અંકલેશ્વર: પાનોલીની કંપનીમાં ચોરી કરનાર 6 ઇસમોની ધરપકડ, રૂ.1.38 લાખનો મુદ્દામાલ કબ્જે કરાયો

ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે બેઈદ ઇન્ડસ્ટ્રીયલ કંપનીમાંથી થયેલ ચોરીના ભંગાર સહિતનો સામાન લઇ જતા પીકઅપ ગાડી સાથે છ ઈસમોને ઝડપી પાડી રૂ.૧.૩૮ લાખનો મુદ્દામાલ કબજે કર્યો

New Update
  • અંકલેશ્વરના પાનોલીમાં બન્યો હતો બનાવ

  • કંપનીમાંથી સમાનની થઈ હતી ચોરી

  • ભરૂચ ક્રાઇમ બ્રાન્ચને મળી સફળતા

  • 6 આરોપીઓની કરી ધરપકડ

  • રૂ.1.38 લાખનો મુદ્દામાલ કબ્જે કરાયો

Advertisment
ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે પાનોલીની બેઈદ ઇન્ડસ્ટ્રીયલ કંપનીમાંથી થયેલ ચોરીના ભંગાર સહિતનો સામાન લઇ જતા પીકઅપ ગાડી સાથે છ ઈસમોને ઝડપી પાડી રૂ.૧.૩૮ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો 
અંકલેશ્વરની પાનોલી જી.આઈ.ડી.સી.માં આવેલ બેઈદ ઇન્ડસ્ટ્રીયલ કંપનીમાં ગત તારીખ-૫મી માર્ચના રોજ સાંજના સમયે અજાણ્યા ઈસમો પ્રવેશ કરી કંપનીમાં અંદર રહેલ લોખંડની એમ.એસ મિક્ષ,જુના ભંગારના રોલ નંગ-૪૩,પાઈપો નંગ-૩૯ તેમજ ૩૪૫૦ કિલો ભંગાર મળી કુલ ૧.૩૮ લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.
તે દરમિયાન ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે ખરોડ ચોકડી પાસે શંકાસ્પદ ભંગાર ભરેલ પીકઅપ ગાડી અટકાવી હતી અને અંસાર માર્કેટ મદીના મસ્જીદ પાસે રહેતો અલ્લાઉદ્દીન ઉર્ફે ટીપુ જલીલ કુરેશી,સંતોષકુમાર જગ પ્રસાદ,શેફ શકીલખાન,મુબારક અલી જુલ્ફેકાર અલી ખાન તેમજ રંજીતકુમાર અમરનાથ ભારતી,સુરેશ મંગલ ભારતીને પકડી તમામની ભંગાર અંગે પુછપરછ કરતા અલ્લાઉદ્દીન ઉર્ફે ટીપુ જલીલ કુરેશીએ પોતે વેપાર કરતો હોવાથી તે ફરતા ફરતા પાનોલી તરફ જતા ખરોડ ચોકડી પાસે બેઈદ ઇન્ડસ્ટ્રીયલ કંપની બંધ હાલતમાં હતી જે કંપનીમાં ચોરી કરવાનું નક્કી કરી પોતાના સાથીઓ સાથે મળી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હોવાની કબુલાત કરી હતી.પોલીસે તમામ આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Advertisment
Read the Next Article

અંકલેશ્વર-વાલીયા મુખ્ય માર્ગની દયનિય હાલતને લઈને AAP દ્વારા મામલતદાર કચેરીએ આવેદન પાઠવાયું...

અત્યંત જર્જરિત માર્ગની હાલત સામે આમ આદમી પાર્ટી અંકલેશ્વર શહેર પ્રમુખ નિતીન વસાવાએ અંકલેશ્વર મામલતદાર કચેરી ખાતે આવેદન પત્ર આપી રજૂઆત કરી...

New Update
  • અંકલેશ્વર-વાલીયા મુખ્ય માર્ગની દયનિય હાલત

  • આમ આદમી પાર્ટી દ્વારા રજૂઆત કરવામાં આવી

  • મામલતદાર કચેરી ખાતે આવેદન પત્ર પાઠવાયું

  • વહેલી તકે બિસ્માર માર્ગના સમારકામની માંગ કરી

  • સમારકામ હાથ નહીં ધરાય તો આંદોલનની ચીમકી

Advertisment

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર-વાલીયા મુખ્ય માર્ગની દયનિય હાલતને લઈને અંકલેશ્વર આમ આદમી પાર્ટી શહેર પ્રમુખની આગેવાનીમાં મામલતદાર કચેરી ખાતે આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરથી વાલિયાને જોડતો મુખ્ય માર્ગ છેલ્લા ઘણા વર્ષોથી ખખડધજ હાલતમાં છે. જેના કારણે અનેક વાહનચાલકો અને રાહદારીઓને દૈનિક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તાજેતરમાં આ જ માર્ગ પર થયેલા માર્ગ અકસ્માતમાં એક રાહદારીનું કરૂણ મોત થતાં સ્થાનિકોમાં રોષની લાગણી છવાઈ હતીત્યારે અત્યંત જર્જરિત માર્ગની હાલત સામે આમ આદમી પાર્ટી અંકલેશ્વર શહેર પ્રમુખ નિતીન વસાવાએ અંકલેશ્વર મામલતદાર કચેરી ખાતે આવેદન પત્ર આપી રજૂઆત કરી હતી. પાઠવાયેલ આવેદનમાં તાકીદે બિસ્માર રસ્તાનું સમારકામ શરૂ કરવાની માંગ ઉઠાવવામાં આવી છે.

નિતીન વસાવાએ જણાવ્યું હતું કે, "અંકલેશ્વર-વાલિયા રોડ પર અકસ્માતોની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. અનેકવાર લોકોના ઘટના સ્થળે જ મોત થયા છે. સરકાર તરફથી કોઈ પગલાં લેવામાં આવતાં નથીજે લોકોને જીવના જોખમમાં નાખે છે." જો આગામી 10 દિવસમાં માર્ગનું સમારકામ શરૂ નહીં થાયતો આ મામલે આંદોલન શરૂ કરવાની અંકલેશ્વર આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખે ચીમકી ઉચ્ચારી છે.

Advertisment