-
પ્રોલાઇફ ગૃપ ઓફ ઇન્ડસ્ટ્રીઝના સ્થાપકની ચોથી પુણ્યતિથિ
-
ઉદ્યોગપતિ સ્વ. એમ.એસ.જોલીની આજે ચોથી પુણ્યતિથિ
-
સ્વ. એમ.એસ.જોલીની તસવીરને પુષ્પાંજલિ અર્પણ કરાય
-
ઘરડા ઘર, તુલસીધામ અને અંકલેશ્વરમાં યોજાયા કાર્યક્રમ
-
છાશ વિતરણ સહિત ભૂખ્યાઓને ભોજન જમાડવામાં આવ્યું
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર અને પાનોલી વિસ્તારના જાણીતા ઉદ્યોગપતિ અને પ્રોલાઇફ ગૃપ ઓફ ઇન્ડસ્ટ્રીઝના સ્થાપક સ્વ. એમ.એસ.જોલીની આજરોજ ચોથી પુણ્યતિથિ નિમિત્તે વિવિધ સેવાકાર્યો થકી સેવાયજ્ઞ કરવામાં આવ્યો હતો.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર અને પાનોલી વિસ્તારના જાણીતા ઉદ્યોગપતિ અને પ્રોલાઇફ ગૃપ ઓફ ઇન્ડસ્ટ્રીઝના સ્થાપક સ્વ. એમ.એસ.જોલી માનતા હતા કે, સમાજે તેમને જેટલું આપ્યું છે, એનાથી બમણું સમાજને આપવું જોઈએ. એમના આ ઉમદા વિચારને સાર્થક કરવા પ્રોલાઈફ ગ્રુપના MD કરણ જોલી અને પરિવાર દ્વારા આજરોજ સ્વ. એમ.એસ.જોલીની ચોથી પુણ્યતિથિ નિમિત્તે વિવિધ સેવાકાર્યો થકી સેવાયજ્ઞ કરવામાં આવ્યો હતો.
ભરૂચ શહેરના કસક વિસ્તાર સ્થિત વડીલોના ઘરમાં આશ્રય લેતા તમામ વડીલોને ભોજન જમાડવામાં આવ્યું હતું. ત્યારબાદ ભરૂચના ઝાડેશ્વર વિસ્તાર સ્થિત લક્ષ્મીનારાયણદેવ કોલેજ ઓફ ફાર્મસી તેમજ જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે સ્વ. એમ.એસ.જોલીની પ્રતિકૃત તસવીરને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
આ સાથે જ ભરૂચના તુલસીધામ વિસ્તારમાં આકરી ગરમી વચ્ચે રાહદારીઓને છાશનું વિતરણ કરવામાં આવ્યું હતું. સેવાકાર્ય આટલેથી નહીં અટકાતા સંધ્યા સમયે અંકલેશ્વરની પ્રતિન ચોકડી સ્થિત સામાજિક સંસ્થા “ભૂખ્યાને ભોજન” ખાતે જરૂરિયાતમંદ લોકોને ભોજન જમાડવામાં આવ્યું હતું.
આ પ્રસંગે પ્રોલાઇફ ગૃપ ઓફ ઇન્ડસ્ટ્રીઝના અનુરિત કોર જોલી, કરણ જોલી, સાક્ષી જોલી, યોગેશ પારિક, શ્રી મંગલમ પરિવારના ભરત પટેલ સહિત પ્રોલાઇફ ગૃપ ઓફ ઇન્ડસ્ટ્રીઝના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.