ભરૂચ: શુકલતીર્થ ગામે કરંટ લાગતા ઇલેક્ટ્રીશીયનનું વીજપોલ પર જ દર્દનાક મોત

ભરૂચના શુકલતીર્થ ગામે ઇલેક્ટ્રિશિયને કરંટ લાગતા વીજ પોલ પર જ દર્દનાક  મોત નિપજ્યું હતું.મૃતકના મૃતદેહને વીજ પોલ પરથી નીચે ઉતારી પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાયો હતો.

New Update

ભરૂચના શુકલતીર્થ ગામે ઇલેક્ટ્રિશિયને કરંટ લાગતા વીજ પોલ પર જ દર્દનાક  મોત નિપજ્યું હતું.મૃતકના મૃતદેહને વીજ પોલ પરથી નીચે ઉતારી પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાયો હતો.

ભરૂચના અંગારેશ્વર ગામના અને  ઇલેક્ટ્રિશિયનનું છૂટક કામ કરતા અરવિંદ વસાવા શુકલતીર્થ ગામમાં રામજી મંદિર તરફ જવાના રસ્તે આવેલ આઈ.ટી.આઈ. પાસે ઇલેક્ટ્રીકનું કામ કરવા આવ્યા હતા. જેનું વીજ કરંટ લાગતાં  વીજ પોલ પર જ દર્દનામ  મોત નિપજ્યું હતું.મૃતકના મૃતદેહને વીજ પોલ પરથી નીચે ઉતારવામાં આવ્યો હતો અને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાયો હતો.બનાવની તપાસ નબીપુર પોલીસ ચલાવી રહી છે.અત્રે ઉલ્લેખનીય છે કોઈ પણ જાતના સેફટીના સાધનો વગર ઇલેક્ટ્રિકનું કામ કરતા લોકો માટે આ બનાવ લાલબત્તી સમાન છે
Read the Next Article

અંકલેશ્વર: ONGCમાં નોકરીના બહાને રૂ.1.84 કરોડની છેતરપીંડીમાં ફરિયાદી જ આરોપી નિકળ્યો, પોલીસે કરી ધરપકડ

આરોપીએ વ્યક્તી દીઠ બે થી અઢી લાખ રૂપિયા લઇ ONGC કંપનીમાં હજીરા, મહેસાણા તથા ખંભાત ખાતે નોકરીએ લગાડવાની લાલચ આપી અનેક લોકોને ફસાવ્યા હતા...

New Update
ONGC Fraud
અંકલેશ્વર ONGC માં અલગ અલગ સ્થળે 90 લોકોને નોકરીની લાલચ આપી 1.84 કરોડની ઠગાઈમાં વોન્ટેડ આરોપી ઝડપાતા ફરિયાદી પણ આરોપી હોવાનો થયો ધડાકો અંકલેશ્વરની ONGC કંપનીમાં સિક્યોરિટીમાં રાજ્યમાં અલગ અલગ સ્થળે નોકરીની લાલચે 90થી વધુ લોકો સાથે આચરાયેલા રૂપિયા 1.84 કરોડના કૌભાંડમાં ફરિયાદી પણ આરોપી નીકળ્યો છે. 
અંકલેશ્વરની અમૃતકુંજ સોસાયટીમાં રહેતા ફરિયાદી એવા આરોપી ઘનશ્યામસીધ રાજપુતની અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે ધરપકડ કરી લીધી છે. વર્ષ 2022 થી 2024 માં વિરાટ નગર રહેતા ઓગસ્ત હરદેવ પાંડે એ પોતે નેશનલ ઇન્વેસ્ટીગેશન સિક્યુરીટી સર્વીિસ NISS કંપનીના મેનેજર તરીકેની ખોટી ઓળખ આપી હતી. વ્યક્તી દીઠ બે થી અઢી લાખ રૂપિયા લઇ ONGC કંપનીમાં હજીરા, મહેસાણા તથા ખંભાત ખાતે નોકરીએ લગાડવાની લાલચમાં લોકોને ફસાવ્યા હતા.
NISS કંપનીના બોગસ જોઇનીંગ લેટર અને આઇ કાર્ડ બનાવી તેનો સાચા તરીકે ઉપયોગ કરી વિશ્વાસમાં લઇ હાલના આરોપી એવા ફરિયાદીના પરિવારના 10 લોકો સહિત કુલ 50 જેટલા લોકો પાસેથી રૂપિયા 1.04 કરોડ પડાવ્યા હતા.સાથે જ ઠાકોરભાઇ આહીર અને તેની સાથેના 40 અન્ય લોકો પાસેથી દરેકના બે લાખ લેખે આશરે ₹80 લઇ નોકરીએ નહિ લગાવી નાસી છૂટ્યો હતો. જે આરોપી અગસ્ત પાંડે પકડાતા તેને પોલીસ સમક્ષ આ કૌભાંડમાં ફરિયાદી એવો ઘનશ્યામ સિંઘ પણ સામેલ હોવાનો ઘટસ્ફોટ કર્યો હતો. એ ડિવિઝન પોલીસે ફરિયાદીની આરોપી તરીકે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.