New Update
-
અંકલેશ્વરમાં હનુમાન જયંતિની ઉજવણી
-
નૌગામા ગામે આવેલું છે રોકડીયા હનુમાનજી મંદિર
-
ભવ્યલોક ડાયરાનું કરવામાં આવ્યુ આયોજન
-
જીગ્નેશ કવિરાજ અને તેમની ટીમે રમઝટ બોલાવી
-
ધારાસભ્ય રમેશ મિસ્ત્રી રહ્યા ઉપસ્થિત
અંકલેશ્વર તાલુકાના નૌગામા ગામ સ્થિત તીર્થક્ષેત્ર રોકડિયા હનુમાનજી મંદિર ખાતે હનુમાન જયંતી નિમિત્તે ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું.
ચૈત્ર સુદ પૂનમ એટલે કે હનુમાન જયંતી નિમિત્તે ઠેર ઠેર વિવિધ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે અંકલેશ્વર તાલુકાના નૌગામા ગામ સ્થિત સુપ્રસિદ્ધ તીર્થક્ષેત્ર રોકડિયા હનુમાનજી મંદિર ખાતે ભવ્ય લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જાણીતા કલાકાર જીગ્નેશ કવિરાજ, હાસ્ય કલાકાર હકાભા ગઢવી, કમાભાઈ સહિતના કલાકારો અને તેમના વૃંદે ભજનો અને લોકગીતોની રમઝટ બોલાવી હતી આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ પ્રકાશ મોદી, દિવ્યેશ પટેલ સહિતના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં આસપાસના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા જીગ્નેશ કવિરાજે તેમના આગવા અંદાજમાં ભજનોની રમઝટ બોલાવી હતી જેને ઉપસ્થિતો એ માણી હતી