અંકલેશ્વર: નૌગામા ગામ સ્થિત રોકડીયા હનુમાનજી મંદિરે ભવ્ય લોકડાયરો યોજાયો, જીગ્નેશ કવિરાજે રમઝટ બોલાવી

અંકલેશ્વર તાલુકાના નૌગામા ગામ સ્થિત તીર્થક્ષેત્ર રોકડિયા હનુમાનજી મંદિર ખાતે હનુમાન જયંતી નિમિત્તે ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું.

New Update
  • અંકલેશ્વરમાં હનુમાન જયંતિની ઉજવણી

  • નૌગામા ગામે આવેલું છે રોકડીયા હનુમાનજી મંદિર

  • ભવ્યલોક ડાયરાનું કરવામાં આવ્યુ આયોજન

  • જીગ્નેશ કવિરાજ અને તેમની ટીમે રમઝટ બોલાવી

  • ધારાસભ્ય રમેશ મિસ્ત્રી રહ્યા ઉપસ્થિત

અંકલેશ્વર તાલુકાના નૌગામા ગામ સ્થિત તીર્થક્ષેત્ર રોકડિયા હનુમાનજી મંદિર ખાતે હનુમાન જયંતી નિમિત્તે ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું.
ચૈત્ર સુદ પૂનમ એટલે કે હનુમાન જયંતી નિમિત્તે ઠેર ઠેર વિવિધ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે અંકલેશ્વર તાલુકાના નૌગામા ગામ સ્થિત સુપ્રસિદ્ધ તીર્થક્ષેત્ર રોકડિયા હનુમાનજી મંદિર ખાતે ભવ્ય લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જાણીતા કલાકાર જીગ્નેશ કવિરાજ, હાસ્ય કલાકાર હકાભા ગઢવી, કમાભાઈ સહિતના કલાકારો અને તેમના વૃંદે ભજનો અને લોકગીતોની રમઝટ બોલાવી હતી આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ પ્રકાશ મોદી, દિવ્યેશ પટેલ સહિતના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં આસપાસના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા જીગ્નેશ કવિરાજે તેમના આગવા અંદાજમાં ભજનોની રમઝટ બોલાવી હતી જેને ઉપસ્થિતો એ માણી હતી
Read the Next Article

અંકલેશ્વર : અંદાડા ખાતે સંત નિરંકારી મિશન દ્વારા મહારક્તદાન શિબિર યોજાઈ,70 જેટલા રકતદાતાઓએ કર્યું બ્લડ ડોનેટ

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના અંદાડા ગામના પટેલ સ્મૃતિ ભવન ખાતે સંત નિરંકારી ચેરીટેબલ ફાઉન્ડેશન દિલ્હી ઝોન દ્વારા મહારક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

New Update
  • અંદાડામાં યોજાઈ મહારક્તદાન શિબિર

  • સંત નિરંકારી મિશન દ્વારા કરાયું આયોજન

  • રેડક્રોસ બ્લડ બેંકના સહયોગથી કરાયું આયોજન

  • 70થી વધુ રક્તદાતાઓએ કર્યું રક્તદાન  

  • સંસ્થા દ્વારા વર્ષમાં બે વખત કરાય છે આયોજન

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના અંદાડા ગામના પટેલ સ્મૃતિ ભવન ખાતે સંત નિરંકારી ચેરીટેબલ ફાઉન્ડેશન દિલ્હી ઝોન દ્વારા મહારક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભરૂચની રેડક્રોસ બ્લડ બેંકના સહયોગથી સંત નિરંકારી મિશનના સભ્યો દ્વારા 70થી વધુ યુનિટનું રક્તદાન કરવામાં આવ્યું હતું. આ સંસ્થા દ્વારા વર્ષમાં બે વખત રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવે છે,અને સંસ્થાના સભ્યો ઉત્સાહભેર રક્તદાન કરે છે.

આ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી .જેમાં અંદાડા ગામના સરપંચ નીરૂ પટેલ ,સંત નિરંકારી ચેરીટેબલ ફાઉન્ડેશન ઝોન અંકલેશ્વરના સંયોજક આર પી ગુપ્તા વડોદરાના જ્ઞાનપ્રચારક મહાત્મા ચીમન પરમાર,બબન મહાદિક ,સંત નિરંકારી મિશન અને મંડળના સભ્યો તેમજ ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.