડે એક્ટિવિટીના ભાગરૂપે ભરૂચ ડેપો હસ્તકના ભોલાવ એસટી. ડેપો ખાતે સ્વચ્છતા જાગૃતિ અંગે વિવિધ કાર્યક્રમોના આયોજન કરવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત ભોલાવ એસટી. ડેપો ખાતે પ્રોગ્રેસિવ સ્કૂલના વિદ્યાર્થીઓના સહયોગથી ડેપો મેનેજર વિશાલ છત્રીવાલાની ઉપસ્થિતિમાં સ્વચ્છતા જાગૃતિ અંગે વોલ પેઇન્ટિંગના કાર્યકમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ એસટી. બસ ડેપોની દીવાલ પર સુંદર ચિત્રકામ કર્યું હતું. જે અહી આવતા મુસાફરોમાં આકર્ષણ જમાવવા સાથે ગંદકી કરતા રોકશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે.

Read the Next Article

ભરૂચ : વરસાદથી ક્ષતિગ્રસ્ત અંકલેશ્વર-ઝઘડીયા-રાજપીપલા સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા માર્ગનું યુદ્ધના ધોરણે સમારકામ

ભરૂચ જિલ્લામાં વરસાદના કારણે ક્ષતિગ્રસ્ત થયેલા માર્ગોનું સમારકામ યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવ્યું છે. જે અંતર્ગત અત્યાર સુધીમાં માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) દ્વારા

New Update
MixCollage-13-Jul-2025-08-

ભરૂચ જિલ્લામાં વરસાદના કારણે ક્ષતિગ્રસ્ત થયેલા માર્ગોનું સમારકામ યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવ્યું છે.

જે અંતર્ગત અત્યાર સુધીમાં માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) દ્વારા ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના કુલ ખરાબ ૧૫.૪૦૦ કિમીથી વધુ લંબાઈના માર્ગોની મરામત કામગીરી પૂર્ણ કરાઈ છે. જેમાં કુલ ૧૨ જેસીબી, ૨૧ ડમ્પર અને ૧૦ રોલરની મદદથી ૧૧૭ થી વધુ શ્રમયોગીઓ દ્વારા આ સમગ્ર કામગીરી કરવામાં આવી રહી છે. 
આ મરામત કામગીરીમાં માર્ગના ક્ષતિગ્રસ્ત ભાગોનું સમારકામ, પેચવર્કની કામગીરી આયોજનબદ્ધ રીતે હાથ ધરવામાં આવી રહી છે.ભરૂચ જિલ્લામાં પણ માર્ગ અને મકાન વિભાગ દ્વારા અંકલેશ્વરથી ઝઘડીયા અને રાજપીપલા-સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો હાઈવે નં- ૬૪, રાજપારડી- નેત્રંગ, અસા - ઉમલ્લા -પાણેથા, રોડ ઉપર કુલ ૧૨ જેસીબી, ૨૧ ડમ્પર, ૧૦ રોલર, ગ્રેટર ૨ ટ્રેક્ટરો તેમજ અને લોડરની મદદથી થી ૧૧૭ વધુ શ્રમયોગીઓ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે.