અંકલેશ્વર: નવા પુનગામના 6 લોકોની ચોરીના ગુનામાં ધરપકડ, હાઈટેન્શન લાઈનના સામાનની કરી હતી ચોરી

અંકલેશ્વર તાલુકાના બોઈદરા  ગામની સીમમાં હાઈ ટેન્શન લાઈનના ટાવરની કામગીરી ચાલી રહી છે. ટાવરમાં લગાવવામાં વપરાતો અલગ અલગ સામાન ખેતરમાં મુક્યો હતો

author-image
By Connect Gujarat Desk
New Update
  • અંકલેશ્વરના બોઇદ્રા ગામે થઈ હતી ચોરી

  • હાઈટેન્શન લાઈનના સામાનની ચોરી

  • રૂ.3 લાખના સમાનની ચોરી થઈ હતી

  • એ ડિવિઝન પોલીસે 6 આરોપીની કરી ધરપકડ

  • નવા પુનગામના 6 લોકોની ધરપકડ

અંકલેશ્વર તાલુકાના બોઇદ્રા ગામની સીમમાં હાઈટેન્શન લાઈનના ટાવરની ચાલતી કામગીરી દરમ્યાન ખેતરમાં મુકેલા 3 લાખના સામાન થયેલી ચોરીમાં એ ડિવિઝન પોલીસે નવા પુન ગામના 6 ઈસમોને ઝડપી પાડી તેઓ પાસેથી પ્લેટ અને નટબોલ્ટ સહિતનો  તમામ મુદ્દામાલ રિકવર કરવા આવ્યો હતો.
અંકલેશ્વર તાલુકાના બોઈદરા  ગામની સીમમાં હાઈ ટેન્શન લાઈનના ટાવરની કામગીરી ચાલી રહી છે. ટાવરમાં લગાવવામાં વપરાતો અલગ અલગ સામાન ખેતરમાં મુક્યો હતો જે સામાનમાં લોખંડની પ્લેટો અને નટ બોલ્ટની તસ્કરો ચોરી  કરી ગયા હતા જે અંગે પાવર લાઇન પ્રોજેકટના કર્મચારી સંજીતસિંહે  અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે રૂપિયા 3 લાખના નટ બોલ્ટ અને લોખંડની પ્લેટો સહીતના  સામાનની ચોરી અંગેનો ગુનો નોંધી તપાસ શરુ કરી હતી.
તે દરમિયાન મળેલી માહિતીના આધારે એ ડિવિઝન પોલીસે બોઇદ્રા ગામની સીમમાંથી નવાપુનગામ ગામના રાજેશ મહેન્દ્ર વસાવા રાજુ મોતીભાઈ વસાવા, કૌશલ બુધા વસાવા,અક્ષય બનસી વસાવા,સંજય ગણપટ વસાવા,વિસાલ મહેન્દ્ર વસાવાની અટકાયત કરી હતી અને પોલીસે તેઓ પાસે થી ચોરાયેલા સામાન નટ બોલ્ટનો જથ્થો તેમજ પ્લેટો કબ્જે કરી તમામ ચોરાયેલો સામાન રિકવર કરવામાં આવ્યો હતો.
Read the Next Article

ભરૂચ : વરસાદથી ક્ષતિગ્રસ્ત અંકલેશ્વર-ઝઘડીયા-રાજપીપલા સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા માર્ગનું યુદ્ધના ધોરણે સમારકામ

ભરૂચ જિલ્લામાં વરસાદના કારણે ક્ષતિગ્રસ્ત થયેલા માર્ગોનું સમારકામ યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવ્યું છે. જે અંતર્ગત અત્યાર સુધીમાં માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) દ્વારા

New Update
MixCollage-13-Jul-2025-08-

ભરૂચ જિલ્લામાં વરસાદના કારણે ક્ષતિગ્રસ્ત થયેલા માર્ગોનું સમારકામ યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવ્યું છે.

જે અંતર્ગત અત્યાર સુધીમાં માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) દ્વારા ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના કુલ ખરાબ ૧૫.૪૦૦ કિમીથી વધુ લંબાઈના માર્ગોની મરામત કામગીરી પૂર્ણ કરાઈ છે. જેમાં કુલ ૧૨ જેસીબી, ૨૧ ડમ્પર અને ૧૦ રોલરની મદદથી ૧૧૭ થી વધુ શ્રમયોગીઓ દ્વારા આ સમગ્ર કામગીરી કરવામાં આવી રહી છે. 
આ મરામત કામગીરીમાં માર્ગના ક્ષતિગ્રસ્ત ભાગોનું સમારકામ, પેચવર્કની કામગીરી આયોજનબદ્ધ રીતે હાથ ધરવામાં આવી રહી છે.ભરૂચ જિલ્લામાં પણ માર્ગ અને મકાન વિભાગ દ્વારા અંકલેશ્વરથી ઝઘડીયા અને રાજપીપલા-સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો હાઈવે નં- ૬૪, રાજપારડી- નેત્રંગ, અસા - ઉમલ્લા -પાણેથા, રોડ ઉપર કુલ ૧૨ જેસીબી, ૨૧ ડમ્પર, ૧૦ રોલર, ગ્રેટર ૨ ટ્રેક્ટરો તેમજ અને લોડરની મદદથી થી ૧૧૭ વધુ શ્રમયોગીઓ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે.