જંબુસર : શ્રાવણ માસના પ્રારંભ પહેલા કંબોઇ સ્તંભેશ્વર મહાદેવ ખાતે સુવિધાસભર તૈયારીઓ શરૂ,મોટી સંખ્યામાં ઉમટશે ભક્તો

કાવી-કંબોઈ ગામમાં એક પ્રાચીન શિવ મંદિર છે. માન્યતા છે કે આ મંદિરની સ્થાપના કાર્તિકેય સ્વામીએ કરી હતી. આ મંદિર દિવસમાં બે વાર સમુદ્રમાં ડૂબી જાય છે

New Update
  • પવિત્ર શ્રાવણ માસના આગમનની તૈયારી

  • કંબોઇ સ્તંભેશ્વર મહાદેવ મંદિરે તૈયારીઓ શરૂ

  • સમુદ્ર સ્વયં કરે છે દેવાધિદેવને જળાભિષેક

  • ખુબ મોટી સંખ્યામાં ભક્તો કરે છે શિવજીના દર્શન

  • શ્રાવણમાં ઉમટી પડશે ભક્તોનો સેલાબ 

ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કાવી કંબોઇ ખાતે ભક્તો માટે આસ્થા સ્થાનક સ્તંભેશ્વર મહાદેવ મંદિર ખાતે પવિત્ર શ્રાવણ માસની શરૂઆત પહેલા શ્રદ્ધાળુઓ માટે સુવિધાસભર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.

શ્રાવણ મહિનામાં શિવજીના મંદિરોમાં દર્શન અને પૂજન કરવાથી ભગવાનની વિશેષ કૃપા મળે છે. આ માન્યતાના કારણે શિવજીના પ્રાચીન મંદિરોમાં ભક્તોની ભીડ જોવા મળે છે. ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કાવી-કંબોઈ ગામમાં એક પ્રાચીન શિવ મંદિર છે. માન્યતા છે કે આ મંદિરની સ્થાપના કાર્તિકેય સ્વામીએ કરી હતી. આ મંદિર દિવસમાં બે વાર સમુદ્રમાં ડૂબી જાય છે.સમુદ્રમાં આવનાર ભરતીના કારણે આ મંદિર પાણીમાં ડૂબી જાય છે અને થોડા સમય પછી ફરીથી જોવા મળે છે. સ્તંભેશ્વર મહાદેવ મંદિરના દર્શન માટે મોટી સંખ્યામાં શિવભક્તો દર્શન અર્થે આવે છે,પરંતુ શ્રાવણ માસ દરમિયાન અહીંયા ભક્તોનો સેલાબ ઉમટી પડે છે.

આગામી તારીખ 25 જુલાઈ 2025ને શુક્રવારના રોજ થી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થનાર છે ત્યારે શિવભક્તોમાં અનેરો આનંદ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.દક્ષિણ ગુજરાતના મીની સોમનાથ તરીકે ખ્યાતિ પામનાર કંબોઈ સ્તંભેશ્વર તીર્થ ક્ષેત્રે અધિષ્ઠાતા વિદ્યાનંદજી મહારાજ દ્વારા ભાવિક ભક્તોને દર્શન પૂજનનો લાભ મળે તે માટે તડામાર તૈયારીઓ કરવામાં આવી  રહી છે. શ્રાવણ માસમાં ભક્તોનું કીડિયારુ સ્તંભેશ્વર મહાદેવ ખાતે ઉમટી પડશેમહીસાગર સંગમ તીર્થ જેવી પાવનભૂમિ પર ભગવાન શંકરદેવોના દેવ મહાદેવના પરાક્રમી પુત્ર કાર્તિકેય સ્વામી દ્વારા સ્થાપિત શિવલિંગ સ્તંભેશ્વર મહાદેવના દર્શન માત્રથી મનુષ્યની આધીવ્યાધી અને ઉપાધિ માંથી મુક્ત થાય છે.તથા સઘળી મનોકામના પૂર્ણ થતી હોવાની ભક્તોમાં શ્રદ્ધાપૂર્વક જણાવી રહ્યા છે.

