અંકલેશ્વર: પાનોલીની કંપનીમાં ચોરી કરનાર 6 ઇસમોની ધરપકડ, રૂ.1.38 લાખનો મુદ્દામાલ કબ્જે કરાયો

ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે બેઈદ ઇન્ડસ્ટ્રીયલ કંપનીમાંથી થયેલ ચોરીના ભંગાર સહિતનો સામાન લઇ જતા પીકઅપ ગાડી સાથે છ ઈસમોને ઝડપી પાડી રૂ.૧.૩૮ લાખનો મુદ્દામાલ કબજે કર્યો

New Update
  • અંકલેશ્વરના પાનોલીમાં બન્યો હતો બનાવ

  • કંપનીમાંથી સમાનની થઈ હતી ચોરી

  • ભરૂચ ક્રાઇમ બ્રાન્ચને મળી સફળતા

  • 6 આરોપીઓની કરી ધરપકડ

  • રૂ.1.38 લાખનો મુદ્દામાલ કબ્જે કરાયો

ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે પાનોલીની બેઈદ ઇન્ડસ્ટ્રીયલ કંપનીમાંથી થયેલ ચોરીના ભંગાર સહિતનો સામાન લઇ જતા પીકઅપ ગાડી સાથે છ ઈસમોને ઝડપી પાડી રૂ.૧.૩૮ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો 
અંકલેશ્વરની પાનોલી જી.આઈ.ડી.સી.માં આવેલ બેઈદ ઇન્ડસ્ટ્રીયલ કંપનીમાં ગત તારીખ-૫મી માર્ચના રોજ સાંજના સમયે અજાણ્યા ઈસમો પ્રવેશ કરી કંપનીમાં અંદર રહેલ લોખંડની એમ.એસ મિક્ષ,જુના ભંગારના રોલ નંગ-૪૩,પાઈપો નંગ-૩૯ તેમજ ૩૪૫૦ કિલો ભંગાર મળી કુલ ૧.૩૮ લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.
તે દરમિયાન ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે ખરોડ ચોકડી પાસે શંકાસ્પદ ભંગાર ભરેલ પીકઅપ ગાડી અટકાવી હતી અને અંસાર માર્કેટ મદીના મસ્જીદ પાસે રહેતો અલ્લાઉદ્દીન ઉર્ફે ટીપુ જલીલ કુરેશી,સંતોષકુમાર જગ પ્રસાદ,શેફ શકીલખાન,મુબારક અલી જુલ્ફેકાર અલી ખાન તેમજ રંજીતકુમાર અમરનાથ ભારતી,સુરેશ મંગલ ભારતીને પકડી તમામની ભંગાર અંગે પુછપરછ કરતા અલ્લાઉદ્દીન ઉર્ફે ટીપુ જલીલ કુરેશીએ પોતે વેપાર કરતો હોવાથી તે ફરતા ફરતા પાનોલી તરફ જતા ખરોડ ચોકડી પાસે બેઈદ ઇન્ડસ્ટ્રીયલ કંપની બંધ હાલતમાં હતી જે કંપનીમાં ચોરી કરવાનું નક્કી કરી પોતાના સાથીઓ સાથે મળી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હોવાની કબુલાત કરી હતી.પોલીસે તમામ આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Read the Next Article

અંકલેશ્વર નગરપાલિકા દ્વારા રખડતા ઢોર પકડવાની ડ્રાઇવનો પ્રારંભ, ઢોર ડબ્બામાં 14 રખડતા ઢોર પુરાયા....

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં રખડતાં ઢોરની વિકટ સમસ્યા મામલે નગરપાલિકા તંત્ર એક્શનમાં આવ્યું છે. જેમાં ટ્રાફિકને અડચણરૂપ રખડતા ઢોર પકડી અંકલેશ્વર નગરપાલિકાના ઢોર ડબ્બામાં પુરવામાં આવ્યા હતા.

New Update
stray cattlessss

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં રખડતાં ઢોરની વિકટ સમસ્યા મામલે નગરપાલિકા તંત્ર એક્શનમાં આવ્યું છે. જેમાં ટ્રાફિકને અડચણરૂપ રખડતા ઢોર પકડી અંકલેશ્વર નગરપાલિકાના ઢોર ડબ્બામાં પુરવામાં આવ્યા હતા.

ભરૂચ સહિત અંકલેશ્વરમાં રખડતાં ઢોરની વિકટ સમસ્યા માથાના દુઃખાવા સમાન બની ગઈ છે, ત્યારે રખડતા ઢોર મામલે અંકલેશ્વર નગરપાલિકા તંત્ર એક્શનમાં આવ્યું છે. અંકલેશ્વર નગરપાલિકાના ચીફ ઓફિસર કેશવલાલ કોલડિયાના માર્ગદર્શન હેઠળ શહેરમાં રખડતા ઢોર પકડવાની ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે. જેમાં ટ્રાફિકને અડચણરૂપ રખડતા ઢોર પકડી અંકલેશ્વર નગરપાલિકાના ઢોર ડબ્બામાં પુરવામાં આવ્યા હતા. જેમાં ગાય અને વાછરડા સહિત 14 રખડતા ઢોરને ઢોર ડબ્બામાં પુરવામાં આવ્યા હતા. અંકલેશ્વર નગરપાલિકા સેનેટરી ઇન્સ્પેક્ટર રઘુવીરસિંહ મહીડાની રાહબરી હેઠળ સેનીટેશન ખાતાના 4 સુપરવાઈઝર અને 1 મુકાદમ સહિત 5 શ્રમિકો દ્વારા ઢોર પકડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. તો બીજી તરફ, અંકલેશ્વર નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા પશુ પાલકોને તાકીદ કરવામાં આવે છે કે, તમારા પશુઓને ઘરે બાંધીને રાખો અને એને જાહેર રસ્તા ઉપર રખડતા છોડવા નહીં. જો તઓને આપેલ સૂચનાનું પાલન કરવામાં આવશે નહીં, તો જે તે પશુપાલકો વિરુદ્ધ અંકલેશ્વર નગરપાલિકા દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.