અંકલેશ્વર : પ્રોલાઇફ ગૃપ ઓફ ઇન્ડસ્ટ્રીઝના MD સ્વ. એમ.એસ.જોલીની ચોથી પુણ્યતિથિ નિમિત્તે સેવાકાર્યો થકી સેવાયજ્ઞ કરાયો...

અંકલેશ્વર અને પાનોલી વિસ્તારના જાણીતા ઉદ્યોગપતિ અને પ્રોલાઇફ ગૃપ ઓફ ઇન્ડસ્ટ્રીઝના સ્થાપક સ્વ. એમ.એસ.જોલીની આજરોજ 5મી પુણ્યતિથિ નિમિત્તે વિવિધ સેવાકાર્યો થકી સેવાયજ્ઞ કરવામાં આવ્યો

New Update
  • પ્રોલાઇફ ગૃપ ઓફ ઇન્ડસ્ટ્રીઝના સ્થાપકની ચોથી પુણ્યતિથિ

  • ઉદ્યોગપતિ સ્વ. એમ.એસ.જોલીની આજે ચોથી પુણ્યતિથિ

  • સ્વ. એમ.એસ.જોલીની તસવીરને પુષ્પાંજલિ અર્પણ કરાય

  • ઘરડા ઘરતુલસીધામ અને અંકલેશ્વરમાં યોજાયા કાર્યક્રમ

  • છાશ વિતરણ સહિત ભૂખ્યાઓને ભોજન જમાડવામાં આવ્યું 

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર અને પાનોલી વિસ્તારના જાણીતા ઉદ્યોગપતિ અને પ્રોલાઇફ ગૃપ ઓફ ઇન્ડસ્ટ્રીઝના સ્થાપક સ્વ. એમ.એસ.જોલીની આજરોજ ચોથી પુણ્યતિથિ નિમિત્તે વિવિધ સેવાકાર્યો થકી સેવાયજ્ઞ કરવામાં આવ્યો હતો.

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર અને પાનોલી વિસ્તારના જાણીતા ઉદ્યોગપતિ અને પ્રોલાઇફ ગૃપ ઓફ ઇન્ડસ્ટ્રીઝના સ્થાપક સ્વ. એમ.એસ.જોલી માનતા હતા કેસમાજે તેમને જેટલું આપ્યું છેએનાથી બમણું સમાજને આપવું જોઈએ. એમના આ ઉમદા વિચારને સાર્થક કરવા પ્રોલાઈફ ગ્રુપના MD કરણ જોલી અને પરિવાર દ્વારા આજરોજ સ્વ. એમ.એસ.જોલીની ચોથી પુણ્યતિથિ નિમિત્તે વિવિધ સેવાકાર્યો થકી સેવાયજ્ઞ કરવામાં આવ્યો હતો.

ભરૂચ શહેરના કસક વિસ્તાર સ્થિત વડીલોના ઘરમાં આશ્રય લેતા તમામ વડીલોને ભોજન જમાડવામાં આવ્યું હતું. ત્યારબાદ ભરૂચના ઝાડેશ્વર વિસ્તાર સ્થિત લક્ષ્મીનારાયણદેવ કોલેજ ઓફ ફાર્મસી તેમજ જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે સ્વ. એમ.એસ.જોલીની પ્રતિકૃત તસવીરને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.

આ સાથે જ ભરૂચના તુલસીધામ વિસ્તારમાં આકરી ગરમી વચ્ચે રાહદારીઓને છાશનું વિતરણ કરવામાં આવ્યું હતું. સેવાકાર્ય આટલેથી નહીં અટકાતા સંધ્યા સમયે અંકલેશ્વરની પ્રતિન ચોકડી સ્થિત સામાજિક સંસ્થા ભૂખ્યાને ભોજન” ખાતે જરૂરિયાતમંદ લોકોને ભોજન જમાડવામાં આવ્યું હતું.

આ પ્રસંગે પ્રોલાઇફ ગૃપ ઓફ ઇન્ડસ્ટ્રીઝના અનુરિત કોર જોલીકરણ જોલીસાક્ષી જોલીયોગેશ પારિકશ્રી મંગલમ પરિવારના ભરત પટેલ સહિત પ્રોલાઇફ ગૃપ ઓફ ઇન્ડસ્ટ્રીઝના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.

Read the Next Article

અંકલેશ્વર: ખરોડ ગામે યુવાનની હત્યા કરનાર આરોપીની ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ, અગાઉ થયેલ માથાકૂટની રીસ રાખી હત્યા કરાય

અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામેથી મળી આવેલ મૃતદેહના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે પોલીસે યુવાનની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

New Update

અંકલેશ્વરના ખરોડમાં મળી આવ્યો હતો મૃતદેહ

હત્યા થઈ હોવાનું આવ્યું બહાર

પોલીસે હત્યારાની કરી ધરપડક

અગાઉના ઝઘડાની રીસ રાખી કરાય હત્યા

પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી


અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામેથી મળી આવેલ મૃતદેહના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે પોલીસે યુવાનની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અંકલેશ્વરના ખરોડ ગામની સીમમાં આવેલ બાકરોલ વગામાં ખેતરના શેઢા ઉપર અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ વિકૃત હાલતમાં મળી આવ્યો હતો.આ બાબતે પાનોલી પોલીસે ગુનો નોંધી મૃત્યુનું કારણ જાણવા તપાસ શરૂ કરી હતી.આ તરફ ક્રાઇમ બ્રાન્ચ પણ તપાસમાં જોડાય હતી દરમ્યામ પોલીસને બાતમી મળી હતી કે આ ગુનામાં  અક્કલકુવાનો શંકર મોવરીયા વસાવા નામનો ઈસમ સંડોવાયો છે જે અંકલેશ્વર તથા પાનોલી વિસ્તારમા છુટક મજુરી કરે છે.પોલીસે હ્યુમન ઇન્ટેલીજન્સના આધારે આરોપીની ખરોડ નજીકથી ધરપકડ કરી હતી. પોલીસની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો. આ મામલામાં મરણ જનાર ઇસમે થોડા દિવસ અગાઉ મારમારી 1500 રૂપિયા લૂંટી લીધા હતા જેની રીસ રાખી આરોપી શંકર વસાવાએ મૃતકને શોધી તેને મજૂરી કામ અપાવવાના બહાને ખરોડ ગામની સીમમાં લઈ ગયો હતો અને ત્યાં પથ્થરના ઘા મારી હત્યા કર્યા બાદ તેના વતન ફરાર થઇ ગયો હતો.પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.