અંકલેશ્વર: ન.પા.ની બેદરકારીના કારણે હાંસોટ રોડ પર અકસ્માતમાં યુવાનનું મોત નિપજ્યું, પરિવારજનોના આક્ષેપ

જીસીબી મશીન માર્ગ પર ઉભું કરી દેવામાં આવ્યું હતું જેમાં ત્યાંથી પસાર થઈ રહેલ નિકુંજ પટેલ નામના યુવાનની બાઇક ભટકાતા યુવાનનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું

New Update
  • અંકલેશ્વર હાંસોટ રોડ પર બન્યો હતો બનાવ

  • અકસ્માતમાં યુવાનનું નિપજ્યું હતું મોત

  • જેસીબી સાથે બાઈક ભટકાય હતી

  • નગરપાલિકાની બેદરકારીના સ્થાનિકોના આક્ષેપ

  • પરિવારને ન્યાય આપવાની માંગ 

Advertisment
અંકલેશ્વર હાંસોટ રોડ પર મુખ્ય માર્ગને અડીને ઊભા રહેલા જેસીબી મશીન  સાથે બાઈક ભટકાતા યુવાનનું મોત નીપજવાના મામલામાં આજરોજ સ્થાનિકો અને પરિવારજનોએ ચીફ ઓફિસરને આવેદનપત્ર પાઠવી નગર સેવાસદનની બેદરકારીના આક્ષેપ કર્યા હતા.
અંકલેશ્વર હાંસોટ રોડ પર આવેલ હનુમાન મંદિર પાસે નગરપાલિકા દ્વારા ગટર લાઇનનું કામકાજ ચાલી રહ્યું હતું. આ દરમિયાન રાત્રિના સમયે જીસીબી મશીન માર્ગ પર ઉભું કરી દેવામાં આવ્યું હતું જેમાં ત્યાંથી પસાર થઈ રહેલ નિકુંજ પટેલ નામના યુવાનની બાઇક ભટકાતા યુવાનનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું.આ મામલામાં સ્થાનિકો અને પરિવારજનો દ્વારા આજરોજ ચીફ ઓફિસરને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું.
જેમાં જણાવ્યા અનુસાર નગરપાલિકાની બેદરકારીના કારણે યુવાનનું મોત થયું છે. નગરપાલિકા દ્વારા ગટર લાઈનનું કામકાજ કરતી વખતે સાવચેતી અંગેનું બોર્ડ મૂકવામાં આવ્યું ન હતું.આ ઉપરાંત બેરીકેટ કે અન્ય કોઈપણ નિશાન કરવામાં આવ્યું ન હતું જેના કારણે આ અકસ્માત સર્જાયો છે ત્યારે પીડિત પરિવારને ન્યાય આપવાની માંગ કરવામાં આવી છે.
Advertisment
અને ભવિષ્યમાં આવા બનાવો ન બને તેની તકેદારી રાખવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે. જો માંગ ન સંતોષાય તો નગરપાલિકા કચેરીનો ઘેરાવો કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
Advertisment
Read the Next Article

ભરૂચ : ભારતની મહાન વીરાંગના મહારાણી અહલ્યાબાઈ હોલકરની 300મી જન્મજયંતી નિમિત્તે ભાજપ યુવા મોરચા દ્વારા યુવા ગોષ્ઠી કાર્યક્રમ યોજાયો…

પુણ્યશ્લોક માતા અહલ્યાબાઈ હોલકરજીની 300મી જન્મજયંતીની ઉજવણીના ભાગરૂપે ભરૂચ જિલ્લા ભાજપ યુવા મોરચા દ્વારા યુવા ગોષ્ઠી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

New Update
  • ભારતની મહાન વીરાંગના મહારાણી અહલ્યાબાઈ હોલકર

  • અહલ્યાબાઈની 300મી જન્મજયંતીની દેશભરમાં ઉજવણી

  • ભારતીય જનતા પાર્ટી દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન

  • ભાજપ યુવા મોરચા દ્વારા યુવા ગોષ્ઠી કાર્યક્રમ યોજાયો

  • પૂર્વ સંગઠન પ્રભારી સહિતના હોદ્દેદારો-કાર્યકરોની હાજરી 

Advertisment

 

ભારતની મહાન વીરાંગના મહારાણી અહિલ્યાબાઈનો જન્મ 31 મે1725ના રોજ મહારાષ્ટ્રના હાલના અહમદનગર જિલ્લાના ચૌંડી ગામમાં થયો હતો. ભરૂચ શહેરના રેલવે સ્ટેશન નજીક ડિસ્ટ્રિક્ટ બેંક ખાતે પુણ્યશ્લોક માતા અહલ્યાબાઈ હોલકરજીની 300મી જન્મજયંતીની ઉજવણીના ભાગરૂપે ભરૂચ જિલ્લા ભાજપ યુવા મોરચા દ્વારા યુવા ગોષ્ઠી કાર્યક્રમ યોજાયો હતો.

જેમાં મુખ્ય વક્તા ભાજપના પૂર્વ સંગઠન પ્રભારી જનક બગદાણાવાલાએ પુણ્યશ્લોક અહલ્યાબાઈના જીવન અંગે સુંદર વક્તવ્ય આપ્યું હતું. આ પ્રસંગે સાંસદ મનસુખ વસાવાજિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીવાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણાદિવ્યેશ પટેલનિરલ પટેલ તેમજ યુવા ભાજપના ઋષભ પટેલ સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

Advertisment