અંકલેશ્વર : કોસમડી નજીક ગોપાલનગર ખાતે માલધારી સમાજ દ્વારા તુલસી વિવાહ નિમિત્તે ભવ્ય ઉજવણી કરાય

આ દિવસે લોકો ઉપવાસ રાખવાની સાથે તુલસીજીની સાથે ભગવાન શાલિગ્રામની પૂજા કરે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, આ દિવસે દેવી તુલસીની સાથે શ્રી ડરિની પૂજા કરવાથી તમામ અવરોધોનો અંત આવે છે.

author-image
By Connect Gujarat Desk
New Update
  • કોસમડી ગામ નજીક આવેલ ગોપાલ નગર ખાતે આયોજન

  • તુલસી વિવાહ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન

  • માલધારી સમાજ દ્વારા તુલસી વિવાહની ભવ્ય ઉજવણી કરાય

  • મહિલાઓ-યુવાનોએ રાસ-ગરબામાં જોરદાર રમઝટ બોલાવી

  • કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સર્વ સમાજના લોકો ઉપસ્થિત રહ્યા

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના કોસમડી ગામ નજીક આવેલ ગોપાલ નગર ખાતે તુલસી વિવાહ નિમિત્તે માલધારી સમાજ દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

હિન્દુ ધર્મમાં તુલસી વિવાહના તહેવારને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. દર વર્ષે કારતક મહિનામાં ભગવાન વિષ્ણુના સ્વરૂપ શાલિગ્રામજી અને તુલસી માતાનું વિવાહ કરવામાં આવે છે. આ દિવસે લોકો ઉપવાસ રાખવાની સાથે તુલસીજીની સાથે ભગવાન શાલિગ્રામની પૂજા કરે છે. ધાર્મિક માન્યતાઓ અનુસારઆ દિવસે દેવી તુલસીની સાથે શ્રી ડરિની પૂજા કરવાથી તમામ અવરોધોનો અંત આવે છે.

તેની સાથે અક્ષય ફળની પ્રાપ્તિ થાય છે. આ પવિત્ર પરંપરાને હિંદુ સંસ્કૃતિમાં લગ્ન અને શુભ કાર્યોની સિઝનની શુભ શરૂઆતનું પ્રતીક પણ માનવામાં આવે છેત્યારે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના કોસમડી ગામ નજીક આવેલ ગોપાલ નગર ખાતે તુલસી વિવાહ નિમિત્તે માલધારી સમાજ દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

જેમાં માલધારી સમાજની મહિલાઓ અને યુવાનોએ વાજતે ગાજતે રાસ-ગરબાની મોજ માણી હતી. આ પ્રસંગે ભરૂચ જિલ્લા તેમજ અંકલેશ્વર તાલુકામાંથી મોટી સંખ્યામાં સર્વ સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા.

Read the Next Article

ભરૂચ : નિકોરાના આનંદીમાં આશ્રમ ખાતે સંસ્કારોનું સિંચન અને સંસ્કૃતિનું જતન શિબિર યોજાઈ,800થી વધુ બહેનોએ લીધો લાભ

નિકોરા ધ્યાની ધામ આનંદીમાં આશ્રમ ખાતે 13 વર્ષથી વધુ વયની રાજપુત દીકરીઓ માટે એક દિવસીય શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 800થી વધુ રાજપૂત દિકરીઓએ લીધો શિબિરમાં ભાગ

New Update
  • સંસ્કારોનું સિંચન અને સંસ્કૃતિનું જતન વિષય પર યોજાઈ શિબિર

  • નિકોરા આનંદીમાં ધ્યાની ધામ આશ્રમ ખાતે યોજાઈ શિબિર

  • રાજપૂત સમાજની દીકરીઓ માટે કરાયું આયોજન

  • 800થી વધુ રાજપૂત દિકરીઓએ લીધો શિબિરમાં ભાગ

  • રાજપૂત યુવા સંઘ પ્રેરિત મહિલા સંઘના હોદેદારોનું કરાયું સન્માન

ભરૂચના નિકોરા આનંદીમાં આશ્રમ ખાતે સંસ્કારોનું સિંચન અને સંસ્કૃતિનું જતન શિબિર યોજાઈ હતી. જેમાં800થી વધારે બહેનોએ આ શિબિરનો લાભ લીધો હતો.

ભરૂચ તાલુકાના નિકોરા ગામેમાં નર્મદા નદીના કિનારે આનંદીમાં ધ્યાની ધામ આશ્રમ ખાતે અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ પ્રેરિત મહિલા સંઘ અને યુવા પાંખ ભરૂચ જિલ્લા દ્વારા આયોજિત સંસ્કારોનું સિંચન અને સંસ્કૃતિનું જતન શિબિરમાં800બહેનોએ શિબિરનો લાભ લીધો હતો.

નિકોરા ધ્યાની ધામ આનંદીમાં આશ્રમ ખાતે13વર્ષથી વધુ વયની રાજપુત દીકરીઓ માટે એક દિવસીય શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આ આધુનિક યુગમાં પરિવારમાં સાંસ્કૃતિક સમસ્યાઓ થાય છેમેરેજ પછી  પોતાના જીવનમાં મૂલ્યવાન સમજણ આવે સાસરિયામાં પણ સંયુક્ત કુટુંબ સાથે રહી સમાજ અને પોતાનું નામ રોશન કરે તેવા ઉમદા હેતુથી સંસ્કારોનું સિંચન અને સંસ્કૃતિનું જતન કાર્યક્રમ યોજાયો હતો.આ કાર્યક્રમમાં800થી વધુ દીકરીઓએ ઉપસ્થિત રહી પોતાના જીવનમાં પરિવર્તન માટેની હાંકલ  કરી હતી. આ સાથે જ આ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લાના નવ  નિયુક્ત હોદ્દેદારોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.