અંકલેશ્વર: સારંગપુર ગામે ચાલતું જુગારધામ ઝડપાયું, 6 જુગારીઓની ધરપકડ

સારંગપુર ગામના વેરાઈ માતાજીનાં મંદિર પાસે મોટાપાયે જુગાર રમાઈ રહ્યો છે.જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડી 6 જુગારીઓની ધરપકડ કરી 1.87 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો

New Update

અંકલેશ્વર જીઆઇડીસી પોલીસની કાર્યવાહી

સારંગપુર ગામે ચાલતું હતું જુગારધામ

પોલીસે 6 જુગારીઓની કરી ધરપકડ

5 જુગારીઓને વોન્ટેડ જાહેર કરાયા

રૂ.1.87 લાખનો મુદ્દામાલ જપ્ત

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસે  સારંગપુર ગામના વેરાઈ માતાજીનાં મંદિર પાસેથી જુગાર રમતા 6 જુગારીયાઓને રોકડા 27 હજાર અને પાંચ વાહનો મળી કુલ 1.87 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે..
અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમા હતો તે દરમિયાન બાતમી મળી હતી કે સારંગપુર ગામના વેરાઈ માતાજીનાં મંદિર પાસે મોટાપાયે જુગાર રમાઈ રહ્યો છે.જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા..
પોલીસે સ્થળ પરથી રોકડા 27 હજાર અને પાંચ મોબાઈલ ફોન,પાંચ વાહનો મળી કુલ 1.87 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી રાજપીપળા રોડ ઉપર આવેલ ભાનુસાલિ માર્કેટમાં રહેતો જુગારી સચિન પ્રકાશ દોશી,અલ્પેશ બાલુ પટેલ,બીટનકુમાર કલ્પેશ વસાવા,સુમિત ગુમાન પટેલ, જીતેન્દ્ર પ્રતાપ પટેલ અને રણજીત વસાવાને ઝડપી પાડ્યો હતો.જ્યારે અન્ય પાંચ જુગારીયાઓને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.
Latest Stories