New Update
અંકલેશ્વર આદિવાસી સમાજ દ્વારા વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું
9 ઓગષ્ટને સમગ્ર વિશ્વમાં આદિવાસી દિવસ તરીકે ઉજવવામાં આવે છે ત્યારે જળ જંગલ અને પ્રકૃતિ પૂજનના હિમાયતી આદિવાસી સમાજ દ્વારા ઠેરઠેર વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવા આવી હતી જે નિમિત્તે અંકલેશ્વર આદિવાસી સમાજના આગેવાન વિનય વસાવાની આગેવાની સાંસ્કૃતિક પગપાળા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.આ રેલી રેલ્વે સ્ટેશન સ્થિત બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરી પ્રારંભ કરવામાં આવી હતી. રેલી ભરુચી નાકા ખાતે બિરસા મુંડાની પ્રતિમા ખાતે સંપન્ન થઈ હતી.આ રેલીમાં આદિવાસી સમાજના આગેવાનો અને સભ્યો જોડાયા હતા.
Latest Stories