અંકલેશ્વર: GIDCની જયંત પેકેજીંગ કંપનીના લાકડાના ગોડાઉનમાં ભીષણ આગ, ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી નજરે પડયા

આગના પગલે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી નજરે પડ્યા હતા.બનાવની જાણ થતાની સાથે જ અંકલેશ્વર ડીપીએમસીના 5 જેટલા ફાયર ટેન્ડરો ઘટના સ્થળે પહોંચ્યા

author-image
By Connect Gujarat Desk
New Update
a>kl[Vr: JaiED)s)n) jy>t p[k[J>g k>pn)ni   likDini gi[Diunmi> lig) B)PN aig
અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલ જયંત પેકેજીંગ કંપનીના લાકડાના ગોડાઉનમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી અંકલેશ્વર જીઆઇડીસીમાં નવા વર્ષના દિવસે જ આગનો બનાવ બન્યો હતો અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આવેલ જયંત પેકેજીંગ નામના લાકડાના ગોડાઉનમાં અચાનક જ ભીષણ આગ ફાટી નીકળી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું.
આગના પગલે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી નજરે પડ્યા હતા.બનાવની જાણ થતાની સાથે જ અંકલેશ્વર ડીપીએમસીના 5 જેટલા ફાયર ટેન્ડરો ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આગ પર કાબુ મેળવવાનો પ્રયત્ન હાથ ધર્યા હતા.
બનાવવામાં કોઈ જાનહાનિ થઈ નથી પરંતુ નવા વર્ષના પ્રથમ દિવસે જીઆઇડીસીમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે આ જ કંપનીના અન્ય યુનિટમાં ગત ફેબ્રુઆરી માસમાં પણ આગ ફાટી નીકળી હતી ત્યારે સેફ્ટી અને હેલ્થ વિભાગ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે..
Read the Next Article

ભરૂચ : નિકોરાના આનંદીમાં આશ્રમ ખાતે સંસ્કારોનું સિંચન અને સંસ્કૃતિનું જતન શિબિર યોજાઈ,800થી વધુ બહેનોએ લીધો લાભ

નિકોરા ધ્યાની ધામ આનંદીમાં આશ્રમ ખાતે 13 વર્ષથી વધુ વયની રાજપુત દીકરીઓ માટે એક દિવસીય શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 800થી વધુ રાજપૂત દિકરીઓએ લીધો શિબિરમાં ભાગ

New Update
  • સંસ્કારોનું સિંચન અને સંસ્કૃતિનું જતન વિષય પર યોજાઈ શિબિર

  • નિકોરા આનંદીમાં ધ્યાની ધામ આશ્રમ ખાતે યોજાઈ શિબિર

  • રાજપૂત સમાજની દીકરીઓ માટે કરાયું આયોજન

  • 800થી વધુ રાજપૂત દિકરીઓએ લીધો શિબિરમાં ભાગ

  • રાજપૂત યુવા સંઘ પ્રેરિત મહિલા સંઘના હોદેદારોનું કરાયું સન્માન

ભરૂચના નિકોરા આનંદીમાં આશ્રમ ખાતે સંસ્કારોનું સિંચન અને સંસ્કૃતિનું જતન શિબિર યોજાઈ હતી. જેમાં800થી વધારે બહેનોએ આ શિબિરનો લાભ લીધો હતો.

ભરૂચ તાલુકાના નિકોરા ગામેમાં નર્મદા નદીના કિનારે આનંદીમાં ધ્યાની ધામ આશ્રમ ખાતે અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ પ્રેરિત મહિલા સંઘ અને યુવા પાંખ ભરૂચ જિલ્લા દ્વારા આયોજિત સંસ્કારોનું સિંચન અને સંસ્કૃતિનું જતન શિબિરમાં800બહેનોએ શિબિરનો લાભ લીધો હતો.

નિકોરા ધ્યાની ધામ આનંદીમાં આશ્રમ ખાતે13વર્ષથી વધુ વયની રાજપુત દીકરીઓ માટે એક દિવસીય શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આ આધુનિક યુગમાં પરિવારમાં સાંસ્કૃતિક સમસ્યાઓ થાય છેમેરેજ પછી  પોતાના જીવનમાં મૂલ્યવાન સમજણ આવે સાસરિયામાં પણ સંયુક્ત કુટુંબ સાથે રહી સમાજ અને પોતાનું નામ રોશન કરે તેવા ઉમદા હેતુથી સંસ્કારોનું સિંચન અને સંસ્કૃતિનું જતન કાર્યક્રમ યોજાયો હતો.આ કાર્યક્રમમાં800થી વધુ દીકરીઓએ ઉપસ્થિત રહી પોતાના જીવનમાં પરિવર્તન માટેની હાંકલ  કરી હતી. આ સાથે જ આ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લાના નવ  નિયુક્ત હોદ્દેદારોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.