અંકલેશ્વર : કોસમડી નજીક ગોપાલનગર ખાતે માલધારી સમાજ દ્વારા તુલસી વિવાહ નિમિત્તે ભવ્ય ઉજવણી કરાય

આ દિવસે લોકો ઉપવાસ રાખવાની સાથે તુલસીજીની સાથે ભગવાન શાલિગ્રામની પૂજા કરે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, આ દિવસે દેવી તુલસીની સાથે શ્રી ડરિની પૂજા કરવાથી તમામ અવરોધોનો અંત આવે છે.

author-image
By Connect Gujarat Desk
New Update
  • કોસમડી ગામ નજીક આવેલ ગોપાલ નગર ખાતે આયોજન

  • તુલસી વિવાહ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન

  • માલધારી સમાજ દ્વારા તુલસી વિવાહની ભવ્ય ઉજવણી કરાય

  • મહિલાઓ-યુવાનોએ રાસ-ગરબામાં જોરદાર રમઝટ બોલાવી

  • કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સર્વ સમાજના લોકો ઉપસ્થિત રહ્યા

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના કોસમડી ગામ નજીક આવેલ ગોપાલ નગર ખાતે તુલસી વિવાહ નિમિત્તે માલધારી સમાજ દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

હિન્દુ ધર્મમાં તુલસી વિવાહના તહેવારને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. દર વર્ષે કારતક મહિનામાં ભગવાન વિષ્ણુના સ્વરૂપ શાલિગ્રામજી અને તુલસી માતાનું વિવાહ કરવામાં આવે છે. આ દિવસે લોકો ઉપવાસ રાખવાની સાથે તુલસીજીની સાથે ભગવાન શાલિગ્રામની પૂજા કરે છે. ધાર્મિક માન્યતાઓ અનુસારઆ દિવસે દેવી તુલસીની સાથે શ્રી ડરિની પૂજા કરવાથી તમામ અવરોધોનો અંત આવે છે.

તેની સાથે અક્ષય ફળની પ્રાપ્તિ થાય છે. આ પવિત્ર પરંપરાને હિંદુ સંસ્કૃતિમાં લગ્ન અને શુભ કાર્યોની સિઝનની શુભ શરૂઆતનું પ્રતીક પણ માનવામાં આવે છેત્યારે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના કોસમડી ગામ નજીક આવેલ ગોપાલ નગર ખાતે તુલસી વિવાહ નિમિત્તે માલધારી સમાજ દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

જેમાં માલધારી સમાજની મહિલાઓ અને યુવાનોએ વાજતે ગાજતે રાસ-ગરબાની મોજ માણી હતી. આ પ્રસંગે ભરૂચ જિલ્લા તેમજ અંકલેશ્વર તાલુકામાંથી મોટી સંખ્યામાં સર્વ સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા.

Read the Next Article

ભરૂચ: તમામ 9 તાલુકામાં સાર્વત્રિક વરસાદ, નેત્રંગમાં 4 ઇંચ વરસાદ ખાબક્યો

ભરૂચ શહેર અને જિલ્લામાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે વિતેલા 24 કલાકમાં પણ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો.

New Update
Screenshot (130)

ભરૂચ શહેર અને જિલ્લામાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે વિતેલા 24 કલાકમાં પણ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો.સૌથી વધુ વરસાદ નેત્રંગમાં 4 ઇંચ નોંધાયો હતો.

તો બીજી તરફ વાલીયામાં 2.5 ઇંચ વરસાદ નોંધાયો હતો આ તરફ હાંસોટમાં 15 મિલીમીટર અને અંકલેશ્વરમાં 21 મિલીમીટર તો ઝઘડિયામાં 1 ઇંચ વરસાદ નોંધાયો હતો. આ તરફ ભરૂચમાં પણ 1 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો તો જંબુસરમાં 5 મિલીમીટર આમોદમાં 7 મિલીમીટર અને વાગરામાં 5 મિલીમીટર વરસાદ નોંધાયો હતો હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તે મુજબ જ વરસાદ વરસી રહ્યો છે. ગુરુવારે સવારથી પણ ધીમીધારે સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે