અંકલેશ્વર: વેરાની ભરપાય ન કરનાર 17 મકાન-દુકાન સીલ, નોટીફાઇડ એરીયા ઓથો.દ્વારા સિલિંગની કાર્યવાહી હાથ ધરાય

નોટીફાઇડ એરીયા ઓથો.દ્વારા વારંવાર નોટીસ ફટકાર્યા બાદ પણ વેરાની ભરપાય ન કરનાર 17 જેટલી દુકાન અને મકાનોના માલિકોને નોટિફાઇડ એરીયા ઓથોરીટી દ્વારા સીલ કરવામાં આવી

New Update
  • અંકલેશ્વર નોટીફાઇડ એરીયા ઓથો.ની કાર્યવાહી

  • વેરો ભરપાય ન કરનાર મિલકત ધારકો પર તવાઈ

  • 17 મકાનો-દુકાન સીલ કરાય

  • વારંવાર ફટકારાય હતી નોટીસ

  • બાકીદારોમાં ફફડાટ

અંકલેશ્વર નોટિફાઇડ એરીયા ઓથોરીટી દ્વારા છેલ્લા 10 વર્ષથી વેરાની ભરપાઈ ન કરનાર 17 જેટલી દુકાન અને મકાનોને સીલ કરવામાં આવ્યા છે. સીલીંગની કાર્યવાહી દરમિયાન ઘર્ષણ ન સર્જાય એ માટે પોલીસ બંદોબસ્ત સાથે રાખવામાં આવ્યો હતો.

અંકલેશ્વર નોટીફાઇડ એરિયા ઓથોરીટી દ્વારા વેરા વસુલાત ઝુંબેશ સઘન બનાવવામાં આવી છે. અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતના રહેણાંક વિસ્તારોમાં અનેક મકાનો અને દુકાનો આવેલા છે. આ મકાનો અને દુકાનોને માલિકોએ વેરો ભરવાનો હોય છે પરંતુ છેલ્લા કેટલાક સમયથી વેરો ભરવા અખાડા કરતા મિલકત ધારકો સામે નોટિફાઇડ એરિયા ઓથોરીટી દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

વારંવાર નોટીસ ફટકાર્યા બાદ પણ વેરાની ભરપાય ન કરનાર 17 જેટલી દુકાન અને મકાનોના માલિકોને નોટિફાઇડ એરીયા ઓથોરીટી દ્વારા સીલ કરવામાં આવી છે. આજે સવારના સમયે નોટિફાઇડ એરીયા ઓથરીટીની વિવિધ ટીમ અંકલેશ્વર જીઆઇડીસીના રહેણાંક વિસ્તારોમાં પહોંચી હતી અને સીલીંગની કાર્યવાહી હાથ ધરી હતી.

આ દરમિયાન ઘર્ષણ ન સર્જાય તે માટે પોલીસ બંદોબસ્ત પણ સાથે રાખવામાં આવ્યો હતો. સીલ કરાયેલ મિલકતના માલિકો છેલ્લા દસ વર્ષથી લાખો રૂપિયાના વેરાની ભરપાઈ કરતા ન હતા ત્યારે તેઓ સામે તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે.

Read the Next Article

ભરૂચમાં ગ્રીન ટેક્નોલોજીથી માર્ગનું મજબુતીકરણ : ખાડાઓ ભૂતકાળ બનશે

ભરૂચ: ગુજરાતમાં ગ્રીન ટેક્નોલોજીના ઉપયોગથી પ્રથમવાર ભરૂચ જિલ્લાના જંબુસરથી ટંકારી થઈ દેવલા ગામને જોડતો માર્ગ તૈયાર થઈ રહ્યો છે. આ પાયલોટ પ્રોજેક્ટ માટે રૂ. ૫૦ કરોડની મંજૂરી આપાઈ છે.

New Update

ભરૂચ ગુજરાતમાં ગ્રીન ટેક્નોલોજીના ઉપયોગથી પ્રથમવાર ભરૂચ જિલ્લાના જંબુસરથી ટંકારી થઈ દેવલા ગામને જોડતો માર્ગ તૈયાર થઈ રહ્યો છે. આ પાયલોટ પ્રોજેક્ટ માટે રૂ. ૫૦ કરોડની મંજૂરી આપાઈ છે.

આ ટેક્નોલોજીમાં હયાત મટીરીયલને રીસાયકલ કરીને Chemically Stabilized Base તૈયાર કરવામાં આવે છે, જેના પરિણામે રસ્તાની આયુષ્ય વધશે અને પાણીના કારણે પોટહોલ્સની સમસ્યા નાબૂદ થશે. પર્યાવરણને અનુકૂળ અને ખર્ચમાં ઘટાડો કરનારી આ પદ્ધતિ ભવિષ્યમાં રાજ્યના અન્ય જિલ્લાઓમાં પણ ઉપયોગી સાબિત થશે.હાલ દેવલા ગામ પાસે ૫૦૦ મીટર માર્ગનું મિલિંગ અને ડ્રાય રોલિંગનું કામ ચાલી રહ્યું છે અને સમગ્ર માર્ગનું નિર્માણ માર્ચ-૨૦૨૬ સુધી પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.