અંકલેશ્વર: વેરાની ભરપાય ન કરનાર 17 મકાન-દુકાન સીલ, નોટીફાઇડ એરીયા ઓથો.દ્વારા સિલિંગની કાર્યવાહી હાથ ધરાય

નોટીફાઇડ એરીયા ઓથો.દ્વારા વારંવાર નોટીસ ફટકાર્યા બાદ પણ વેરાની ભરપાય ન કરનાર 17 જેટલી દુકાન અને મકાનોના માલિકોને નોટિફાઇડ એરીયા ઓથોરીટી દ્વારા સીલ કરવામાં આવી

New Update
  • અંકલેશ્વર નોટીફાઇડ એરીયા ઓથો.ની કાર્યવાહી

  • વેરો ભરપાય ન કરનાર મિલકત ધારકો પર તવાઈ

  • 17 મકાનો-દુકાન સીલ કરાય

  • વારંવાર ફટકારાય હતી નોટીસ

  • બાકીદારોમાં ફફડાટ

અંકલેશ્વર નોટિફાઇડ એરીયા ઓથોરીટી દ્વારા છેલ્લા 10 વર્ષથી વેરાની ભરપાઈ ન કરનાર 17 જેટલી દુકાન અને મકાનોને સીલ કરવામાં આવ્યા છે. સીલીંગની કાર્યવાહી દરમિયાન ઘર્ષણ ન સર્જાય એ માટે પોલીસ બંદોબસ્ત સાથે રાખવામાં આવ્યો હતો.

અંકલેશ્વર નોટીફાઇડ એરિયા ઓથોરીટી દ્વારા વેરા વસુલાત ઝુંબેશ સઘન બનાવવામાં આવી છે. અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતના રહેણાંક વિસ્તારોમાં અનેક મકાનો અને દુકાનો આવેલા છે. આ મકાનો અને દુકાનોને માલિકોએ વેરો ભરવાનો હોય છે પરંતુ છેલ્લા કેટલાક સમયથી વેરો ભરવા અખાડા કરતા મિલકત ધારકો સામે નોટિફાઇડ એરિયા ઓથોરીટી દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

વારંવાર નોટીસ ફટકાર્યા બાદ પણ વેરાની ભરપાય ન કરનાર 17 જેટલી દુકાન અને મકાનોના માલિકોને નોટિફાઇડ એરીયા ઓથોરીટી દ્વારા સીલ કરવામાં આવી છે. આજે સવારના સમયે નોટિફાઇડ એરીયા ઓથરીટીની વિવિધ ટીમ અંકલેશ્વર જીઆઇડીસીના રહેણાંક વિસ્તારોમાં પહોંચી હતી અને સીલીંગની કાર્યવાહી હાથ ધરી હતી.

આ દરમિયાન ઘર્ષણ ન સર્જાય તે માટે પોલીસ બંદોબસ્ત પણ સાથે રાખવામાં આવ્યો હતો. સીલ કરાયેલ મિલકતના માલિકો છેલ્લા દસ વર્ષથી લાખો રૂપિયાના વેરાની ભરપાઈ કરતા ન હતા ત્યારે તેઓ સામે તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે.

Read the Next Article

ભરૂચ જિલ્લા પંચાયત ડ્રાઇવર એસોસિએશન દ્વારા નિવૃત ડ્રાઇવરો માટે સન્માન સમારોહ યોજાયો...

ભરૂચ જિલ્લાના પંચાયત સભાખંડ ખાતે જિલ્લા પંચાયત ડ્રાઇવર એસોસિએશન દ્વારા નિવૃત ડ્રાઇવરો માટે સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.

New Update
  • જિલ્લા પંચાયત સભાખંડ ખાતે યોજાયો વિશેષ કાર્યક્રમ

  • જિલ્લા પંચાયત ડ્રાઇવર એસોસિએશન દ્વારા આયોજન

  • નિવૃત ડ્રાઇવરો માટે સન્માન સમારોહનું આયોજન કરાયું

  • ડ્રાઇવર એસોસિએશનના અધ્યક્ષ રહ્યા વિશેષ ઉપસ્થિત

  • સરકાર સમક્ષ ડ્રાઇવર વર્ગની સમસ્યા રજૂ કરવાનો ઉદ્દેશ્ય

ભરૂચ જિલ્લાના પંચાયત સભાખંડ ખાતે જિલ્લા પંચાયત ડ્રાઇવર એસોસિએશન દ્વારા નિવૃત ડ્રાઇવરો માટે સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.

ભરૂચ જિલ્લાના પંચાયત સભાખંડમાં જિલ્લા પંચાયત ડ્રાઇવર એસોસિએશન દ્વારા વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆતમાં અવસાન પામેલા ડ્રાઇવરોના સ્મરણાર્થે 2 મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું. ત્યારબાદ ભરૂચ જિલ્લા પંચાયત ડ્રાઇવર એસોસિએશનના અધ્યક્ષ કનુ વાળંદ અને ભુપેન્દ્ર પરમારની આગેવાની હેઠળ નિવૃત ડ્રાઇવરો માટે સન્માન સમારોહ યોજાયો હતો. આ સાથે જ ડ્રાઇવર કેડરના ઘટતા પ્રમાણ અને તેની પરિસ્થિતિ અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

આ પ્રસંગે મુખ્ય અતિથિ બેચર રાઠોડે જણાવ્યું હતું કે, “નિવૃત થયેલા ડ્રાઇવરોને સરકાર તરફથી મળતી રિટાયરમેન્ટ સ્કીમના તમામ હકો સમયસર અને યોગ્ય રીતે મળી રહે તે જરૂરી છે. જેથી તેમનું જીવન સુખમય બની રહે.” આ કાર્યક્રમનો ઉદ્દેશ માત્ર સન્માન નથી. પરંતુ રાજ્ય સરકાર અને તંત્ર સમક્ષ ડ્રાઇવર વર્ગની જરૂરિયાતો અને સમસ્યાઓ રજૂ કરવાનો પણ હતો.