અંકલેશ્વર: પાનોલી નજીક વિડીયો બનાવી રહેલા પદયાત્રીઓને વેનને અજાણ્યા વાહને ટક્કર મારતા 2ના મોત 6 ઇજાગ્રસ્ત

કર્ણાટક બેંગલુરુથી બેટી બચાવો અને સ્ત્રી અત્યાચાર તેમજ દુષ્કર્મીઓને ફાંસીની માંગ સાથે પદયાત્રા યોજી બેંગ્લુરુના યુવકો મારૂતિ વાન લઇ બેંગલુરુથી દિલ્હી જનજાગૃતિ અર્થે નિકળ્યા હતા

New Update
બેંગ્લોરથી દિલ્હી તરફ બેટી બચાવો અને સ્ત્રી અત્યાચાર તેમજ દુષ્કર્મીઓને ફાંસીની માંગ સાથે પદયાત્રાએ નિકળેલ 6 લોકોને અંકલેશ્વરના પાનોલી નજીક અકસ્માત નડ્યો હતો.અજાણ્યા વાહનચાલકે પદયાત્રીઓની વાનને ટક્કર મારતા 2 વ્યક્તિના મોત નિપજ્યા હતા જ્યારે 4 પદયાત્રીઓને ઇજા પહોંચી હતી
કર્ણાટક બેંગલુરુથી બેટી બચાવો અને સ્ત્રી અત્યાચાર તેમજ દુષ્કર્મીઓને ફાંસીની માંગ સાથે પદયાત્રા યોજી બેંગ્લુરુના યુવકો મારૂતિ વાન લઇ બેંગલુરુથી દિલ્હી જનજાગૃતિ અર્થે નિકળ્યા છે.બેંગ્લોર ના પ્રવીણ જોજ ડોમિનિક પરેરા, ક્રિષ્ના લક્ષ્મણા સિધરું, હમજા હુસેન બિહારી, નોફલ અબ્બાસ આદમ, લિંગેગોડા અને મુસ્કુંડી આદમ નેશનલ હાઇવે પર સુરતથી વડોદરા તરફ આજરોજ જઈ રહ્યા હતા. તેઓ ખરોડ અને બાકરોલ વચ્ચે સાઈડ પર ગાડી ઉભી કરી કેમ્પેન માટે વિડીયો શૂટ કરી રહ્યા હતા તે દરમિયાન  અજાણ્યા વાહનના ચાલકે પાછળથી તેઓને અડફેટે લીધા હતા અને વાહનચાલક ફરાર થઇ ગયો હતો.
આ અકસ્માતમાં લિંગેગોડા અને મુસ્કુંડી આદમ નામના વ્યક્તિના મોત નિપજ્યા હતા જ્યારે અન્ય 4 લોકોને ઇજા પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.બનાવની જાણ થતાની સાથે જ પાનોલી પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને અજાણ્યા વાહનચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
Read the Next Article

ભરૂચ: નર્મદા પરિક્રમાવાસીઓ માટે CM ભુપેન્દ્ર પટેલનો મહત્વનો નિર્ણય, હાંસોટના વમલેશ્વરમાં 100091 ચો.મી.જમીન ફાળવાય

ભરૂચના હાંસોટના વમલેશ્વર ખાતે નર્મદા પરિક્રમા પથના યાત્રાધામોના વિકાસ માટે મુખ્યમંત્રીએ મહત્વપૂર્ણ નિર્ણય લઈ 10091 ચો. મીટર જમીનની ફાળવણી કરી છે.

New Update
bhupendra

ભરૂચના હાંસોટના વમલેશ્વર ખાતે નર્મદા પરિક્રમા પથના યાત્રાધામોના વિકાસ માટે મુખ્યમંત્રીએ મહત્વપૂર્ણ નિર્ણય લઈ 10091 ચો. મીટર જમીનની ફાળવણી કરી છે.

નર્મદા પરિક્રમા માર્ગ પર આવેલા યાત્રાધામો અને પરિક્રમાપથ ખાતે યાત્રાધામોના વિકાસની કામગીરી અર્થે પ્રવાસન ખાતા (ઉદ્યોગ અને ખાણ) વિભાગને વહીવટી હુકમ- 3 હેઠળ જમીન તબદીલ કરી આપવામાં આવી છે.ગુજરાત રાજ્યમાં નર્મદા પરિક્રમા આગવી ઓળખ સાથે ધાર્મિક મહત્વ ધરાવે છે. વમલેશ્વર યાત્રાધામ સહિત નર્મદા પરિક્રમા માર્ગ પર આવેલા અને પરિક્રમાપથના યાત્રાધામોના વિકાસથી ગુજરાત અને મઘ્યપ્રદેશ રાજ્યના હજારો પરિક્રમાવાસીઓ અને શ્રદ્ધાળુને પડતી વિવિધ મુશ્કેલીઓ હવે ભૂતકાળ બનશે.રાજ્ય સરકારના આ સંવેદનશીલ નિર્ણયથી ખરા અર્થમાં ભરૂચ જિલ્લામાં પ્રવાસન વિભાગને પ્રોત્સાહન મળશે તેમજ સ્થાનિકોને પણ તેનો લાભ થનાર છે. નર્મદા પરિક્રમા માર્ગ પર આવેલા યાત્રાધામો અને પરિક્રમાપથ ખાતે યાત્રાધામોના વિકાસની કામગીરી અર્થે મહત્વનો નિર્ણય લઇ જમીન ફાળવવાની મુખ્યમંત્રીએ મંજૂરી આપી છે. પ્રવાસન ખાતા દ્વારા વમલેશ્વર ખાતે સર્વે નંબર 553 ની 10091 ચોરસ મીટર જમીન ફાળવવા અંગે સરકારમાં માંગણી કરવામાં આવી હતી. જેને અનુલક્ષી મુખ્યમંત્રીએ આ નિર્ણય કર્યો છે.
ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકામાં આવેલું વમલેશ્વર ધાર્મિક સ્થળોમાં ખૂબ વિખ્યાત યાત્રાધામ છે. આ યાત્રાધામ સાથે નર્મદા પરિક્રમા ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. વહીવટી મંજૂર હુકમ 3 હેઠળ તબદીલ કરતા મુખ્યમંત્રીનો આ નિર્ણય મહત્વપૂર્ણ બની રહેશે.