Read the Next Article

ભરૂચ : ક્રાઇમ બ્રાન્ચે કોલેજ રોડ પરથી 6 યુવાનોની કરી ધરપકડ,કારમાંથી ક્રેડિટ અને ડેબિટ કાર્ડનો મોટો જથ્થો ઝડપાયો

ભરૂચ શહેરના કોલેજ રોડ પાસે આવેલ હીન્દુસ્તાન પેટ્રોલ પંપ સામે પાર્ક કરેલી ક્રેટા કારમાંથી ૬ શકમંદ ઇસમોને ભરૂચ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યા હતા. તેમની

New Update
hh

ભરૂચ શહેરના કોલેજ રોડ પાસે આવેલ હીન્દુસ્તાન પેટ્રોલ પંપ સામે પાર્ક કરેલી ક્રેટા કારમાંથી ૬ શકમંદ ઇસમોને ભરૂચ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યા હતા.

તેમની પાસેથી અલગ અલગ બેંકના ATM, ક્રેડિટ કાર્ડ, ચેકબુક, છુટ્ટા ચેક, લેપટોપ તથા કાર સહિત કુલ રૂ.૧૦,૫૦,૦૦૦ નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.

 ભરૂચ જિલ્લા પોલીસ વડા અક્ષય રાજે સાઇબર ક્રાઈમ વિરુદ્ધ અસરકારક કાર્યવાહી કરવા ખાસ સૂચના આપી હતી દરમ્યાન ભરૂચ ક્રાઇમ બ્રાન્ચને મળેલી બાતમીના આધારે કોલેજ રોડ પરથી પસાર થતી કાર નંબર GJ-16-CS-8971ને  ચેક કરવામાં આવી હતી.કારમાંથી મળી આવેલા ઇસમો પાસે બેંક સંબંધિત અગત્યના દસ્તાવેજો હોવા છતાં તેઓ સંતોષકારક સ્પષ્ટતા કરી શક્યા ન હતા.પોલીસે ATM અને ક્રેડિટ કાર્ડ ૧૪,બેંક ચેકબુક ૦૮,
છુટ્ટા ચેક ૧૩,ક્રેટા કાર કિંમત રૂ. ૧૦ લાખ,મોબાઇલ ફોન ૦૭ (કિંમત રૂ. ૩૦,૦૦૦),લેનોવો લેપટોપ ૦૧ (કિંમત રૂ. ૨૦,૦૦૦) મળીને કુલ કિંમત રૂ.૧૦,૫૦,૦૦૦નો મુદ્દામાલ કબજે કર્યો છે.પોલીસે પકડાયેલા આરોપીઓ વિરુદ્ધ IPC તથા IT એક્ટ અંતર્ગત ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે. આ ગુનાની વધુ તપાસ સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા ચાલુ છે. આરોપીઓ દ્વારા સાઇબર ક્રાઈમ અથવા કોઈ ગુનાહિત કાવતરાને અંજામ અપાયો હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં લાગી રહ્યું છે ત્યારે પોલીસે આરોપીઓની ધરપકડ કરી તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
ઝડપાયેલ આરોપીઓ
અશોક જવાલાપ્રસાદ ત્રિવેદી (ઉ.વ. ૩૭) ઉત્તરપ્રદેશ, લક્ષ્ય અનુપસિંહ યાદવ (ઉ.વ. ૨૬) હરિયાણા,શીવાંક રોહીતકુમાર યાદવ (ઉ.વ. ૧૯) હરિયાણા
દીપાંશુ સતીષકુમાર સૈની (ઉ.વ. ૨૦)ઉત્તરપ્રદેશ
ધર્મેશ ભુપતભાઈ મકવાણા (ઉ.વ. ૨૨) સુરત
કરણ બાબુભાઈ વાળા (ઉ.વ. ૧૯) ભરૂચ