અંકલેશ્વર: મહોરમના પર્વને અનુલક્ષીને એ ડિવિઝન પોલીસ મથક ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાય

ભરૂચ જિલ્લામાં આગામી મહોરમના પર્વને ધ્યાને લઈને અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથક ખાતે શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

New Update

આગામી મહોરમના પર્વને ધ્યાને લઈને અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથક ખાતે શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

તારીખ 17મી જુલાઈના રોજ ભરૂચ સહિત અંકલેશ્વર શહેરમાં મોહરમના પર્વની મુસ્લિમ બિરાદરો દ્વારા ઉજવણી કરવામાં આવશે મોહરાના મોહરમ ના પર્વ અંતર્ગત તાજીયા નું જુલુસ નીકળે છે ત્યારે આ પર્વ શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાય તે માટે શાંતિ સમિતિને બેઠક યોજાઇ હતી જેમાં અંકલેશ્વરના ઇન્ચાર્જડી.વાય.એસ.પી.એમ.એમ.ગાંગુલી,અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકના પોલીસ અધિકારીઓ કર્મચારીઓ અને શાંતિ સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. મોહરમનું પર્વ કોમી એખલાસભર્યા વાતાવરણમાં ઉજવાય તે માટે હિન્દુ મુસ્લિમ બિરાદરોને અપીલ કરવામાં આવી હતી.
Read the Next Article

ભરૂચ: જાહેરમાં કચેરો ફેંકનાર લોકોને નગર સેવા સદને ભણાવ્યો પાઠ, જાતે કચરો ઉપાડાવી વિડીયો જાહેર કરાયા

સેનેટરી ઇન્સ્પેક્ટરો દ્વારા શહેરના મુખ્ય માર્ગો તથા વ્યસ્ત વિસ્તારોમાં વોચ ગોઠવાઈ હતી. શહેરના અલગ અલગ વિસ્તારોમાં જાહેરમાં કચરો ફેંકનારાઓ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી

New Update
garbage
ભરૂચ નગરપાલિકા દ્વારા શહેરમાં સ્વચ્છતા જાળવવાના પ્રયાસો હવે વધુ ગંભીર બનાવાયા છે. નગરપાલિકાએ જાહેરમાં ગંદકી ફેલાવનારાઓ સામે લાલ આંખ કરી છે. શનિવારે સેનેટરી ઇન્સ્પેક્ટરો દ્વારા શહેરના મુખ્ય માર્ગો તથા વ્યસ્ત વિસ્તારોમાં વોચ ગોઠવાઈ હતી. શહેરના અલગ અલગ વિસ્તારોમાં જાહેરમાં કચરો ફેંકનારાઓ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. નગરપાલિકાના કર્મચારીઓએ જાહેરમાં ફેંકનાર પાસે જાતે કચરો ઉપાડાવી વીડિયો પણ જાહેર કર્યા છે.પાલિકા અનુસાર જો હજુ બેજવાબર નાગરિકો આદત નહિ છોડે તો તેમની સામે દંડાત્મક પગલાં લેવામાં આવશે.